આપણે રોજ એક ની એક જિંદગી જીવતા હોઈએ છીએ. મોટે ભાગે આપણી દિનચર્યા એક ની એક હોય છે. બસ એક રુટીન જીંદગી. આપણે ઘડિયાળના ગુલામ બની ગયા છીએ.લાગે છે કે આપણે ઘાંચીની ઘાણીમાં જોતરાયેલ બળદની જેમ બસ ચાલ્યા તો કરીએ છીએ પણ પોંહચતા કસે નથી. ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફર્યા કરીએ છે. હા, જીંદગીમાં રૂપિયા આવતા રહે છે અને આપણે ખર્ચતા રહીએ છે. અને આપણે એને જ જીંદગી માની બેઠા છીએ.
આપણે કશું નવું કરવા માંગતા નથી. વરસમાં એક વાર પ્રવાસે ઉપડી જઈયે છે અને રુટીન જિંદગીથી બ્રેક લેવાનો આનંદ માણીએ છે. કોઈક લગ્નપ્રસંગ કે બર્થડેમાં જઈએ છે અને થોડા કલાકો માટે એક ટેમ્પરરી આનંદ જિંદગીમાં આવી જાય છે.
આપણે જ્યારે કોઈની પાસે સાંભળીયે કે, યોગ કરો, સંગીત સાંભળો કે શીખો, સ્વીમિંગ કરો, દોડવા જાઓ, તો આપણી પાસે એક જ જવાબ હોય છે, મારી પાસે સમય જ ક્યાં છે? જ્યાં સુધી મિત્રો કે સ્નેહીયો આવી સલાહ આપે છે ત્યાં સુધી તો ઠીક છે, પણ એક દિવસ ડોક્ટર કહે છે, કે યોગ કરો, દોડવા જાઓ, સ્વીમિંગ કરો નહી તો તબિયત બગડતી જશે. તમને હાઈ બ્લડપ્રેસર અને ડાયાબીટીસ છે, વજન પણ ખુબ વધારે છે. હવે તમે તમારા શરીર માટે સમય નહી કાઢો તો પસ્તાવાનો વારો આવશે.
તે વખતે પણ આપણે શું કરી શકીએ? નોકરી-ધંધો દિવસ ના ૧૦ કલાક ખાઈ જાય છે અને ૮ કલાક ઊંઘવાના અને બાકીના ૬ કલાક નાહતા-ધોતા અને રુટીન કામમાં. હવે કહો કે પોતાની જાત માટે સમય કઈ રીતે કાઢીએ?
પોતાની જાત માટે સમય કાઢવાનો એક રસ્તો છે અને તમે તે બહુ બધી વાર અજમાવી ચૂકયા છો. તમે સવારના ૮ વાગે ઉઠો છો તેને બદલે સવારના ૫ વાગે ઉઠો તો તમને તમારી જાત માટે ૩ કલાક વધારાના મળી જાય, અને તમે ખૂબ પ્રયત્ન પણ કર્યા વહેલા ઉઠવા માટે. રાતે ઊંઘતી વખતે એલાર્મ મૂકીને સુઈ જાવ છો. પાક્કો નિર્ણય કરીને જ સુઈ જાવ છો કે કાલે સવારે ૫ વાગે ઉઠી જ જવું છે અને પછી મોર્નિંગ વોક કરવા જવું છે. સવારના એલાર્મ વાગે છે અને અચાનક તમારો હાથ એલાર્મ બંધ કરી દે છે અને મન કહે છે કે હવે કાલથી ચોક્કસ ઉઠીશુ, આજે સુઈ જવા દો. અને પછી એ સવાર આવતી નથી અને વહેલા ઉઠાતું નથી. ખૂબ પ્રયત્ન નિષ્ફળ જાય છે અને પછી નક્કી કરી લઈએ છીએ કે આપણાથી વહેલું ઉઠાસે નહી. આપણા જીન્સમાં જ કોઈ તકલીફ છે.
આપની વાત સાચી છે, જીંદગીના ૪૦ વરસ ૮-૯ વાગે ઉઠ્યા છો હવે પાંચ વાગે કેવી રીતે ઉઠી શકાય? તમને મોડા ઉઠવાની આદત પડી ગઈ છે અને એ આદત જવાનું નામ લેતી નથી. એ આદત તમે જે રીતે સુધારવા માંગો છો એ રીતે તો નહિ જ સુધરે. કારણ કે તમે ખોટી દિશામાં પ્રયાસ કરી રહ્યા છો.
