(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
રામાયણમાં રામચંદ્રજી અનેક દાનવોના વધ કરે છે તેવી કથાઓ છે. મહાભારતમાં પણ હિડંબા અને બકાસુરની કથા આવે છે. જે બંનેનો વધ ભીમ કરે છે.
પણ હવે શાસ્ત્રો-પુરાણોમાં વર્ણવેલા દાનવો આપણને ક્યાંય દેખાતા નથી. અર્વાચીન ઇતિહાસમાં પણ એમનો કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો.
તો પછી પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તે દાનવો શું માત્ર લેખકોની કલ્પના જ હતી કે પછી દાનવોનો સત્યાનાશ થઈ ગયો? ડાઇનોસોરની જેમ એમની આખી પેઢી જ ખલાસ થઈ ગઈ કે શું?
બહુ ઊંડાણથી વિચારીએ, ત્યારે એવું લાગે છે કે આપણાં મહાભારત કે અન્ય પુરાણોમાં ભલે થોડીઘણી વિસંવાદિતા અને અતિશયોક્તિ હોય તેવું લાગે છે, પણ આપણા ઋષિ-મુનિઓએ એ રીતે તે સમયનો સાચો ચિતાર આપવાનો જ પ્રયાસ કર્યો હતો.
મહાભારતમાં જે સંજયદૃષ્ટિની વાત આવે છે, તે સંજય હસ્તિનાપુરમાં બેઠા-બેઠા મહાભારતનું યુદ્ધ નજરે જોતા હતા અને તેનું લાઇવ ટેલીકાસ્ટ ધૃતરાષ્ટ્રને સંભળાવતા હતા. આજથી સો વર્ષ પહેલાં આ વાત કવિની કલ્પના લાગતી હતી, પરંતુ હવે દરેક ઘરમાં આ સંજયદૃષ્ટિ –ટેલિવિઝન હાજર છે અને આપણે દુનિયાભરની વાતો લાઇવ જોઈ રહ્યા છીએ.
દોઢસો વર્ષ પહેલાં રામાયણનું પુષ્પક વિમાન પણ કલ્પના જ લાગતી હતી. આજે રોજ કરોડો લોકો વિમાનમાં ઊડીને સફર કરતા હોય છે.
તો પછી અતિશક્તિશાળી –ઇચ્છાધારી રૂપ ધારણ કરી શકનાર દાનવો-રાક્ષસો પણ એ જમાનાનું સત્ય હશે જ, તો પછી આ દાનવો-રાક્ષસો ગયા ક્યાં? આજના આપણા આ જમાનામાં દાનવો-રાક્ષસો કેમ દેખાતા નથી?
એ સમયની અન્ય એક વાત પણ મને બહુ આશ્ચર્ય પમાડે છે. આ દાનવો-રાક્ષસોનો ઉલ્લેખ જે પુરાણોમાં છે, તે જ પુરાણોમાં ઋષિઓનો ઉલ્લેખ પણ બહુ આવે છે. આજે એવા ચમત્કારી, દેવો અને ઈશ્વરને પણ “રુક જાવ” કહી દેનાર ઋષિઓ પણ નજરે પડતા નથી. ભૃગુ ઋષિની કથા છે કે, તેમણે વિષ્ણુ ભગવાનને પણ લાત મારી દીધી હતી અને રામ, કૃષ્ણ અને દેવો પણ દુર્વાસા ઋષિના શ્રાપથી ગભરાતા હતા. રામ-લક્ષ્મણનાં મૃત્યુ સાથે દુર્વાસા ઋષિ જોડાયેલા હતા.
આ બંને બાબતોની સામ્યતા મને બહુ રોમાંચિત કરી રહી છે કે, દાનવો અને ઋષિઓ સમકાલીન હતા. અને જે રીતે અતિ શક્તિશાળી ઋષિઓ પૃથ્વી પર નથી, તેની સાથે-સાથે દાનવો પણ પૃથ્વી પર નથી.
તો પછી ઋષિ અને દાનવોને જોડતી કોઈ કડી હોઈ શકે? આ વાતનો જવાબ કાંઈક આવો હોય એવું મને લાગે છે.
