જિંદગી જીવવાના બે રસ્તા છે. એક છે જીવન જ્યાં લઈ જાય ત્યાં વહેતું જવું અને બીજો રસ્તો છે જિંદગીમાં ખૂબ ઊંચો ગોલ રાખી તેને હાસિલ કરવા માટે જિંદગીને દાવ પર લગાવી દેવી. આ ગોલ ખૂબ પૈસા કમાવવા, કરોડો – અબજો રૂપિયા ભેગા કરવા, ખૂબ મોટા ઉધ્યોગપતિ થવું, ખૂબ સત્તા હાંસલ કરવી, કહો કે ભારતના વડાપ્રધાન થવું, ખૂબ નામ કમાવવું એ પણ એક ગોલ હોઇ શકે. ગીતામાં તો કહ્યું છે કે, બાકી તો બધા મોહ છૂટવા સહેલા છે પણ નામની પ્રસિધ્ધિનો મોહ છોડવો સૌથી અઘરું કામ છે. કોઈને જિંદગીમાં એવી સેવા કરવી છે કે સમાજ સેવા માટે ભારતરત્ન, મેગેસેસ ઍવોર્ડ કે નોબલ પારિતોષીક મળી જાય તો પણ ઓછું પડે.
મજાની વાત તો એ છે કે ઘરમાં સંતાન જન્મે અને બોલતું થાય કે સૌથી પહેલા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન હોય છે. “ બેટા તારે શું થવું છે?” એટ્લે એને નાનપણથી જ સમજાઈ જાય છે કે, મારે જિંદગીમાં કશું ક તો થવાનું જ છે. માં-બાપ ડોક્ટર હોય તો બેટા એ ડોક્ટર થવાનું નક્કી કરી દેવામાં આવે છે. નેતાનો પુત્ર નેતા જ થાય ત્યારે એને વંશવાદ કહીને વખોડીએ તો પણ એ વાત સમાજમાં ચાલતી જ રહેવાની છે.
સ્કૂલમાં પણ શીખવાડાય છે કે, “ નિશાન ચૂક માફ પણ નીચું નિશાન માફ નહીં”. દરેક માં-બાપની ખ્વાહિશ હોય કે મારૂ સંતાન દરેક વાતમાં પહેલું જ આવે. આમ જનમતાની સાથે જ દરેક સંતાનને એક ક્યારે ય પુરી ના થાય તેવી મેરેથોન દોડ માં સામેલ કરી દેવાય છે. બસ એને દોડતા જ રહેવાનુ જીંદગીભર.
જે કોર્પોરેટર થયો એને ધારાસભ્ય થવું છે. ધારાસભ્યને પ્રધાન થવું છે. તે પણ પાછા કેબિનેટ પ્રધાન અને વહેલા મોડા મુખ્યમંત્રી થવાની અમર આશા લઈને એ જીવતો રહે છે. આમ જિંદગીમાં દરેકને જ્યાં છે ત્યાથી વધુ ઊંચે, વધુ આગળ વધતાં રહેવું છે. પછી ભલે જિંદગી ઢ્સરડો થઈ જાય.
બીજા કરતાં મારી પાસે વધુ ડિગ્રીઓ હોવી જોઈએ, સૌથી ઊંચી પોઝિશન હોવી જોઈએ, વધુમાં વધુ પ્રસિધ્ધિ હોવી જોઈએ, પત્ની પણ ભણેલી, બધા કરતાં વધુ દેખવાડી અને સ્માર્ટ જ હોવી જોઈએ, આમ માનવીને ક્યાય રોકાવું નથી.
આ સદીમાં ઇ.એમ.આઈ. એટ્લે કે હપ્તેથી જેમાં વ્યાજ તો ખરું જ, દરેક વસ્તુ ખરીદી શકો છો તે પણ ઇઝી ઈન્સ્ટોલ્મેંટથી. ત્યારે દરેકને થાય છે દુનિયાના બધા સુખ – સાધનો ખરીદી લઉં.
આમ જિંદગીમાં કોઈ ગોલ પૂરો પણ થાય છે. ત્યાં તો તેનાથી પણ વધુ ઊંચો ગોલ તૈયાર જ હોય છે.