પેહલી વાત સમજો કે તમે જ્યારે રાત્રે વહેલા ઉઠવાનો નિર્ણય કરી એલાર્મ મુકો છો ત્યારે તમારું એક મન આ નીર્ણય લઇ રહ્યું છે. જ્યારે સવારના એલાર્મ વાગે છે, તમારું બીજું મન કહી રહ્યું છે કે આજે સુઈ જાવ કાલથી ઉઠીશું. એટલે તમારો નિર્ણય બદલાઈ જાય છે. આદતવશ પાછા સુઈ જાવ છો. આ રીતે વાત નહિ બને. એનું એક બીજું પણ કારણ છે એ સમજવા જેવું છે. સવારે તમે હોશમાં નથી હોતા - ઊંઘની બેહોશીમાં હોવ છો. માટે તમે રાતના નિર્ણયનો અમલ કરી શકતા નથી. જયારે તમે જાગતા હો છો ત્યારે પણ તમે તમારા મન કે શરીર પાસે તમારી ઈચ્છા પ્રમાણે કામ લઇ શકતા નથી તો ઊંઘની બેહોશીમાં કઈ રીતે તમારી ઈચ્છા પ્રમાણે મન અને શરીર પાસે કામ કરાવશો?
આ રીતે તમે કોઈ પણ સંજોગોમાં તમારી ઈચ્છા પ્રમાણે ઉઠી શકવાના નથી એવું સ્વીકારી લો અને એવા પ્રયાસો બંધ કરી દો, એ થવાનું નથી.
જો તમારે સવારે વહેલા ઉઠવું જ છે તો તમારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરવાને બદલે વહેલા સુવાનો પ્રયાસ કરવાની જરૂર છે. યાદ રાખો તમે વહેલા સુવાની આદત પાડશો એટલે તમે વગર પ્રયત્ને સવારના વહેલા ઉઠવા માંડશો. અને એ પણ એલાર્મ મુક્યા વગર!
આમ પણ એલાર્મ મુકીને ઉઠવાની આદત પણ ખોટી આદત છે.કુદરતના નિયમ વિરુધ છે. ઊંઘ ત્રણ પ્રકારની હોય છે. ૧-લાઈટ-હળવી ઊંઘ. ૨-ડીપ-ઊંડી ઊંઘ. ૩-સ્વપ્નમય ઊંઘ. એલાર્મ વાગે ત્યારે જો તમે ડીપ-ઊંડી ઊંઘમાંથી કે સ્વપ્નમય ઊંઘમાંથી ઉઠી જસો તો તમારા મનને આઘાત લાગશે અને તમે ગમે તેટલું ઊંઘ્યા હશો તો પણ દિવસભર બેચેન રહેશો. માટે ખૂબ જરૂરી હોય તો જ એલાર્મ મુકવાનું રાખો.
તો તમારે વહેલા ઉઠવા માટે એક જ કામ કરવાનું છે, રાતના ૮-૩૦ વાગ્યા સુધી બધા જ કામ પરવારી જાવ.પછી જેટલી વાર ધ્યાનમાં બેસાય એટલી વાર ધ્યાનમાં બેસવું અને પછી પડખું ફેરવીને સુઈ જવાનું. જો તમે રાત ના ૯ વાગે સુઈ જવા માંડશો તો સવારના ૪ વાગે વગર એલાર્મએ ઉઠી જશો. કદાચ એથી પણ વહેલા. હવે તમારી પાસે ૩-૪ કલાક છે. યોગ, કસરત, સ્વીમીંગ, વોકીગ કરવા. આ સમયનો ઉપયોગ વાચવા અને પ્રભુભક્તિમાં પણ કરી શકશો.
તો તમે મોડી રાત સુધી બકવાસ ટી.વી. સીરીયલો જોવાનું છોડ્યું. મિત્રો સાથે ગપ્પા મારવાનું છોડ્યું મોડું જમવાનું છોડ્યું. સાચી વાત જો આપ રાતના ૯ વાગે સુવા માંગતા હોવ તો સાંજનાં ૭ પહેલા જમી લેવું પડશે. આમ રાતના ૮ થી ૧૨ સુધી સમય બરબાદ કરતા હતા તે સમય તમે વહેલી સવારના એન-કેશ કરી લીધો. હવે કહેતા નહિ કે મારાથી વહેલું ઉઠાતું નથી કે મારી પાસે મારી માટે સમય નથી.
