કોરોના કાળમાં વેપારીઓ સાથે વધતી જતી ઘાલખાદ્ય અને ઠગાઈના કિસ્સા, તુવેર દાળની ફેક્ટરીના સંચાલક સાથે છેતરપિંડી
બોગસ ટ્રેડિંગ કંપનીના નામે માલ શાખ પર ₹45.10 લાખનો જથ્થો લઈ પોલીસ અરજી કરતા ₹10 લાખ ચૂકવ્યા હતા
WatchGujarat. કોરોનાકાળમાં વેપારીઓ સાથે લાખો રૂપિયાની બાકી રકમ અંગે ઘાલખાદ્ય અને નાણાં નહિ આપી ઠગાઈ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. અગાઉ પાલેજના બિયારણના વેપારી બાદ હવે ભરૂચ GIDCની એક તુવેરદાળ બનાવતી ફેક્ટરી સંચાલક પાસેથી આણંદના 2 દલાલો શાખ પર ₹35.13 લાખનો તુવેરનો જથ્થો બોગસ ટ્રેડિંગ કંપનીના નામે લઇ રૂપિયા નહીં ચુકવી ઠગાઇ કરી હતી. બનાવને પગલે વેપારીએ બન્ને દલાલો સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચની પ્રિતમ-1 સોસાયટીમાં રહેતાં ચિરાગ દિનેશચંદ્ર ભામવાલા ભરૂચ જીઆઇડીસીના ફેઝ-1 માં તુવેરદાળ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. દરમિયાન છેલ્લાં 7 વર્ષથી આણંદના વિદ્યાનગર ખાતે આવેલી નિલકંઠ સોસાયટીમાં રહેતાં પ્રકાશ શાંતીલાલ ઠક્કર તેમની પાસેથી તુવેરદાળ શાખ પર લઇ અલગ અલગ જગ્યએ વેચાણ કરી તેમના નાણાં ચુકવતાં હતા.
ગત 2018 માં પ્રકાશ ઠક્કરે તેમના અન્ય એક મિત્ર અનુપ અરોરા (રહે વલ્લભ વિધ્યાનગર)ની દલાલ તરીકે મુલાકાત કરાવી હતી. જે બાદ તેમનો વિશ્વાસ કેળવી અલગ અલગ ટ્રેડિંગ કંપનીઓના નામે ₹45.13 લાખનો માલ શાખ પર લીધો હતો. જોકે, બાદમાં તેના રૂપિયા નહીં ચુકવતાં ચિરાગ ભામવાલાના પરિવારે તેમની સામે પોલીસ મથકે અરજી કરી હતી. જે બાદ તેમના વચ્ચે સમાધાન થતાં તેમણે પહેલાં ₹10 લાખ ચુકવ્યાં હતાં.
બાકીના ₹35.13 લાખ રૂપિયા હજી પર્યંત નહીં ચુકવતાં આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે આણંદ વિદ્યાનગરના પ્રકાશ ઠક્કર તેમજ અનુપ અરોરા સામે ઠગાઈની ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- કોરોના કાળમાં વેપારીઓ સાથે વધતી જતી ઘાલખાદ્ય અને ઠગાઈના કિસ્સા, તુવેર દાળની ફેક્ટરીના સંચાલક સાથે છેતરપિંડી
- બોગસ ટ્રેડિંગ કંપનીના નામે માલ શાખ પર ₹45.10 લાખનો જથ્થો લઈ પોલીસ અરજી કરતા ₹10 લાખ ચૂકવ્યા હતા
WatchGujarat. કોરોનાકાળમાં વેપારીઓ સાથે લાખો રૂપિયાની બાકી રકમ અંગે ઘાલખાદ્ય અને નાણાં નહિ આપી ઠગાઈ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. અગાઉ પાલેજના બિયારણના વેપારી બાદ હવે ભરૂચ GIDCની એક તુવેરદાળ બનાવતી ફેક્ટરી સંચાલક પાસેથી આણંદના 2 દલાલો શાખ પર ₹35.13 લાખનો તુવેરનો જથ્થો બોગસ ટ્રેડિંગ કંપનીના નામે લઇ રૂપિયા નહીં ચુકવી ઠગાઇ કરી હતી. બનાવને પગલે વેપારીએ બન્ને દલાલો સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચની પ્રિતમ-1 સોસાયટીમાં રહેતાં ચિરાગ દિનેશચંદ્ર ભામવાલા ભરૂચ જીઆઇડીસીના ફેઝ-1 માં તુવેરદાળ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. દરમિયાન છેલ્લાં 7 વર્ષથી આણંદના વિદ્યાનગર ખાતે આવેલી નિલકંઠ સોસાયટીમાં રહેતાં પ્રકાશ શાંતીલાલ ઠક્કર તેમની પાસેથી તુવેરદાળ શાખ પર લઇ અલગ અલગ જગ્યએ વેચાણ કરી તેમના નાણાં ચુકવતાં હતા.
ગત 2018 માં પ્રકાશ ઠક્કરે તેમના અન્ય એક મિત્ર અનુપ અરોરા (રહે વલ્લભ વિધ્યાનગર)ની દલાલ તરીકે મુલાકાત કરાવી હતી. જે બાદ તેમનો વિશ્વાસ કેળવી અલગ અલગ ટ્રેડિંગ કંપનીઓના નામે ₹45.13 લાખનો માલ શાખ પર લીધો હતો. જોકે, બાદમાં તેના રૂપિયા નહીં ચુકવતાં ચિરાગ ભામવાલાના પરિવારે તેમની સામે પોલીસ મથકે અરજી કરી હતી. જે બાદ તેમના વચ્ચે સમાધાન થતાં તેમણે પહેલાં ₹10 લાખ ચુકવ્યાં હતાં.
બાકીના ₹35.13 લાખ રૂપિયા હજી પર્યંત નહીં ચુકવતાં આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે આણંદ વિદ્યાનગરના પ્રકાશ ઠક્કર તેમજ અનુપ અરોરા સામે ઠગાઈની ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.