આ પ્રકારની જિંદગી જીવવાને આપણે ધ્યેય પ્રાપ્તિની યાત્રા કહીશું. મજાની વાત તો એ છે કે જિંદગીમાં કોઈ ધ્યેય પ્રાપ્ત થતો જ નથી જ્યારે લાગે છે કે ધ્યેય પ્રાપ્ત કરી લીધો છે ત્યારે બીજો ધ્યેય સામે ઊભો જ હોય છે.
એક નાનકડી વાર્તા છે, એક ગરીબ માણસને રાજાએ કહ્યું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તું જેટલું દોડીને પાછો આવીશ એટલી જમીન તને આપીશ. એ ગરીબ માણસ બસ દોડતો જ રહ્યો, ના પાણી પીવા રોકાયો, ના થાક ખાવા. સૂર્યાસ્ત થવાના સમયે ખૂબ દૂર સુધી દોડ્યો અને ત્યાં જ ભૂખ – થાકથી મૃત્યુ પામ્યો. આ કોઈ એક ગરીબ માણસની નહીં આપણાં સૌની વાત છે.
જિંદગીમાં જીવવાનો બીજો રસ્તો છે, જિંદગી તમને જ્યાં લઈ જાય ત્યાં વહેતું જવાનો. આજના મેનેજમેંટ ગુરુઓ ભલે સહમત ના થાય પણ આજ સાચો રસ્તો છે.
જો કોઈ આપણને કહે કે, કેવડીયા કોલોનીથી ભરુચ વચ્ચેની નર્મદા નદીમાં તરવાનું છે. તો આપણાં માટે બે રસ્તા છે. એક કેવડીયા કોલોનીથી નર્મદાજીમાં પડી, ભરુચ સુધી નર્મદાજીના પ્રવાહની સાથે તરતા જવાનો. અને બીજો રસ્તો છે ભરુચથી નર્મદામાં પડી સામા પ્રવાહે ભરુચથી કેવડીયા જવાનો. આપ જરૂર સહમત થશો કે કેવડીયાથી ભરુચ તરવામાં ડાહપણ છે. કારણકે નદીના પ્રવાહમાં પડ્યા રહીશું તો પણ ભરુચ પહોંચી જવાશે. જ્યારે ભરુચથી સામા પ્રવાહે તરવામાં મૂર્ખામી છે.
ઉપરની વાત સાથે આપ પણ સહમત થશો પણ જ્યારે જિંદગી જીવવાની વાત આવે છે ત્યારે મોટા મોટા સ્વપ્ન અને ધ્યેયપ્રાપ્તિના ગોલ ઊભા કરી દઈએ છીએ. કહેવાનો મતલબ એ નથી કે જિંદગીમાં કશું પ્રાપ્ત કરવા જેવુ નથી. જિંદગીમાં મોટામાં મોટી સિધ્ધિઓ પ્રાપ્ત કરો પણ એના માટે ગંદી દોટ ના મૂકો. જિંદગીમાં જે સહજ રીતે મળે તેનો સ્વીકાર કરતાં જાઓ. યાદ રાખો જિંદગી જીવવાનો અર્થ આનંદસભર જીવન જીવવાનો છે. જિંદગીને ઝેર જેવી બનાવી સફળતા મેળવવાનો શો અર્થ છે? જે સફળતા જિંદગીમાં આનંદ-શાંતિના ભોગે આવે તે સફળતા શી કામની. કારણકે આખી જિંદગીના દોટ તો આનદ અને શાંતિ મેળવવા માટે જ છે.
કહેવાનો અર્થ એ નથી કે તમે ભણવામાં બહુ હોશિયાર છો તો ડોક્ટર, વકીલ કે IAS બનવાનો પ્રયાસ ના કરો. જરૂર કરો. તમે સારા કવિ છો તો પ્રસિધ્ધિ પ્રાપ્ત ના કરો. તમે હોશિયાર વેપારી છો તો પૈસા ભેગા ના કરો. પરંતુ બાહ્ય સફળતા મેળવવા જિંદગીને અસ્ત-વ્યસ્ત – રફેદફે ના કરી નાખો કારણકે જ્યારે જિંદગી સાર્થકતા ઘુમાવી બેસે તેવી સફળતાનો શો અર્થ?
