ઐતિહાસીક ઇમારતને મ્યુઝીયમ બનાવવાની લોકલાગણીને માન આપીને રવિવારે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ન્યાયમંદિરની ઇમારતનું હસ્તાંતરણ કર્યું
અગાઉ ન્યાયમંદિર પરિસરમાં બેંક ઓફ બરોડા શરૂ થશે, શહેર પોલીસને સોંપાશે તથા રેસ્ટોરેન્ટ આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
WatchGujarat. શહેરના મધ્યમાં આવેલી ન્યાયમંદિરમાંથી કોર્ટને નવા પરિસરમાં ખસેડવામાં આવ્યા બાદ ત્યાં મ્યુઝીયમ બનાવવાની માંગ ઉઠી હતી. ખાલી પડેલી ઐતિહાસીક ઇમારતને મ્યુઝીયમ બનાવવાની લોકલાગણીને માન આપીને રવિવારે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ન્યાયમંદિરની ઇમારતનું હસ્તાંતરણ કર્યું હતું. પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે, ન્યાયમંદિર શહેરવાસીઓનો આત્મા અને ધબકારા સમાન છે. આવનાર સમયમાં તેનું જનત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.
ન્યાયમંદિર પરિસર શહેરમાં આવેલી સૌથી જુના અને ઐતિહાસીક મહત્વ ધરાવતી ઇમારતોમાં સામેલ છે. અગાઉ ન્યાયમંદિર પરિસરમાં કોર્ટ ચાલતી હતી. જોકે ઓ.પી. રોડ પર નવા પરિસરમાં કોર્ટનું સ્થળાંતર થયું હતું. ત્યાર બાદથી લઇને ન્યાયમંદિરની જાળવણીને લઇ જાગૃતિ લાવવા માટે અનેક વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા. દરમિયાન ન્યાયમંદિર પરિસરમાં બેંક ઓફ બરોડા શરૂ થશે, શહેર પોલીસને સોંપાશે તથા રેસ્ટોરેન્ટ આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું
છેલ્લા કેટલાક સમયથી ન્યાયમંદિરને મ્યુઝીયમમાં ફેરવવાની ઝુંબેશ તેજ ચાલી હતી. આ અંગે શહેર ભાજપા પ્રમુખ વિજય શાહ સહિત અગ્રણીઓને રજુઆત કરવામાં આવી હતી. સક્રિય પ્રયત્નોને પગલે આખરે રવિવારે રાજ્યના ગૃહમંત્રી દ્વારા ન્યાયમંદિરનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર, સાંસદ, વિધાનસભા અધ્યક્ષ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પ્રસંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ન્યાયમંદિર સાથે વડોદરાના શહેરવાસીઓનો આત્મા અને ધબકાર સંકળાયેલો છે. ન્યાયમંદિર આવનારી સદીઓ સુધીનું સંભારણું બની રહેશે. ન્યાયમંદિર બેનમુન કક્ષાનું સંગ્રહાલય બનાવવાની માંગ આવનાર સમયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજુ કરવામાં આવશે. ન્યાયમંદિર ઐતિહાસીક ઇમારત છે. ઐતિહાસીક મહત્વ ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું રાજ્ય સરકારનો ધ્યેય છે.
અગાઉ ન્યાયમંદિર પરિસરમાં બેંક ઓફ બરોડા શરૂ થશે, શહેર પોલીસને સોંપાશે તથા રેસ્ટોરેન્ટ આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
WatchGujarat. શહેરના મધ્યમાં આવેલી ન્યાયમંદિરમાંથી કોર્ટને નવા પરિસરમાં ખસેડવામાં આવ્યા બાદ ત્યાં મ્યુઝીયમ બનાવવાની માંગ ઉઠી હતી. ખાલી પડેલી ઐતિહાસીક ઇમારતને મ્યુઝીયમ બનાવવાની લોકલાગણીને માન આપીને રવિવારે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ન્યાયમંદિરની ઇમારતનું હસ્તાંતરણ કર્યું હતું. પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે, ન્યાયમંદિર શહેરવાસીઓનો આત્મા અને ધબકારા સમાન છે. આવનાર સમયમાં તેનું જનત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.
ન્યાયમંદિર પરિસર શહેરમાં આવેલી સૌથી જુના અને ઐતિહાસીક મહત્વ ધરાવતી ઇમારતોમાં સામેલ છે. અગાઉ ન્યાયમંદિર પરિસરમાં કોર્ટ ચાલતી હતી. જોકે ઓ.પી. રોડ પર નવા પરિસરમાં કોર્ટનું સ્થળાંતર થયું હતું. ત્યાર બાદથી લઇને ન્યાયમંદિરની જાળવણીને લઇ જાગૃતિ લાવવા માટે અનેક વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા. દરમિયાન ન્યાયમંદિર પરિસરમાં બેંક ઓફ બરોડા શરૂ થશે, શહેર પોલીસને સોંપાશે તથા રેસ્ટોરેન્ટ આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું
છેલ્લા કેટલાક સમયથી ન્યાયમંદિરને મ્યુઝીયમમાં ફેરવવાની ઝુંબેશ તેજ ચાલી હતી. આ અંગે શહેર ભાજપા પ્રમુખ વિજય શાહ સહિત અગ્રણીઓને રજુઆત કરવામાં આવી હતી. સક્રિય પ્રયત્નોને પગલે આખરે રવિવારે રાજ્યના ગૃહમંત્રી દ્વારા ન્યાયમંદિરનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર, સાંસદ, વિધાનસભા અધ્યક્ષ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પ્રસંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ન્યાયમંદિર સાથે વડોદરાના શહેરવાસીઓનો આત્મા અને ધબકાર સંકળાયેલો છે. ન્યાયમંદિર આવનારી સદીઓ સુધીનું સંભારણું બની રહેશે. ન્યાયમંદિર બેનમુન કક્ષાનું સંગ્રહાલય બનાવવાની માંગ આવનાર સમયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજુ કરવામાં આવશે. ન્યાયમંદિર ઐતિહાસીક ઇમારત છે. ઐતિહાસીક મહત્વ ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું રાજ્ય સરકારનો ધ્યેય છે.