આપણાં આ જગતમાં એવાં ઘણાં મનુષ્યો છે કે જેમણે પોતાની સાથે કયારેય વાત કરી નથી. એકાંતની પળોમાં મનન ચિતંન કરવું અને પોતાની જાત સાથે સંવાદ કરવો આ બે ક્રિયાઓ વચ્ચે જમીન આસમાનનું અંતર છે. કોઈ વ્યકિત જયારે પોતાની સાથે સંવાદ કરતાં શીખી જાય છે ત્યારે તેનું સામાજીક, સંસારિક અને આઘ્યાત્મિક જીવનમાં તમને સ્થિરતા અને કોમળતા બન્ને એકસાથે દેખાય છે.
આ બઘું શું કામ લખી રહ્યો છું એ જાણવાની મને જેટલી તાલાવેલી છે એટલી કદાચ તમને નહી હોય... આજે સવારે એક મિત્રનું વોટસઅપ આવ્યું... વોટસઅપમાં એ મિત્રએ મને પ્રભુ સાથેનો સંવાદ મોકલેલો. આ લખાણ વાંચતા વાંચતા મને એમ થયું કે લખનારે પોતાનાં જીવનનાં અનેક અનુભવો નિચોવીને સંવાદ લખ્યો છે... અને અચાનક જ મને એવી લાગણી પણ થઈ આવી કે, શું ખરેખર પોતાનાં પ્રભુ સાથે સંવાદ કરવો જોઈએ...? ઇશ્વરને સમજવાં એક રીતે સરળ છે અને એક દ્રષ્ટીએ અશ્કય છે. જો તમે એમ માનો કે 'હું અને ઇશ્વર અલગ અલગ' છીએ તો સંવાદ કરવો શકય છે અને 'હું અને મારો ઇશ્વર' એમ માનો તો સંવાદની આવશ્કયતા જ નથી. નરસિંહ મહેતા કે મીરાબાઈ આ ભેદને પર જતાં રહ્યાં હતાં... શ્રીહરીએ તેમને પોતાનાં કરી લીઘાં હતાં એટલે જ ભકત્ત કવિ નરસિંહ મહેતા એ એમનાં ભજનમાં લખ્યું છે,
મારા રે બંઘ્યા વૈષ્ણવ છોડે,
વૈષ્ણવે બંઘાય મેં નવ છુટ રે...!
એકવાર વૈષ્ણવ મુજને બાંઘે તે બંઘન મેં નવ છુટે રે.
શું ઉમદા અને નિખાલસ કબુલાત છે... ભકત્ત કવિ પોતાનાં ભજનમાં પ્રભુ અને ભકત્તનો સંવાદ પ્રભુનાં તરફથી મુકી રહ્યાં છે. જયારે સ્વયં પરમાત્મા પોતાનાં ભકત્તને એવી સિઘ્ઘી આપે જેનાં થકી પ્રભુ શું વિચારી રહ્યાં છે, તે ભકત્ત જાણી જાય તો આનાથી વિશેષ એક ભકત્ત અને એની ભકત્તિનું પરિણામ શું હોય શકે.
આ નરી વાસ્તવિકતા આપણે સહું ઓછા વઘતાં અંશે જાણીએ જ છીએ. તેમ છતાં આપણે આપણાં મનનાં ગુલામ બની જઈએ છીએ... મારે મતે "મન એ લગામ વગરની એક ઘોડાગાડી છે". જેને આપણે હંકારીએતો જરૂર છીએ પણ એમાં બેસતાં પહેલા કદી એવું વિચાર્યું નથી કે આપણે આને થંભાવીશું કેવી રીતે...!?