જિંદગી જીવવાના બે રસ્તા છે. એક છે જીવન જ્યાં લઈ જાય ત્યાં વહેતું જવું અને બીજો રસ્તો છે જિંદગીમાં ખૂબ ઊંચો ગોલ રાખી તેને હાસિલ કરવા માટે જિંદગીને દાવ પર લગાવી દેવી. આ ગોલ ખૂબ પૈસા કમાવવા, કરોડો – અબજો રૂપિયા ભેગા કરવા, ખૂબ મોટા ઉધ્યોગપતિ થવું, ખૂબ સત્તા હાંસલ કરવી, કહો કે ભારતના વડાપ્રધાન થવું, ખૂબ નામ કમાવવું એ પણ એક ગોલ હોઇ શકે. ગીતામાં તો કહ્યું છે કે, બાકી તો બધા મોહ છૂટવા સહેલા છે પણ નામની પ્રસિધ્ધિનો મોહ છોડવો સૌથી અઘરું કામ છે. કોઈને જિંદગીમાં એવી સેવા કરવી છે કે સમાજ સેવા માટે ભારતરત્ન, મેગેસેસ ઍવોર્ડ કે નોબલ પારિતોષીક મળી જાય તો પણ ઓછું પડે.
મજાની વાત તો એ છે કે ઘરમાં સંતાન જન્મે અને બોલતું થાય કે સૌથી પહેલા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન હોય છે. “ બેટા તારે શું થવું છે?” એટ્લે એને નાનપણથી જ સમજાઈ જાય છે કે, મારે જિંદગીમાં કશું ક તો થવાનું જ છે. માં-બાપ ડોક્ટર હોય તો બેટા એ ડોક્ટર થવાનું નક્કી કરી દેવામાં આવે છે. નેતાનો પુત્ર નેતા જ થાય ત્યારે એને વંશવાદ કહીને વખોડીએ તો પણ એ વાત સમાજમાં ચાલતી જ રહેવાની છે.
સ્કૂલમાં પણ શીખવાડાય છે કે, “ નિશાન ચૂક માફ પણ નીચું નિશાન માફ નહીં”. દરેક માં-બાપની ખ્વાહિશ હોય કે મારૂ સંતાન દરેક વાતમાં પહેલું જ આવે. આમ જનમતાની સાથે જ દરેક સંતાનને એક ક્યારે ય પુરી ના થાય તેવી મેરેથોન દોડ માં સામેલ કરી દેવાય છે. બસ એને દોડતા જ રહેવાનુ જીંદગીભર.
જે કોર્પોરેટર થયો એને ધારાસભ્ય થવું છે. ધારાસભ્યને પ્રધાન થવું છે. તે પણ પાછા કેબિનેટ પ્રધાન અને વહેલા મોડા મુખ્યમંત્રી થવાની અમર આશા લઈને એ જીવતો રહે છે. આમ જિંદગીમાં દરેકને જ્યાં છે ત્યાથી વધુ ઊંચે, વધુ આગળ વધતાં રહેવું છે. પછી ભલે જિંદગી ઢ્સરડો થઈ જાય.
બીજા કરતાં મારી પાસે વધુ ડિગ્રીઓ હોવી જોઈએ, સૌથી ઊંચી પોઝિશન હોવી જોઈએ, વધુમાં વધુ પ્રસિધ્ધિ હોવી જોઈએ, પત્ની પણ ભણેલી, બધા કરતાં વધુ દેખવાડી અને સ્માર્ટ જ હોવી જોઈએ, આમ માનવીને ક્યાય રોકાવું નથી.
આ સદીમાં ઇ.એમ.આઈ. એટ્લે કે હપ્તેથી જેમાં વ્યાજ તો ખરું જ, દરેક વસ્તુ ખરીદી શકો છો તે પણ ઇઝી ઈન્સ્ટોલ્મેંટથી. ત્યારે દરેકને થાય છે દુનિયાના બધા સુખ – સાધનો ખરીદી લઉં.
આમ જિંદગીમાં કોઈ ગોલ પૂરો પણ થાય છે. ત્યાં તો તેનાથી પણ વધુ ઊંચો ગોલ તૈયાર જ હોય છે.