આપણે રોજ એક ની એક જિંદગી જીવતા હોઈએ છીએ. મોટે ભાગે આપણી દિનચર્યા એક ની એક હોય છે. બસ એક રુટીન જીંદગી. આપણે ઘડિયાળના ગુલામ બની ગયા છીએ.લાગે છે કે આપણે ઘાંચીની ઘાણીમાં જોતરાયેલ બળદની જેમ બસ ચાલ્યા તો કરીએ છીએ પણ પોંહચતા કસે નથી. ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફર્યા કરીએ છે. હા, જીંદગીમાં રૂપિયા આવતા રહે છે અને આપણે ખર્ચતા રહીએ છે. અને આપણે એને જ જીંદગી માની બેઠા છીએ.
આપણે કશું નવું કરવા માંગતા નથી. વરસમાં એક વાર પ્રવાસે ઉપડી જઈયે છે અને રુટીન જિંદગીથી બ્રેક લેવાનો આનંદ માણીએ છે. કોઈક લગ્નપ્રસંગ કે બર્થડેમાં જઈએ છે અને થોડા કલાકો માટે એક ટેમ્પરરી આનંદ જિંદગીમાં આવી જાય છે.
આપણે જ્યારે કોઈની પાસે સાંભળીયે કે, યોગ કરો, સંગીત સાંભળો કે શીખો, સ્વીમિંગ કરો, દોડવા જાઓ, તો આપણી પાસે એક જ જવાબ હોય છે, મારી પાસે સમય જ ક્યાં છે? જ્યાં સુધી મિત્રો કે સ્નેહીયો આવી સલાહ આપે છે ત્યાં સુધી તો ઠીક છે, પણ એક દિવસ ડોક્ટર કહે છે, કે યોગ કરો, દોડવા જાઓ, સ્વીમિંગ કરો નહી તો તબિયત બગડતી જશે. તમને હાઈ બ્લડપ્રેસર અને ડાયાબીટીસ છે, વજન પણ ખુબ વધારે છે. હવે તમે તમારા શરીર માટે સમય નહી કાઢો તો પસ્તાવાનો વારો આવશે.
તે વખતે પણ આપણે શું કરી શકીએ? નોકરી-ધંધો દિવસ ના ૧૦ કલાક ખાઈ જાય છે અને ૮ કલાક ઊંઘવાના અને બાકીના ૬ કલાક નાહતા-ધોતા અને રુટીન કામમાં. હવે કહો કે પોતાની જાત માટે સમય કઈ રીતે કાઢીએ?
પોતાની જાત માટે સમય કાઢવાનો એક રસ્તો છે અને તમે તે બહુ બધી વાર અજમાવી ચૂકયા છો. તમે સવારના ૮ વાગે ઉઠો છો તેને બદલે સવારના ૫ વાગે ઉઠો તો તમને તમારી જાત માટે ૩ કલાક વધારાના મળી જાય, અને તમે ખૂબ પ્રયત્ન પણ કર્યા વહેલા ઉઠવા માટે. રાતે ઊંઘતી વખતે એલાર્મ મૂકીને સુઈ જાવ છો. પાક્કો નિર્ણય કરીને જ સુઈ જાવ છો કે કાલે સવારે ૫ વાગે ઉઠી જ જવું છે અને પછી મોર્નિંગ વોક કરવા જવું છે. સવારના એલાર્મ વાગે છે અને અચાનક તમારો હાથ એલાર્મ બંધ કરી દે છે અને મન કહે છે કે હવે કાલથી ચોક્કસ ઉઠીશુ, આજે સુઈ જવા દો. અને પછી એ સવાર આવતી નથી અને વહેલા ઉઠાતું નથી. ખૂબ પ્રયત્ન નિષ્ફળ જાય છે અને પછી નક્કી કરી લઈએ છીએ કે આપણાથી વહેલું ઉઠાસે નહી. આપણા જીન્સમાં જ કોઈ તકલીફ છે.
આપની વાત સાચી છે, જીંદગીના ૪૦ વરસ ૮-૯ વાગે ઉઠ્યા છો હવે પાંચ વાગે કેવી રીતે ઉઠી શકાય? તમને મોડા ઉઠવાની આદત પડી ગઈ છે અને એ આદત જવાનું નામ લેતી નથી. એ આદત તમે જે રીતે સુધારવા માંગો છો એ રીતે તો નહિ જ સુધરે. કારણ કે તમે ખોટી દિશામાં પ્રયાસ કરી રહ્યા છો.