પણ એ પહેલાં, આપણે મન અંગે થોડુ સમજી લઈએ. આપણા શરીરમાં એક અંગ તરીકે મગજ-બ્રેઇન તો નજરે પડે છે, પણ મન નામનાં અંગને શરીરમાં શોધી શકાય એમ નથી. અને તો પણ આપણે મનનો ઇન્કાર કરી શકીએ તેમ નથી. કારણ કે વિચારવાનું, નિર્ણય લેવાનું, એકઠી થયેલ તમામ વાતો-માહિતીનો તાળો બેસાડવાનું કામ શરીરમાં કોઈક તો કરે જ છે. આપણને આપણાં શરીરમાં, આપણા જ અવાજમાં, માત્ર આપણી જ સાથે વાત કરતા મનનો અનુભવ છે જ.
સારા-નરસા નિર્ણયો, એનું આયોજન, એનો અમલ, આ બધું મન જ કરાવે છે. આ મન એટલું બધું શક્તિશાળી છે કે, તમે જ્યારે બુદ્ધિથી કોઈ નવું કામ કરો છો ત્યારે બે-ચાર વારનાં પુનરાવર્તન પછી એ કામ મન પોતે જ સંભાળી લેતું હોય છે.
હવે આપણા ઋષિ-મુનિઓ પોતાનાં તપ, યોગ, યજ્ઞ, હોમ-હવન દ્વારા અને કોઈ ખાસ જ્ઞાન દ્વારા, પોતાનાં મનમાં જે નેગેટિવ ભાવ છે, મનની જે નકારાત્મક, સંશયાત્મક શક્તિઓ છે તેને પોતાનાં મનની પોઝિટિવ –સકારાત્મક શક્તિથી છૂટી પાડી દેતા હતા. એટલે કે મનને તેઓ બે ભાગમાં વહેંચી દેતા હતા. સકારાત્મક મન અને નકારાત્મક મન. પછી કોઈક યૌગિક પ્રકિયા દ્વારા તેઓ પોતાનાં જ નકારાત્મક મનને શરીરમાંથી બહાર ફેંકી દેતા હતા.
આ પછી ઋષિ-મુનિઓમાં જે રહેતું, તે પ્રચંડ તાકાતવાન સકારાત્મક મન. આ મનમાં સંશયવૃત્તિનો તદ્દન અભાવ રહેતો. તેમના મનમાં નકારાત્મકતાનો એકપણ અંશ ન હોવાથી કોઈ પણ નિર્ણય પર પહોંચવા માટે તેમણે કોઈ દ્વંદ્વનો સામનો કરવો પડતો ન હતો.
માત્રને માત્ર હકારાત્મક વિચારોથી ભરપૂર ઋષિ-મુનિઓનું મન તેમને દેવતુલ્ય-ઈશ્વરતુલ્ય બનાવી દેતું હતું.
આપણે આપણી જિંદગીનું પૃથક્કરણ કરીએ તો ખબર પડશે કે જિંદગીમાં કોઈ પણ મોટો નિર્ણય લેવાનો સમય આવે ત્યારે આપણું મન આપણી સામે ત્રણ-ચાર વિકલ્પો સૂચવતું હોય છે અને પછી મન સંશયાત્મક હોવાથી આપણે કોઈ એક નિર્ણય પર જલ્દી પહોંચી શકતાં નથી; અને આખરે જે નિર્ણય લેવાય તે ખોટો નિર્ણય લેવાય અને સરવાળે આપણે નસીબ-સમય સામે હારી જઈએ, ઊર્જા ગુમાવી હતાશ અને નિરાશ થઈ જઈએ. પરંતુ સકારાત્મક માનસિક ઊર્જાથી ભરેલા ઋષિ-મુનિઓ સામાન્ય મનુષ્ય જે ન કરી શકે તેવાં અનેક પરાક્રમો-કાર્યો સરળતાપૂર્વક કરી શકતા.
આપણા આવા ઋષિઓએ પૃથ્વી પરથી જ, કોઈ પણ જાતનાં સાધનની મદદ વગર આખાં બ્રહ્માંડનાં રહસ્યો ઊકેલી નાખ્યાં હતાં. સાતે લોકમાં સદેહે જવા-આવવાની તાકાત તેમણે મેળવી લીધી હતી.
હવે ઋષિઓએ પોતાનાં શરીરમાંથી જે નકારાત્મક સંશયાત્મક મનને બહાર ફેંકી દીધું હતું તેનું શું થયું?
