ઉમેદવારોના નામ જાહેર કરાતા કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો
અલગ અલગ વોર્ડ દીઠ કાર્યકર્તાઓ તેમના પ્રશ્નોને લઇને પાર્ટી મુખ્યાલય ખાતે પહોંચ્યા હતા
કર્મઠ કાર્યકરોની અનદેખી કરવામાં આવશે તો મિશન 76 કેવી રીતે પુર્ણ થશે- લોકમુખે ચર્ચા
WatchGujarat. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂવારે રાજ્યભરની મનપાની ચુંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. નામ જાહેર કર્યા બાદ લિસ્ટમાં પોતાનું નામ ન હોવાને કારણે અનેક વોર્ડમાંથી ઇચ્છુક દાવેદારોના સમર્થકો સામે મોરચા પાર્ટી ઓફિસ પર પહોંચ્યા હતા. જેને કારણે મોડી રાત સુધી એક પછી એક અલગ અલગ વોર્ડમાંથી મોરચા આવી પહોંચી વિરોધ ચાલુ રાખ્યો હતો.
ચાલુ વર્ષો યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બેઠકની સામે સેંકડો વધારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેવારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી. 1 ફેબ્રુઆરીથી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેદવારોને ટીકીટ આપવા મામલે ચર્ચા કરવા માટે પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગ મળી હતી. ત્રણ દિવસ ચાલેલા ચર્ચાસત્ર બાદ ગુરૂવારે તમામ શહેરોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારોના નામ જાહેર કરાતા કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ દ્વારા તમામ બેઠકો કબ્જે કરવા માટે મિશન 76 શરૂ કરવામાં આવ્યું હતું. જો કે નામ જાહેર થતાની સાથે અનેક વોર્ડમાંથી ઇચ્છુક દાવેદારો કાર્યકર્તાઓ સાથે મનુભાઇ ટાવર પાર્ટી ઓફિસ ખાતે આવી પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જે પાર્ટીમાં પરસેવો રેડીને આગળ લાવ્યા હોય તેમાં સંન્નિષ્ઠ કાર્યકરોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ અનેક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જો આવી જ રીતે પાર્ટી દ્વારા જુના અને કર્મઠ કાર્યકરોની અનદેખી કરવામાં આવશે તો મિશન 76 કેવી રીતે પુર્ણ થશે તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.
વોર્ડ નંબર - 18 માં આરતીબેન જયસ્વાલને ટીકીટ આપવામાં આવી હતી. જેને વિરોધ કરવા માટે વિસ્તારના કાર્યકર્તાઓ ભાજપની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. અને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરી હતી. વોર્ડ નંબર 17 માં મંત્રી યોગેશ પટેલે ભાવિનાબેન ચૌહાણનો ભોગ લેતા કાર્યકરોમાં રોષની લાગણી વ્યાપી હતી. અને સાંજે સમર્થકો સાથે તેઓ પાર્ટી કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. પ્રથમ મંત્રી યોગેશ પટેલ અને ત્યાર બાદ શહેર ભાજપા પ્રમુખને સમગ્ર મામલે રજુઆત કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નંબર 3 અને 14 માંથી નારાજ કાર્યકરોના ધાડેધાડા વિરોધ દર્શાવવા માટે કાર્યાલય પહોંચ્યા હતા.
વોર્ડ 18 માંથી સામુહિક રાજીમાનામે પગલે રાજકીય ક્ષેત્રે ખળભળાટ
વોર્ડ નંબર 18 માં અન્ય વોર્ડમાંથી ઉમેદવારી કરતી મહિલાને ટીકીટ આપી દેતા સ્થાનિકોમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતી સર્જાઇ હતી. પાર્ટીના નિર્ણય બાદ વિસ્તારમાં કાર્યરત ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ સામુહિક રાજીનામું આપ્યું હતું. કાર્યકર્તાઓનું માનવું છે કે, અમારા વોર્ડમાંથી અન્ય વોર્ડમાં કોઇ ટીકીટ આપવામાં નથી આવી તો અન્યને અમારા વોર્ડમાં કેમ સમાવાયા. મોટી સંખ્યામાં કાર્યકરોએ રાજીનામા આપતા આવનારા દિવસોમાં ઘટનાના પડઘા પડશે તે નક્કી છે.
ભાજપાથી નારાજ કાર્યકરોને કારણે પાર્ટીને કેટલું નુકશાન થાય છે તે આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ રાજકારણમાં પોતાના વ્યક્તિઓની અવગણના ભારે પડતી હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે.