પેહલી વાત સમજો કે તમે જ્યારે રાત્રે વહેલા ઉઠવાનો નિર્ણય કરી એલાર્મ મુકો છો ત્યારે તમારું એક મન આ નીર્ણય લઇ રહ્યું છે. જ્યારે સવારના એલાર્મ વાગે છે, તમારું બીજું મન કહી રહ્યું છે કે આજે સુઈ જાવ કાલથી ઉઠીશું. એટલે તમારો નિર્ણય બદલાઈ જાય છે. આદતવશ પાછા સુઈ જાવ છો. આ રીતે વાત નહિ બને. એનું એક બીજું પણ કારણ છે એ સમજવા જેવું છે. સવારે તમે હોશમાં નથી હોતા - ઊંઘની બેહોશીમાં હોવ છો. માટે તમે રાતના નિર્ણયનો અમલ કરી શકતા નથી. જયારે તમે જાગતા હો છો ત્યારે પણ તમે તમારા મન કે શરીર પાસે તમારી ઈચ્છા પ્રમાણે કામ લઇ શકતા નથી તો ઊંઘની બેહોશીમાં કઈ રીતે તમારી ઈચ્છા પ્રમાણે મન અને શરીર પાસે કામ કરાવશો?
આ રીતે તમે કોઈ પણ સંજોગોમાં તમારી ઈચ્છા પ્રમાણે ઉઠી શકવાના નથી એવું સ્વીકારી લો અને એવા પ્રયાસો બંધ કરી દો, એ થવાનું નથી.
જો તમારે સવારે વહેલા ઉઠવું જ છે તો તમારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરવાને બદલે વહેલા સુવાનો પ્રયાસ કરવાની જરૂર છે. યાદ રાખો તમે વહેલા સુવાની આદત પાડશો એટલે તમે વગર પ્રયત્ને સવારના વહેલા ઉઠવા માંડશો. અને એ પણ એલાર્મ મુક્યા વગર!
આમ પણ એલાર્મ મુકીને ઉઠવાની આદત પણ ખોટી આદત છે.કુદરતના નિયમ વિરુધ છે. ઊંઘ ત્રણ પ્રકારની હોય છે. ૧-લાઈટ-હળવી ઊંઘ. ૨-ડીપ-ઊંડી ઊંઘ. ૩-સ્વપ્નમય ઊંઘ. એલાર્મ વાગે ત્યારે જો તમે ડીપ-ઊંડી ઊંઘમાંથી કે સ્વપ્નમય ઊંઘમાંથી ઉઠી જસો તો તમારા મનને આઘાત લાગશે અને તમે ગમે તેટલું ઊંઘ્યા હશો તો પણ દિવસભર બેચેન રહેશો. માટે ખૂબ જરૂરી હોય તો જ એલાર્મ મુકવાનું રાખો.
તો તમારે વહેલા ઉઠવા માટે એક જ કામ કરવાનું છે, રાતના ૮-૩૦ વાગ્યા સુધી બધા જ કામ પરવારી જાવ.પછી જેટલી વાર ધ્યાનમાં બેસાય એટલી વાર ધ્યાનમાં બેસવું અને પછી પડખું ફેરવીને સુઈ જવાનું. જો તમે રાત ના ૯ વાગે સુઈ જવા માંડશો તો સવારના ૪ વાગે વગર એલાર્મએ ઉઠી જશો. કદાચ એથી પણ વહેલા. હવે તમારી પાસે ૩-૪ કલાક છે. યોગ, કસરત, સ્વીમીંગ, વોકીગ કરવા. આ સમયનો ઉપયોગ વાચવા અને પ્રભુભક્તિમાં પણ કરી શકશો.
તો તમે મોડી રાત સુધી બકવાસ ટી.વી. સીરીયલો જોવાનું છોડ્યું. મિત્રો સાથે ગપ્પા મારવાનું છોડ્યું મોડું જમવાનું છોડ્યું. સાચી વાત જો આપ રાતના ૯ વાગે સુવા માંગતા હોવ તો સાંજનાં ૭ પહેલા જમી લેવું પડશે. આમ રાતના ૮ થી ૧૨ સુધી સમય બરબાદ કરતા હતા તે સમય તમે વહેલી સવારના એન-કેશ કરી લીધો. હવે કહેતા નહિ કે મારાથી વહેલું ઉઠાતું નથી કે મારી પાસે મારી માટે સમય નથી.