સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે
અત્યાર સુધી વેક્સીન લીધા બાદ રીએક્શનના કેસો સામે આવ્યા ન હતા, પરંતુ રવિવાર બાદ સ્થિતી બદલાઇ
રવિવારે કોરોનાની વેક્સીન લીધા બાદ રાજ્યમાં સંભવિત પ્રથમ મોતની ઘટના સામે આવી હતી
સોમવારે 13 પોલીસ તાલીમાર્થી જવાનોને તાવ, પેટમાં દુખાવો સહિતના લક્ષણો સાથે દાખલ કરાયા
ડો રંજન ઐયરે કોરોના વેક્સીન લીધા બાદની અસરો અપેક્ષીત હોવાનું જણાવ્યું
WatchGujarat. રવિવારે શહેરમાં સરકારી અમલદારો સહિત અનેક લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. જેમાં રાજ્યમાં સંભવિત પ્રથમ વખત કોરોના વેક્સીન લીધા બાદ પાલીકાના સફાઇ કર્મચારીનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ સોમવારે પોલીસ ટ્રેઇનીંગ સ્કુલના 13 જેટલા જવાનોને રીએક્શન આવતા તમામને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામને સારવાર આપવામાં આવી રહી છે.
કોરોનાની વેક્સીનને લઇને અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે. તેવા સંજોગોમાં સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સકારાત્મક અભિગમ સાથએ કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કોરોના કાળમાં ખડેપગે સેવા આપનારા વોરિયર્સથી દેશમાં વેક્સીનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં અનેક તબક્કાઓમાં કોરોનાની વેક્સીન આપવામાં આવી ચુકી છે. જેમાં અત્યાર સુધી વેક્સીન લીધા બાદ રીએક્શનના કેસો સામે આવ્યા ન હતા.
રવિવારે વેક્સીનેશનના તબક્કા બાદ સ્થિતી બદલાઇ છે. રવિવારે સરકારી અમલદારો સહિતના કોરોના વોરિયર્સને વેક્સીન આપવામાં આવી હતી. જેમાં સફાઇ કર્મચારીનું કોરોના વેક્સીન લીધા બાદ મોત નિપજ્યું હતું. જો કે ગતરોજ મોડી રાત્રે Adverse Event Following Immunization કમિટી દ્વારા સફાઇ કર્મચારીનું મૃત્યુ વેક્સીનને કારણે નહિ થયાનું જાહેર કર્યું હતું.
રવિવારે પોલીસ હેડક્વાટરમાં તાલીમ લઇ રહેલા 120 જવાનોએ પ્રતાપનગર ખાતે વેક્સીન આપવામાં આવી હતી. વેક્સીન લીધા બાદ મોડી રાત્રે 13 જેટલા તાલીમાર્થી જવાનોને પેટમાં દુખાવો સહિતના લક્ષણો અનુભવાઇ રહ્યા હતા. જેને કારણે તમામને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર યુનિટ ખાતે લાવવામાં આવ્યા હતા. તબિબો દ્વારા તમામનું હેલ્થચેકઅપ કરવામાં આવ્યું હતું. અને તેમને દવા આપવામાં આવી હતી.
એસએસજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડના નોડલ ઓફિસર ડો.ઓ. બી. બેલીમના જણાવ્યા અનુસાર, ગતરોજ પોલીસ તાલીમાર્થી જવાનોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. ત્યાર બાદ રાત્રે કેટલાક જવાનોમાં તાવ, પેટમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તમામને સારવાર ખાતે એસએસજી હોસ્પિટલના તાત્કાલીક સારવાર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં 10 જેટલા જવાનોને દવાઓ આપી મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે 3 જવાનોને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સાંજ સુધીમાં તેમના રજા અપાય તેવી શક્યતા છે.
ઘટનાને પગલે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ડ ડો રંજન ઐયર, પાલીકાના હેલ્થ ઓફિસર ડો. દેવેશ પટેલ તથા એસએસજી હોસ્પિટલના કોવિડ વોર્ડના નોડલ અધિકારી ડો. ઓ. બી. બેલીમ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ડ ડો રંજન ઐયરે કોરોના વેક્સીન લીધા બાદની અસરો અપેક્ષીત હોવાનું જણાવ્યું હતું.
સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે
અત્યાર સુધી વેક્સીન લીધા બાદ રીએક્શનના કેસો સામે આવ્યા ન હતા, પરંતુ રવિવાર બાદ સ્થિતી બદલાઇ
રવિવારે કોરોનાની વેક્સીન લીધા બાદ રાજ્યમાં સંભવિત પ્રથમ મોતની ઘટના સામે આવી હતી
ડો રંજન ઐયરે કોરોના વેક્સીન લીધા બાદની અસરો અપેક્ષીત હોવાનું જણાવ્યું
WatchGujarat. રવિવારે શહેરમાં સરકારી અમલદારો સહિત અનેક લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. જેમાં રાજ્યમાં સંભવિત પ્રથમ વખત કોરોના વેક્સીન લીધા બાદ પાલીકાના સફાઇ કર્મચારીનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ સોમવારે પોલીસ ટ્રેઇનીંગ સ્કુલના 13 જેટલા જવાનોને રીએક્શન આવતા તમામને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામને સારવાર આપવામાં આવી રહી છે.
કોરોનાની વેક્સીનને લઇને અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે. તેવા સંજોગોમાં સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સકારાત્મક અભિગમ સાથએ કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કોરોના કાળમાં ખડેપગે સેવા આપનારા વોરિયર્સથી દેશમાં વેક્સીનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં અનેક તબક્કાઓમાં કોરોનાની વેક્સીન આપવામાં આવી ચુકી છે. જેમાં અત્યાર સુધી વેક્સીન લીધા બાદ રીએક્શનના કેસો સામે આવ્યા ન હતા.
રવિવારે વેક્સીનેશનના તબક્કા બાદ સ્થિતી બદલાઇ છે. રવિવારે સરકારી અમલદારો સહિતના કોરોના વોરિયર્સને વેક્સીન આપવામાં આવી હતી. જેમાં સફાઇ કર્મચારીનું કોરોના વેક્સીન લીધા બાદ મોત નિપજ્યું હતું. જો કે ગતરોજ મોડી રાત્રે Adverse Event Following Immunization કમિટી દ્વારા સફાઇ કર્મચારીનું મૃત્યુ વેક્સીનને કારણે નહિ થયાનું જાહેર કર્યું હતું.
રવિવારે પોલીસ હેડક્વાટરમાં તાલીમ લઇ રહેલા 120 જવાનોએ પ્રતાપનગર ખાતે વેક્સીન આપવામાં આવી હતી. વેક્સીન લીધા બાદ મોડી રાત્રે 13 જેટલા તાલીમાર્થી જવાનોને પેટમાં દુખાવો સહિતના લક્ષણો અનુભવાઇ રહ્યા હતા. જેને કારણે તમામને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર યુનિટ ખાતે લાવવામાં આવ્યા હતા. તબિબો દ્વારા તમામનું હેલ્થચેકઅપ કરવામાં આવ્યું હતું. અને તેમને દવા આપવામાં આવી હતી.
એસએસજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડના નોડલ ઓફિસર ડો.ઓ. બી. બેલીમના જણાવ્યા અનુસાર, ગતરોજ પોલીસ તાલીમાર્થી જવાનોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. ત્યાર બાદ રાત્રે કેટલાક જવાનોમાં તાવ, પેટમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તમામને સારવાર ખાતે એસએસજી હોસ્પિટલના તાત્કાલીક સારવાર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં 10 જેટલા જવાનોને દવાઓ આપી મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે 3 જવાનોને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સાંજ સુધીમાં તેમના રજા અપાય તેવી શક્યતા છે.
ઘટનાને પગલે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ડ ડો રંજન ઐયર, પાલીકાના હેલ્થ ઓફિસર ડો. દેવેશ પટેલ તથા એસએસજી હોસ્પિટલના કોવિડ વોર્ડના નોડલ અધિકારી ડો. ઓ. બી. બેલીમ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ડ ડો રંજન ઐયરે કોરોના વેક્સીન લીધા બાદની અસરો અપેક્ષીત હોવાનું જણાવ્યું હતું.