સ્વામીજીના નશ્વર દેહને અંતિમસંસ્કાર પહેલા 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે
તેમની અંત્યેષ્ટિમાં 8 વૃક્ષનાં લાકડાં વપરાશે, સ્વામીજીને લીમડો પ્રિય હોવાથી અંતિમવિધિમાં સૌથી વધુ લાકડાં એનાં વપરાશે
જમીનમાં 6 ફૂટનો સિમેન્ટના બેઝ પર 4 ફૂટનું પ્લેટફોર્મ બનાવાયું છે, જેના પર અંતિમસંસ્કાર કરવામાં આવશે
રવિવારે અંતિમવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે
WatchGujarat. યોગી ડિવાઈન સોસાયટીના સ્થાપક હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના દર્શનનો આજે અંતિમ દિવસ છે. ત્યારે તેમના અંતિમસંસ્કાર માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતી કાલે સોખડા હરિધામ મંદિરમાં બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહ (નશ્વર દેહ)ની અંતિમસંસ્કાર વિધિ બપોરે 2:30 કલાકે કરવામાં આવશે. આ અંતિમવિધિ સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સંપન્ન કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ પહેલાં સ્વામીજીના નશ્વર દેહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવવામાં આવશે. ત્યાર બાદ પાલખીયાત્રા નીકળશે, યાત્રાને મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ સંપન્ન થશે. ઉલ્લેખનીય છે કે તેમની અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સ્વામીજીને લીમડો પ્રિય હોવાથી અંતિમવિધિમાં સૌથી વધુ લાકડાં એનાં વપરાશે. જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ સ્વામીજીની અંતિમસંસ્કાર વિધિ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે.
આ અંગે સોખડાના સંત ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના પ્રિય સ્થાન લીમડા વનમાં જ તેમની અંત્યેષ્ટિ કરાશે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા લીમડાના ઝાડ નીચે બેસીને સત્સંગ કરતા હતા, જ્યારે હરિપ્રસાદ સ્વામીજીને પણ લીમડાનાં ઝાડ અત્યંત પ્રિય હતાં, એટલે અંતિમસંસ્કારમાં મોટા ભાગે લીમડાનાં લાકડાંનો જ ઉપયોગ કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર આવતી કાલે એટલે કે 1 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી અંતિમસંસ્કારની વિધિ શરૂ થશે. આ વિધિમાં પ્રથમ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા અને તાપી 7 નદીનાં જળ તેમજ કેસરયુક્ત પાણી તેમજ ઘી સહિતનાં દ્રવ્યોથી સ્વામીજીના નશ્વર દેહને સ્નાન કરાવાશે. જે મંદિર પરિસરની આસપાસ પાલખીયાત્રા કરવામાં આવશે. આ ઉપરાંત કારમાં બિરાજમાન કરીને પણ પ્રદક્ષિણા કરવામાં આવી શકે છે.
આ અંગે મળતી માહિતી મુજબ અંતિમસંસ્કાર સ્થળે 7 નદીનાં જળ, ગૌમૂત્ર અને છાણથી લીપણ કરવામાં આવશે. આ લીપણ કરાયેલા સ્થળ પર ચંદન, લીમડો, સેવન, અઘેડો, ઉમરો, ખેર, આંકડો અને પીપડો એમ 8 વૃક્ષોનાં લાકડાં ઉપરાંત અડાયા છાણ, દર્મનો પુડો અને ખડના પુડાનો, તુલસી અને નાગરવેલના પાનનો ઉપયોગ અંતિમસંસ્કારમાં કરાશે. અંતિમ સંસ્કારના સ્થળ પર જમીનમાં 6 ફૂટનો સિમેન્ટનો બેઝ બનાવવામાં આવ્યો છે. જેના પર 4 ફૂટનું પ્લેટફોર્મ બનાવાયું છે. તમને જણાવી દઈએ કે આ સ્થળ પર અંતિમસંસ્કાર કરવામાં આવશે.