યાદ રહે કે, આમ શરીરમાંથી બહાર ફેંકાઈ ગયેલ નકારાત્મક મનમાં પણ અનંત વિકૃતિઓ, હિંસા, પરપીડન જેવી વૃત્તિઓ ભેગી થઈ હોય છે. આ નકારાત્મક શક્તિઓ હકારાત્મક શક્તિઓ કરતાં પણ વધુ વિધ્વંસકારી છે, પ્રચંડ તાકાતથી, એનર્જીથી ભરપૂર છે અને કોઈ શારીરિક બંધનથી બંધાયેલું નથી, તેના ઉપર કોઈ શારીરિક મર્યાદા નથી. ગમે તેટલા મજબૂત મનનો માણસ એક ટનની શીલા ઉપાડી ન શકે. પરંતુ આ એકલું મન જ હોવાથી તેની પર શારીરિક મર્યાદાનાં બંધન લાગુ પડતાં નથી.
એ મન કોઈ ઋષિ-મુનિનું છે, એટલે પણ એની શક્તિ ગજબની છે. એ એકલું મન હોવાથી પોતાને જોઈએ-ગમે તેવા કદરૂપા, બિહામણાં કે સુંદર આકારનું શરીર ધારણ કરી લેવા સ્વતંત્ર છે. મારિચી રાક્ષસે એ જ રીતે સુવર્ણ હરણનું રૂપ ધારણ કરી લીધું હતું.
મન હોવાથી તે અનંતવેગે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક લોકમાંથી બીજા લોકમાં ગતિ કરી શકે છે. એ મનનો એક ભાગ છે એટલે પોતે જ પોતાના અનેક ભાગ કરી અનેક રૂપ ધારણ કરી શકે છે. પહાડ-પર્વત ઊંચકી લઈ શકે છે.
આમ દાનવો જે કાંઈ કરી શકતા હતા તે જોશો તો ખ્યાલ આવશે કે, એકલું મન જે કાંઈ કરી શકતું હતું, તે આ રાક્ષસો કરી શકતા હતા.
હવે એક મજાની વાત કહું જે ઋષિઓ પોતાની શક્તિથી ગમે તે કરવા શક્તિમાન હતા, તે ઋષિઓ તેમનાં યજ્ઞોનો ભંગ કરનાર દાનવો-રાક્ષસોને કશું કરી શકતા ન હતા. જે ઋષિ દર્ભની સળી પર મંત્રનું આહવાન કરી કોઈને પણ મારી નાંખવા સક્ષમ હતા તે ઋષિ દાનવોને કશું જ કરી શકતા નહીં.
બીજી બાજુ જે દાનવો ગમે તે પ્રાણીને ખાઈ જતા, તે ઋષિઓના હવનો અભડાવતા પણ ઋષિ-મુનિઓને મારીને ખાઈ જતા ન હતા.
તો આ બંને વાત પાછળ શું રહસ્ય હશે?
તો વાત એમ હતી કે ઋષિઓને કનડતા રાક્ષસો-દાનવો એ જ ઋષિઓનાં નકારાત્મક મન હતાં, એ ઋષિઓનો જ એક ભાગ હતા. એટલે ઋષિઓ દાનવોનો નાશ કરી શકતા નહીં. કોઈ પોતાની જાતને જ કેવી રીતે મારી શકે?
વાત રહી દાનવોની. દાનવો હવનનો ભંગ કરતા હતા, કારણ કે એમને ખબર હતી કે આ યજ્ઞ-હવન-જપને કારણે જ તેઓ શરીર વગરના થયા છે. શરીરમાંથી બહાર ફેંકાયા છે. તેથી હવનભંગ કરીને તેઓ ઋષિ-મુનિઓને તપમાંથી ચલિત કરવા માગતા હતા, જેથી એ ઋષિ-મુનિનાં શરીરમાં પરત ફરી શકે.