ઉમેદવારોના નામ જાહેર કરાતા કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો
અલગ અલગ વોર્ડ દીઠ કાર્યકર્તાઓ તેમના પ્રશ્નોને લઇને પાર્ટી મુખ્યાલય ખાતે પહોંચ્યા હતા
કર્મઠ કાર્યકરોની અનદેખી કરવામાં આવશે તો મિશન 76 કેવી રીતે પુર્ણ થશે- લોકમુખે ચર્ચા
WatchGujarat. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂવારે રાજ્યભરની મનપાની ચુંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. નામ જાહેર કર્યા બાદ લિસ્ટમાં પોતાનું નામ ન હોવાને કારણે અનેક વોર્ડમાંથી ઇચ્છુક દાવેદારોના સમર્થકો સામે મોરચા પાર્ટી ઓફિસ પર પહોંચ્યા હતા. જેને કારણે મોડી રાત સુધી એક પછી એક અલગ અલગ વોર્ડમાંથી મોરચા આવી પહોંચી વિરોધ ચાલુ રાખ્યો હતો.
ચાલુ વર્ષો યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બેઠકની સામે સેંકડો વધારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેવારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી. 1 ફેબ્રુઆરીથી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેદવારોને ટીકીટ આપવા મામલે ચર્ચા કરવા માટે પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગ મળી હતી. ત્રણ દિવસ ચાલેલા ચર્ચાસત્ર બાદ ગુરૂવારે તમામ શહેરોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારોના નામ જાહેર કરાતા કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ દ્વારા તમામ બેઠકો કબ્જે કરવા માટે મિશન 76 શરૂ કરવામાં આવ્યું હતું. જો કે નામ જાહેર થતાની સાથે અનેક વોર્ડમાંથી ઇચ્છુક દાવેદારો કાર્યકર્તાઓ સાથે મનુભાઇ ટાવર પાર્ટી ઓફિસ ખાતે આવી પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જે પાર્ટીમાં પરસેવો રેડીને આગળ લાવ્યા હોય તેમાં સંન્નિષ્ઠ કાર્યકરોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ અનેક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જો આવી જ રીતે પાર્ટી દ્વારા જુના અને કર્મઠ કાર્યકરોની અનદેખી કરવામાં આવશે તો મિશન 76 કેવી રીતે પુર્ણ થશે તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.
વોર્ડ નંબર - 18 માં આરતીબેન જયસ્વાલને ટીકીટ આપવામાં આવી હતી. જેને વિરોધ કરવા માટે વિસ્તારના કાર્યકર્તાઓ ભાજપની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. અને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરી હતી. વોર્ડ નંબર 17 માં મંત્રી યોગેશ પટેલે ભાવિનાબેન ચૌહાણનો ભોગ લેતા કાર્યકરોમાં રોષની લાગણી વ્યાપી હતી. અને સાંજે સમર્થકો સાથે તેઓ પાર્ટી કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. પ્રથમ મંત્રી યોગેશ પટેલ અને ત્યાર બાદ શહેર ભાજપા પ્રમુખને સમગ્ર મામલે રજુઆત કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નંબર 3 અને 14 માંથી નારાજ કાર્યકરોના ધાડેધાડા વિરોધ દર્શાવવા માટે કાર્યાલય પહોંચ્યા હતા.
વોર્ડ નંબર 18 માં અન્ય વોર્ડમાંથી ઉમેદવારી કરતી મહિલાને ટીકીટ આપી દેતા સ્થાનિકોમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતી સર્જાઇ હતી. પાર્ટીના નિર્ણય બાદ વિસ્તારમાં કાર્યરત ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ સામુહિક રાજીનામું આપ્યું હતું. કાર્યકર્તાઓનું માનવું છે કે, અમારા વોર્ડમાંથી અન્ય વોર્ડમાં કોઇ ટીકીટ આપવામાં નથી આવી તો અન્યને અમારા વોર્ડમાં કેમ સમાવાયા. મોટી સંખ્યામાં કાર્યકરોએ રાજીનામા આપતા આવનારા દિવસોમાં ઘટનાના પડઘા પડશે તે નક્કી છે.
ભાજપાથી નારાજ કાર્યકરોને કારણે પાર્ટીને કેટલું નુકશાન થાય છે તે આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ રાજકારણમાં પોતાના વ્યક્તિઓની અવગણના ભારે પડતી હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે.