[caption id="attachment_1290038" align="aligncenter" width="1600"] HariPrasad Swamy, haridham Sokhda[/caption]
WatchGujarat. હરિ પ્રસાદ સ્વામીજીના દેહાંત બાદ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે હરિભક્તો આવી પહોંચ્યા હતા. ગત રોજ હરિધામ સોખડાના સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજીએ નશ્વર દેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાની વાત વાયુ વેગે પ્રસરતા હરિ ભક્તોમાં શોકની લાગણી વ્યાપી હતી.
https://youtu.be/uCTWsidpvrk
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવનલીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો.
વાત વાયુ વેગે પ્રસરતા હરિ ભક્તોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ હતી. તો આજે સવારથી જ ગોરવા સ્થિત હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં હરિ ભક્તો અને રાજકીય નેતાઓ આવી પહોંચ્યા હતા. હોસ્પિટલ બહાર એકત્ર થયેલા હરિ ભક્તો શિસ્તબદ્ધ રીતે જોવા મળ્યા હતા. અને પ્રભુનામ લેતા નજરે પડ્યા હતા.
1 ઓગસ્ટના રોજ હરિ પ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યાં સુધી દેશ વિદેશથી લાખોની સંખ્યામાં હરિ ભક્તો દર્શનાર્થે આવશે તેવી શક્યતા સેવાઇ રહી છે.
WatchGujarat. હરિ પ્રસાદ સ્વામીજીના દેહાંત બાદ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે હરિભક્તો આવી પહોંચ્યા હતા. ગત રોજ હરિધામ સોખડાના સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજીએ નશ્વર દેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાની વાત વાયુ વેગે પ્રસરતા હરિ ભક્તોમાં શોકની લાગણી વ્યાપી હતી.
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવનલીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો.
વાત વાયુ વેગે પ્રસરતા હરિ ભક્તોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ હતી. તો આજે સવારથી જ ગોરવા સ્થિત હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં હરિ ભક્તો અને રાજકીય નેતાઓ આવી પહોંચ્યા હતા. હોસ્પિટલ બહાર એકત્ર થયેલા હરિ ભક્તો શિસ્તબદ્ધ રીતે જોવા મળ્યા હતા. અને પ્રભુનામ લેતા નજરે પડ્યા હતા.
1 ઓગસ્ટના રોજ હરિ પ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યાં સુધી દેશ વિદેશથી લાખોની સંખ્યામાં હરિ ભક્તો દર્શનાર્થે આવશે તેવી શક્યતા સેવાઇ રહી છે.