આ દાનવો માટે સૌથી મુશ્કેલ વાત એ હતી કે કામ-વાસના-મદથી ભરેલું એમનું મન દુનિયાનાં તમામ સુખો ભોગવવા આતુર રહેતું, જ્યારે પોતાને દેહ ન હોવાથી તેમણે જે નકલી દેહ ધારણ કરેલા હતા તેનાથી તેઓ ગમે તેટલી કામ-વાસના ભોગવે, તેમને તૃપ્તિ જ થતી નહીં. કદાચ શુદ્ધ, પવિત્ર, સકારાત્મક મનને ઋષિઓએ બહાર ફેકી દીધું હોય, તો તે મન આટલું બધું છટપટત નહીં. પણ કામ-વાસનાથી ભરેલું મન ભોગ ભોગવવા આતુર રહેતું હતું.
આમ ઋષિઓ અને દાનવો વચ્ચે નિરંતર સંઘર્ષ ચાલતો રહેતો હતો. ઋષિઓ તેમણે શરીરમાંથી બહાર ફેંકી દીધેલાં નકારાત્મક મનને પોતાનાં શરીરમાં પરત આવવા દેવા માંગતા ના હતા કારણ કે જો નકારાત્મક મન શરીરમાં પરત ફરે તો તેમની તમામ રિદ્ધિ-સિદ્ધિઓ વિલુપ્ત થઈ જાય માટે ઋષિઓ જપ-તપ-યજ્ઞ દ્વારા મનની શુદ્ધિને જાળવી રાખવા માંગતા હતા, જ્યારે દાનવો તેમની કામ વાસના પરિતૃપ્ત કરી નહીં શકવાને કારણે ખૂબ વ્યાકુળ રહેતા હતા અને તે ઋષિઓનાં શરીરમાં કોઈ પણ ભોગે પરત જવા માંગતા હતા અને આ સંઘર્ષ સતત ચાલુ રહેતો હતો.
હવે જ્યારે-જ્યારે ઈશ્વર રામ-કૃષ્ણનાં રૂપમાં અવતાર લેતા, ત્યારે ઋષિ-મુનિઓ તેમના હાથે જ પોતાનામાંથી જ પેદા થયેલ તેમના માનસપુત્ર દાનવોનો વધ કરાવી નાખતા.
જ્યારે ઈશ્વર આ દાનવોનો વધ કરી નાખતા, ત્યારે ઋષિ-મુનિઓ પોતાનાં સકારાત્મક મન સાથે આંનદમય જીવન જીવતા, કારણ કે તેમનામાંના નકારાત્મક રાક્ષસનો નાથ થઈ ચૂક્યો હતો.
જેમણે પણ ડૉક્ટર જેકીલ એન્ડ મિસ્ટર હાઈડની સ્ટોરી વાંચી હશે તે આ વાત સરળતાથી સમજી શકશે. ડૉ. જેકીલ એક બહુજ ઉમદા અને ઉચ્ચ કોટિના ભલા ડૉક્ટર હતા. તેઓ એક નવી દવાની સંશોધન કરી રહ્યા હતા અને તે દવા તેમણે જાતે પી લીધી અને એ દાવાને પરિણામે તેમનાં શરીરમાં ભયાનક ફેરફારો થયા અને તે રાત્રે શેરીઓમાં નીકળી હત્યાઓ કરવા માંડ્યા. જ્યારે તેઓ જેકીલનાં શરીરમાં પરત આવતા ત્યારે એમને બહુ વ્યથા થતી પણ દવા પીધા વગર તેમણે ચેન પડતું નહીં અને રાત્રે ફરી વાર હાઈડ બની ગુનાહિત કૃત્યો કરતા. આ સ્ટોરીમાં એકનું એક શરીર બે સ્વરૂપ ધારણ કરે છે, જેમાંનું એક શરીર ઋષિ તુલ્ય છે જ્યારે બીજું શરીર દાનવ બની જાય છે. જ્યારે ઋષિમુનિઓ પોતે શુદ્ધતમ રહી માત્ર નકારાત્મક મનને શરીરમાંથી બહાર ફેંકી દેતા હતા એટલે તેઓ માત્ર ડૉ. જેકીલની ભૂમિકામાં જ રહેતા હતા એમનું નકારાત્મક મન હાઈડની ભૂમિકા ભજવતું હતું.
મને તો દાનવો-રાક્ષસોની ઉત્પત્તિ અને સૃષ્ટિમાંથી કાયમ માટે તેમના વિલય થવા પાછળ આ સિવાય કોઈ થિયરી નજરે પડતી નથી. આપને જો કોઈ થિયરી મળે તો આપણે સાથે બેસીને તેની ચર્ચા કરીશું.