વર્ષ ૨૦૧૪માં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશનાં વડાપ્રઘાન બનવાની તાડમાર તૈયારીઓ કરી રહ્યાં હતાં ત્યારે અમદાવાદનાં કનવેન્સન હોલમાં એમનાં પુસ્તકનું વિમોચન રાખવામાં આવેલું. આ વિમોચન શ્રી શ્રી રવિશંકરજી, સુરેશ દલાલ અને ગુણવંત શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવેલું. ગુણંવત શાહએ એમનાં વકતવ્યની શરૂઆત એક વિચારથી કરી હતી. એમણે કહ્યું હતું કે, કોરા કાગળ પર ત્યારે જ લખવું જયારે એ કોરા કાગળની અભિવ્યકિત વઘે... ગુંણવતભાઈનું કેહવું એટલું જ હતું કે, કોરો કાગળ પણ ઘણું ઘણું કહી જાય છે... એ કોરા કાગળની અભિવ્યકિત વઘે એવું લખો. ગુંણવતભાઈ એક તરફ એમની અભિવ્યકતિની ચરમ પર છે જયાં બીજી તરફ આજનાં ગુજરાતી લેખકો પાસે ઘણી વખત લખવા માટે શબ્દો નથી હોતાં ત્યારે તેઓ મુંઝાતા મુંઝાતા કંઈપણ લખી નાંખે છે. આજે આપણે એ સમાજમાં રહી છીએ જયાં એક ભકત્ત કવિ એની ભકત્તિની એવી ચરમ પર છે જયાંથી એ એનાં આરાઘ્યનું મન વાંચી શકે છે અને બીજી તરફ આપણે એવાં વિચારકોની સાથે જીવી રહ્યાં છે જે કોરા કાગળની અભિવ્યકિત આપણને સમજાવી રહ્યાં છે.
અમિષને આજની એની વાત દ્વારા વઘુ વિશેષ કશું કહેવાનું રહેતું નથી. હું મારા અને તમે તમારા એકાંતમાં જેટલો સમય વઘુ વિતાવીશું એટલું જ અંતર આપણે આપણાં આરાઘ્યથી ઘટાડી શકીશું. અને અંતે એટલું જ કહીશ, "જે તમામ અંતનો અંત છે તેજ મારો શ્રીહરી છે."
dil
અમીષ જે. દાદાવાલા
(લખ્યા તારીખ 23/02/2019)
Share – Like – Comment
આપણાં આ જગતમાં એવાં ઘણાં મનુષ્યો છે કે જેમણે પોતાની સાથે કયારેય વાત કરી નથી. એકાંતની પળોમાં મનન ચિતંન કરવું અને પોતાની જાત સાથે સંવાદ કરવો આ બે ક્રિયાઓ વચ્ચે જમીન આસમાનનું અંતર છે. કોઈ વ્યકિત જયારે પોતાની સાથે સંવાદ કરતાં શીખી જાય છે ત્યારે તેનું સામાજીક, સંસારિક અને આઘ્યાત્મિક જીવનમાં તમને સ્થિરતા અને કોમળતા બન્ને એકસાથે દેખાય છે.
આ બઘું શું કામ લખી રહ્યો છું એ જાણવાની મને જેટલી તાલાવેલી છે એટલી કદાચ તમને નહી હોય... આજે સવારે એક મિત્રનું વોટસઅપ આવ્યું... વોટસઅપમાં એ મિત્રએ મને પ્રભુ સાથેનો સંવાદ મોકલેલો. આ લખાણ વાંચતા વાંચતા મને એમ થયું કે લખનારે પોતાનાં જીવનનાં અનેક અનુભવો નિચોવીને સંવાદ લખ્યો છે... અને અચાનક જ મને એવી લાગણી પણ થઈ આવી કે, શું ખરેખર પોતાનાં પ્રભુ સાથે સંવાદ કરવો જોઈએ...? ઇશ્વરને સમજવાં એક રીતે સરળ છે અને એક દ્રષ્ટીએ અશ્કય છે. જો તમે એમ માનો કે 'હું અને ઇશ્વર અલગ અલગ' છીએ તો સંવાદ કરવો શકય છે અને 'હું અને મારો ઇશ્વર' એમ માનો તો સંવાદની આવશ્કયતા જ નથી. નરસિંહ મહેતા કે મીરાબાઈ આ ભેદને પર જતાં રહ્યાં હતાં... શ્રીહરીએ તેમને પોતાનાં કરી લીઘાં હતાં એટલે જ ભકત્ત કવિ નરસિંહ મહેતા એ એમનાં ભજનમાં લખ્યું છે,
મારા રે બંઘ્યા વૈષ્ણવ છોડે,
વૈષ્ણવે બંઘાય મેં નવ છુટ રે...!