આ પ્રકારની જિંદગી જીવવાને આપણે ધ્યેય પ્રાપ્તિની યાત્રા કહીશું. મજાની વાત તો એ છે કે જિંદગીમાં કોઈ ધ્યેય પ્રાપ્ત થતો જ નથી જ્યારે લાગે છે કે ધ્યેય પ્રાપ્ત કરી લીધો છે ત્યારે બીજો ધ્યેય સામે ઊભો જ હોય છે.
એક નાનકડી વાર્તા છે, એક ગરીબ માણસને રાજાએ કહ્યું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તું જેટલું દોડીને પાછો આવીશ એટલી જમીન તને આપીશ. એ ગરીબ માણસ બસ દોડતો જ રહ્યો, ના પાણી પીવા રોકાયો, ના થાક ખાવા. સૂર્યાસ્ત થવાના સમયે ખૂબ દૂર સુધી દોડ્યો અને ત્યાં જ ભૂખ – થાકથી મૃત્યુ પામ્યો. આ કોઈ એક ગરીબ માણસની નહીં આપણાં સૌની વાત છે.
જિંદગીમાં જીવવાનો બીજો રસ્તો છે, જિંદગી તમને જ્યાં લઈ જાય ત્યાં વહેતું જવાનો. આજના મેનેજમેંટ ગુરુઓ ભલે સહમત ના થાય પણ આજ સાચો રસ્તો છે.
જો કોઈ આપણને કહે કે, કેવડીયા કોલોનીથી ભરુચ વચ્ચેની નર્મદા નદીમાં તરવાનું છે. તો આપણાં માટે બે રસ્તા છે. એક કેવડીયા કોલોનીથી નર્મદાજીમાં પડી, ભરુચ સુધી નર્મદાજીના પ્રવાહની સાથે તરતા જવાનો. અને બીજો રસ્તો છે ભરુચથી નર્મદામાં પડી સામા પ્રવાહે ભરુચથી કેવડીયા જવાનો. આપ જરૂર સહમત થશો કે કેવડીયાથી ભરુચ તરવામાં ડાહપણ છે. કારણકે નદીના પ્રવાહમાં પડ્યા રહીશું તો પણ ભરુચ પહોંચી જવાશે. જ્યારે ભરુચથી સામા પ્રવાહે તરવામાં મૂર્ખામી છે.
ઉપરની વાત સાથે આપ પણ સહમત થશો પણ જ્યારે જિંદગી જીવવાની વાત આવે છે ત્યારે મોટા મોટા સ્વપ્ન અને ધ્યેયપ્રાપ્તિના ગોલ ઊભા કરી દઈએ છીએ. કહેવાનો મતલબ એ નથી કે જિંદગીમાં કશું પ્રાપ્ત કરવા જેવુ નથી. જિંદગીમાં મોટામાં મોટી સિધ્ધિઓ પ્રાપ્ત કરો પણ એના માટે ગંદી દોટ ના મૂકો. જિંદગીમાં જે સહજ રીતે મળે તેનો સ્વીકાર કરતાં જાઓ. યાદ રાખો જિંદગી જીવવાનો અર્થ આનંદસભર જીવન જીવવાનો છે. જિંદગીને ઝેર જેવી બનાવી સફળતા મેળવવાનો શો અર્થ છે? જે સફળતા જિંદગીમાં આનંદ-શાંતિના ભોગે આવે તે સફળતા શી કામની. કારણકે આખી જિંદગીના દોટ તો આનદ અને શાંતિ મેળવવા માટે જ છે.
કહેવાનો અર્થ એ નથી કે તમે ભણવામાં બહુ હોશિયાર છો તો ડોક્ટર, વકીલ કે IAS બનવાનો પ્રયાસ ના કરો. જરૂર કરો. તમે સારા કવિ છો તો પ્રસિધ્ધિ પ્રાપ્ત ના કરો. તમે હોશિયાર વેપારી છો તો પૈસા ભેગા ના કરો. પરંતુ બાહ્ય સફળતા મેળવવા જિંદગીને અસ્ત-વ્યસ્ત – રફેદફે ના કરી નાખો કારણકે જ્યારે જિંદગી સાર્થકતા ઘુમાવી બેસે તેવી સફળતાનો શો અર્થ?