(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
રામાયણમાં રામચંદ્રજી અનેક દાનવોના વધ કરે છે તેવી કથાઓ છે. મહાભારતમાં પણ હિડંબા અને બકાસુરની કથા આવે છે. જે બંનેનો વધ ભીમ કરે છે.
પણ હવે શાસ્ત્રો-પુરાણોમાં વર્ણવેલા દાનવો આપણને ક્યાંય દેખાતા નથી. અર્વાચીન ઇતિહાસમાં પણ એમનો કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો.
તો પછી પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તે દાનવો શું માત્ર લેખકોની કલ્પના જ હતી કે પછી દાનવોનો સત્યાનાશ થઈ ગયો? ડાઇનોસોરની જેમ એમની આખી પેઢી જ ખલાસ થઈ ગઈ કે શું?
બહુ ઊંડાણથી વિચારીએ, ત્યારે એવું લાગે છે કે આપણાં મહાભારત કે અન્ય પુરાણોમાં ભલે થોડીઘણી વિસંવાદિતા અને અતિશયોક્તિ હોય તેવું લાગે છે, પણ આપણા ઋષિ-મુનિઓએ એ રીતે તે સમયનો સાચો ચિતાર આપવાનો જ પ્રયાસ કર્યો હતો.
મહાભારતમાં જે સંજયદૃષ્ટિની વાત આવે છે, તે સંજય હસ્તિનાપુરમાં બેઠા-બેઠા મહાભારતનું યુદ્ધ નજરે જોતા હતા અને તેનું લાઇવ ટેલીકાસ્ટ ધૃતરાષ્ટ્રને સંભળાવતા હતા. આજથી સો વર્ષ પહેલાં આ વાત કવિની કલ્પના લાગતી હતી, પરંતુ હવે દરેક ઘરમાં આ સંજયદૃષ્ટિ –ટેલિવિઝન હાજર છે અને આપણે દુનિયાભરની વાતો લાઇવ જોઈ રહ્યા છીએ.
દોઢસો વર્ષ પહેલાં રામાયણનું પુષ્પક વિમાન પણ કલ્પના જ લાગતી હતી. આજે રોજ કરોડો લોકો વિમાનમાં ઊડીને સફર કરતા હોય છે.
તો પછી અતિશક્તિશાળી –ઇચ્છાધારી રૂપ ધારણ કરી શકનાર દાનવો-રાક્ષસો પણ એ જમાનાનું સત્ય હશે જ, તો પછી આ દાનવો-રાક્ષસો ગયા ક્યાં? આજના આપણા આ જમાનામાં દાનવો-રાક્ષસો કેમ દેખાતા નથી?
એ સમયની અન્ય એક વાત પણ મને બહુ આશ્ચર્ય પમાડે છે. આ દાનવો-રાક્ષસોનો ઉલ્લેખ જે પુરાણોમાં છે, તે જ પુરાણોમાં ઋષિઓનો ઉલ્લેખ પણ બહુ આવે છે. આજે એવા ચમત્કારી, દેવો અને ઈશ્વરને પણ “રુક જાવ” કહી દેનાર ઋષિઓ પણ નજરે પડતા નથી. ભૃગુ ઋષિની કથા છે કે, તેમણે વિષ્ણુ ભગવાનને પણ લાત મારી દીધી હતી અને રામ, કૃષ્ણ અને દેવો પણ દુર્વાસા ઋષિના શ્રાપથી ગભરાતા હતા. રામ-લક્ષ્મણનાં મૃત્યુ સાથે દુર્વાસા ઋષિ જોડાયેલા હતા.
આ બંને બાબતોની સામ્યતા મને બહુ રોમાંચિત કરી રહી છે કે, દાનવો અને ઋષિઓ સમકાલીન હતા. અને જે રીતે અતિ શક્તિશાળી ઋષિઓ પૃથ્વી પર નથી, તેની સાથે-સાથે દાનવો પણ પૃથ્વી પર નથી.
તો પછી ઋષિ અને દાનવોને જોડતી કોઈ કડી હોઈ શકે? આ વાતનો જવાબ કાંઈક આવો હોય એવું મને લાગે છે.