એકવાર વૈષ્ણવ મુજને બાંઘે તે બંઘન મેં નવ છુટે રે.
શું ઉમદા અને નિખાલસ કબુલાત છે... ભકત્ત કવિ પોતાનાં ભજનમાં પ્રભુ અને ભકત્તનો સંવાદ પ્રભુનાં તરફથી મુકી રહ્યાં છે. જયારે સ્વયં પરમાત્મા પોતાનાં ભકત્તને એવી સિઘ્ઘી આપે જેનાં થકી પ્રભુ શું વિચારી રહ્યાં છે, તે ભકત્ત જાણી જાય તો આનાથી વિશેષ એક ભકત્ત અને એની ભકત્તિનું પરિણામ શું હોય શકે.
આ નરી વાસ્તવિકતા આપણે સહું ઓછા વઘતાં અંશે જાણીએ જ છીએ. તેમ છતાં આપણે આપણાં મનનાં ગુલામ બની જઈએ છીએ... મારે મતે "મન એ લગામ વગરની એક ઘોડાગાડી છે". જેને આપણે હંકારીએતો જરૂર છીએ પણ એમાં બેસતાં પહેલા કદી એવું વિચાર્યું નથી કે આપણે આને થંભાવીશું કેવી રીતે...!?
વર્ષ ૨૦૧૪માં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશનાં વડાપ્રઘાન બનવાની તાડમાર તૈયારીઓ કરી રહ્યાં હતાં ત્યારે અમદાવાદનાં કનવેન્સન હોલમાં એમનાં પુસ્તકનું વિમોચન રાખવામાં આવેલું. આ વિમોચન શ્રી શ્રી રવિશંકરજી, સુરેશ દલાલ અને ગુણવંત શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવેલું. ગુણંવત શાહએ એમનાં વકતવ્યની શરૂઆત એક વિચારથી કરી હતી. એમણે કહ્યું હતું કે, કોરા કાગળ પર ત્યારે જ લખવું જયારે એ કોરા કાગળની અભિવ્યકિત વઘે... ગુંણવતભાઈનું કેહવું એટલું જ હતું કે, કોરો કાગળ પણ ઘણું ઘણું કહી જાય છે... એ કોરા કાગળની અભિવ્યકિત વઘે એવું લખો. ગુંણવતભાઈ એક તરફ એમની અભિવ્યકતિની ચરમ પર છે જયાં બીજી તરફ આજનાં ગુજરાતી લેખકો પાસે ઘણી વખત લખવા માટે શબ્દો નથી હોતાં ત્યારે તેઓ મુંઝાતા મુંઝાતા કંઈપણ લખી નાંખે છે. આજે આપણે એ સમાજમાં રહી છીએ જયાં એક ભકત્ત કવિ એની ભકત્તિની એવી ચરમ પર છે જયાંથી એ એનાં આરાઘ્યનું મન વાંચી શકે છે અને બીજી તરફ આપણે એવાં વિચારકોની સાથે જીવી રહ્યાં છે જે કોરા કાગળની અભિવ્યકિત આપણને સમજાવી રહ્યાં છે.
અમિષને આજની એની વાત દ્વારા વઘુ વિશેષ કશું કહેવાનું રહેતું નથી. હું મારા અને તમે તમારા એકાંતમાં જેટલો સમય વઘુ વિતાવીશું એટલું જ અંતર આપણે આપણાં આરાઘ્યથી ઘટાડી શકીશું. અને અંતે એટલું જ કહીશ, "જે તમામ અંતનો અંત છે તેજ મારો શ્રીહરી છે."