પણ એ પહેલાં, આપણે મન અંગે થોડુ સમજી લઈએ. આપણા શરીરમાં એક અંગ તરીકે મગજ-બ્રેઇન તો નજરે પડે છે, પણ મન નામનાં અંગને શરીરમાં શોધી શકાય એમ નથી. અને તો પણ આપણે મનનો ઇન્કાર કરી શકીએ તેમ નથી. કારણ કે વિચારવાનું, નિર્ણય લેવાનું, એકઠી થયેલ તમામ વાતો-માહિતીનો તાળો બેસાડવાનું કામ શરીરમાં કોઈક તો કરે જ છે. આપણને આપણાં શરીરમાં, આપણા જ અવાજમાં, માત્ર આપણી જ સાથે વાત કરતા મનનો અનુભવ છે જ.
સારા-નરસા નિર્ણયો, એનું આયોજન, એનો અમલ, આ બધું મન જ કરાવે છે. આ મન એટલું બધું શક્તિશાળી છે કે, તમે જ્યારે બુદ્ધિથી કોઈ નવું કામ કરો છો ત્યારે બે-ચાર વારનાં પુનરાવર્તન પછી એ કામ મન પોતે જ સંભાળી લેતું હોય છે.
હવે આપણા ઋષિ-મુનિઓ પોતાનાં તપ, યોગ, યજ્ઞ, હોમ-હવન દ્વારા અને કોઈ ખાસ જ્ઞાન દ્વારા, પોતાનાં મનમાં જે નેગેટિવ ભાવ છે, મનની જે નકારાત્મક, સંશયાત્મક શક્તિઓ છે તેને પોતાનાં મનની પોઝિટિવ –સકારાત્મક શક્તિથી છૂટી પાડી દેતા હતા. એટલે કે મનને તેઓ બે ભાગમાં વહેંચી દેતા હતા. સકારાત્મક મન અને નકારાત્મક મન. પછી કોઈક યૌગિક પ્રકિયા દ્વારા તેઓ પોતાનાં જ નકારાત્મક મનને શરીરમાંથી બહાર ફેંકી દેતા હતા.
આ પછી ઋષિ-મુનિઓમાં જે રહેતું, તે પ્રચંડ તાકાતવાન સકારાત્મક મન. આ મનમાં સંશયવૃત્તિનો તદ્દન અભાવ રહેતો. તેમના મનમાં નકારાત્મકતાનો એકપણ અંશ ન હોવાથી કોઈ પણ નિર્ણય પર પહોંચવા માટે તેમણે કોઈ દ્વંદ્વનો સામનો કરવો પડતો ન હતો.
માત્રને માત્ર હકારાત્મક વિચારોથી ભરપૂર ઋષિ-મુનિઓનું મન તેમને દેવતુલ્ય-ઈશ્વરતુલ્ય બનાવી દેતું હતું.
આપણે આપણી જિંદગીનું પૃથક્કરણ કરીએ તો ખબર પડશે કે જિંદગીમાં કોઈ પણ મોટો નિર્ણય લેવાનો સમય આવે ત્યારે આપણું મન આપણી સામે ત્રણ-ચાર વિકલ્પો સૂચવતું હોય છે અને પછી મન સંશયાત્મક હોવાથી આપણે કોઈ એક નિર્ણય પર જલ્દી પહોંચી શકતાં નથી; અને આખરે જે નિર્ણય લેવાય તે ખોટો નિર્ણય લેવાય અને સરવાળે આપણે નસીબ-સમય સામે હારી જઈએ, ઊર્જા ગુમાવી હતાશ અને નિરાશ થઈ જઈએ. પરંતુ સકારાત્મક માનસિક ઊર્જાથી ભરેલા ઋષિ-મુનિઓ સામાન્ય મનુષ્ય જે ન કરી શકે તેવાં અનેક પરાક્રમો-કાર્યો સરળતાપૂર્વક કરી શકતા.
આપણા આવા ઋષિઓએ પૃથ્વી પરથી જ, કોઈ પણ જાતનાં સાધનની મદદ વગર આખાં બ્રહ્માંડનાં રહસ્યો ઊકેલી નાખ્યાં હતાં. સાતે લોકમાં સદેહે જવા-આવવાની તાકાત તેમણે મેળવી લીધી હતી.
હવે ઋષિઓએ પોતાનાં શરીરમાંથી જે નકારાત્મક સંશયાત્મક મનને બહાર ફેંકી દીધું હતું તેનું શું થયું?
યાદ રહે કે, આમ શરીરમાંથી બહાર ફેંકાઈ ગયેલ નકારાત્મક મનમાં પણ અનંત વિકૃતિઓ, હિંસા, પરપીડન જેવી વૃત્તિઓ ભેગી થઈ હોય છે. આ નકારાત્મક શક્તિઓ હકારાત્મક શક્તિઓ કરતાં પણ વધુ વિધ્વંસકારી છે, પ્રચંડ તાકાતથી, એનર્જીથી ભરપૂર છે અને કોઈ શારીરિક બંધનથી બંધાયેલું નથી, તેના ઉપર કોઈ શારીરિક મર્યાદા નથી. ગમે તેટલા મજબૂત મનનો માણસ એક ટનની શીલા ઉપાડી ન શકે. પરંતુ આ એકલું મન જ હોવાથી તેની પર શારીરિક મર્યાદાનાં બંધન લાગુ પડતાં નથી.
એ મન કોઈ ઋષિ-મુનિનું છે, એટલે પણ એની શક્તિ ગજબની છે. એ એકલું મન હોવાથી પોતાને જોઈએ-ગમે તેવા કદરૂપા, બિહામણાં કે સુંદર આકારનું શરીર ધારણ કરી લેવા સ્વતંત્ર છે. મારિચી રાક્ષસે એ જ રીતે સુવર્ણ હરણનું રૂપ ધારણ કરી લીધું હતું.
મન હોવાથી તે અનંતવેગે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક લોકમાંથી બીજા લોકમાં ગતિ કરી શકે છે. એ મનનો એક ભાગ છે એટલે પોતે જ પોતાના અનેક ભાગ કરી અનેક રૂપ ધારણ કરી શકે છે. પહાડ-પર્વત ઊંચકી લઈ શકે છે.
આમ દાનવો જે કાંઈ કરી શકતા હતા તે જોશો તો ખ્યાલ આવશે કે, એકલું મન જે કાંઈ કરી શકતું હતું, તે આ રાક્ષસો કરી શકતા હતા.
હવે એક મજાની વાત કહું જે ઋષિઓ પોતાની શક્તિથી ગમે તે કરવા શક્તિમાન હતા, તે ઋષિઓ તેમનાં યજ્ઞોનો ભંગ કરનાર દાનવો-રાક્ષસોને કશું કરી શકતા ન હતા. જે ઋષિ દર્ભની સળી પર મંત્રનું આહવાન કરી કોઈને પણ મારી નાંખવા સક્ષમ હતા તે ઋષિ દાનવોને કશું જ કરી શકતા નહીં.
બીજી બાજુ જે દાનવો ગમે તે પ્રાણીને ખાઈ જતા, તે ઋષિઓના હવનો અભડાવતા પણ ઋષિ-મુનિઓને મારીને ખાઈ જતા ન હતા.
તો આ બંને વાત પાછળ શું રહસ્ય હશે?
તો વાત એમ હતી કે ઋષિઓને કનડતા રાક્ષસો-દાનવો એ જ ઋષિઓનાં નકારાત્મક મન હતાં, એ ઋષિઓનો જ એક ભાગ હતા. એટલે ઋષિઓ દાનવોનો નાશ કરી શકતા નહીં. કોઈ પોતાની જાતને જ કેવી રીતે મારી શકે?
વાત રહી દાનવોની. દાનવો હવનનો ભંગ કરતા હતા, કારણ કે એમને ખબર હતી કે આ યજ્ઞ-હવન-જપને કારણે જ તેઓ શરીર વગરના થયા છે. શરીરમાંથી બહાર ફેંકાયા છે. તેથી હવનભંગ કરીને તેઓ ઋષિ-મુનિઓને તપમાંથી ચલિત કરવા માગતા હતા, જેથી એ ઋષિ-મુનિનાં શરીરમાં પરત ફરી શકે.
આ દાનવો માટે સૌથી મુશ્કેલ વાત એ હતી કે કામ-વાસના-મદથી ભરેલું એમનું મન દુનિયાનાં તમામ સુખો ભોગવવા આતુર રહેતું, જ્યારે પોતાને દેહ ન હોવાથી તેમણે જે નકલી દેહ ધારણ કરેલા હતા તેનાથી તેઓ ગમે તેટલી કામ-વાસના ભોગવે, તેમને તૃપ્તિ જ થતી નહીં. કદાચ શુદ્ધ, પવિત્ર, સકારાત્મક મનને ઋષિઓએ બહાર ફેકી દીધું હોય, તો તે મન આટલું બધું છટપટત નહીં. પણ કામ-વાસનાથી ભરેલું મન ભોગ ભોગવવા આતુર રહેતું હતું.
આમ ઋષિઓ અને દાનવો વચ્ચે નિરંતર સંઘર્ષ ચાલતો રહેતો હતો. ઋષિઓ તેમણે શરીરમાંથી બહાર ફેંકી દીધેલાં નકારાત્મક મનને પોતાનાં શરીરમાં પરત આવવા દેવા માંગતા ના હતા કારણ કે જો નકારાત્મક મન શરીરમાં પરત ફરે તો તેમની તમામ રિદ્ધિ-સિદ્ધિઓ વિલુપ્ત થઈ જાય માટે ઋષિઓ જપ-તપ-યજ્ઞ દ્વારા મનની શુદ્ધિને જાળવી રાખવા માંગતા હતા, જ્યારે દાનવો તેમની કામ વાસના પરિતૃપ્ત કરી નહીં શકવાને કારણે ખૂબ વ્યાકુળ રહેતા હતા અને તે ઋષિઓનાં શરીરમાં કોઈ પણ ભોગે પરત જવા માંગતા હતા અને આ સંઘર્ષ સતત ચાલુ રહેતો હતો.
હવે જ્યારે-જ્યારે ઈશ્વર રામ-કૃષ્ણનાં રૂપમાં અવતાર લેતા, ત્યારે ઋષિ-મુનિઓ તેમના હાથે જ પોતાનામાંથી જ પેદા થયેલ તેમના માનસપુત્ર દાનવોનો વધ કરાવી નાખતા.
જ્યારે ઈશ્વર આ દાનવોનો વધ કરી નાખતા, ત્યારે ઋષિ-મુનિઓ પોતાનાં સકારાત્મક મન સાથે આંનદમય જીવન જીવતા, કારણ કે તેમનામાંના નકારાત્મક રાક્ષસનો નાથ થઈ ચૂક્યો હતો.
જેમણે પણ ડૉક્ટર જેકીલ એન્ડ મિસ્ટર હાઈડની સ્ટોરી વાંચી હશે તે આ વાત સરળતાથી સમજી શકશે. ડૉ. જેકીલ એક બહુજ ઉમદા અને ઉચ્ચ કોટિના ભલા ડૉક્ટર હતા. તેઓ એક નવી દવાની સંશોધન કરી રહ્યા હતા અને તે દવા તેમણે જાતે પી લીધી અને એ દાવાને પરિણામે તેમનાં શરીરમાં ભયાનક ફેરફારો થયા અને તે રાત્રે શેરીઓમાં નીકળી હત્યાઓ કરવા માંડ્યા. જ્યારે તેઓ જેકીલનાં શરીરમાં પરત આવતા ત્યારે એમને બહુ વ્યથા થતી પણ દવા પીધા વગર તેમણે ચેન પડતું નહીં અને રાત્રે ફરી વાર હાઈડ બની ગુનાહિત કૃત્યો કરતા. આ સ્ટોરીમાં એકનું એક શરીર બે સ્વરૂપ ધારણ કરે છે, જેમાંનું એક શરીર ઋષિ તુલ્ય છે જ્યારે બીજું શરીર દાનવ બની જાય છે. જ્યારે ઋષિમુનિઓ પોતે શુદ્ધતમ રહી માત્ર નકારાત્મક મનને શરીરમાંથી બહાર ફેંકી દેતા હતા એટલે તેઓ માત્ર ડૉ. જેકીલની ભૂમિકામાં જ રહેતા હતા એમનું નકારાત્મક મન હાઈડની ભૂમિકા ભજવતું હતું.
મને તો દાનવો-રાક્ષસોની ઉત્પત્તિ અને સૃષ્ટિમાંથી કાયમ માટે તેમના વિલય થવા પાછળ આ સિવાય કોઈ થિયરી નજરે પડતી નથી. આપને જો કોઈ થિયરી મળે તો આપણે સાથે બેસીને તેની ચર્ચા કરીશું.