સ્વામીજીના નશ્વર દેહને અંતિમસંસ્કાર પહેલા 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે
તેમની અંત્યેષ્ટિમાં 8 વૃક્ષનાં લાકડાં વપરાશે, સ્વામીજીને લીમડો પ્રિય હોવાથી અંતિમવિધિમાં સૌથી વધુ લાકડાં એનાં વપરાશે
જમીનમાં 6 ફૂટનો સિમેન્ટના બેઝ પર 4 ફૂટનું પ્લેટફોર્મ બનાવાયું છે, જેના પર અંતિમસંસ્કાર કરવામાં આવશે
WatchGujarat. યોગી ડિવાઈન સોસાયટીના સ્થાપક હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના દર્શનનો આજે અંતિમ દિવસ છે. ત્યારે તેમના અંતિમસંસ્કાર માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતી કાલે સોખડા હરિધામ મંદિરમાં બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહ (નશ્વર દેહ)ની અંતિમસંસ્કાર વિધિ બપોરે 2:30 કલાકે કરવામાં આવશે. આ અંતિમવિધિ સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સંપન્ન કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ પહેલાં સ્વામીજીના નશ્વર દેહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવવામાં આવશે. ત્યાર બાદ પાલખીયાત્રા નીકળશે, યાત્રાને મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ સંપન્ન થશે. ઉલ્લેખનીય છે કે તેમની અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સ્વામીજીને લીમડો પ્રિય હોવાથી અંતિમવિધિમાં સૌથી વધુ લાકડાં એનાં વપરાશે. જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ સ્વામીજીની અંતિમસંસ્કાર વિધિ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે.
આ અંગે સોખડાના સંત ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના પ્રિય સ્થાન લીમડા વનમાં જ તેમની અંત્યેષ્ટિ કરાશે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા લીમડાના ઝાડ નીચે બેસીને સત્સંગ કરતા હતા, જ્યારે હરિપ્રસાદ સ્વામીજીને પણ લીમડાનાં ઝાડ અત્યંત પ્રિય હતાં, એટલે અંતિમસંસ્કારમાં મોટા ભાગે લીમડાનાં લાકડાંનો જ ઉપયોગ કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર આવતી કાલે એટલે કે 1 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી અંતિમસંસ્કારની વિધિ શરૂ થશે. આ વિધિમાં પ્રથમ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા અને તાપી 7 નદીનાં જળ તેમજ કેસરયુક્ત પાણી તેમજ ઘી સહિતનાં દ્રવ્યોથી સ્વામીજીના નશ્વર દેહને સ્નાન કરાવાશે. જે મંદિર પરિસરની આસપાસ પાલખીયાત્રા કરવામાં આવશે. આ ઉપરાંત કારમાં બિરાજમાન કરીને પણ પ્રદક્ષિણા કરવામાં આવી શકે છે.
આ અંગે મળતી માહિતી મુજબ અંતિમસંસ્કાર સ્થળે 7 નદીનાં જળ, ગૌમૂત્ર અને છાણથી લીપણ કરવામાં આવશે. આ લીપણ કરાયેલા સ્થળ પર ચંદન, લીમડો, સેવન, અઘેડો, ઉમરો, ખેર, આંકડો અને પીપડો એમ 8 વૃક્ષોનાં લાકડાં ઉપરાંત અડાયા છાણ, દર્મનો પુડો અને ખડના પુડાનો, તુલસી અને નાગરવેલના પાનનો ઉપયોગ અંતિમસંસ્કારમાં કરાશે. અંતિમ સંસ્કારના સ્થળ પર જમીનમાં 6 ફૂટનો સિમેન્ટનો બેઝ બનાવવામાં આવ્યો છે. જેના પર 4 ફૂટનું પ્લેટફોર્મ બનાવાયું છે. તમને જણાવી દઈએ કે આ સ્થળ પર અંતિમસંસ્કાર કરવામાં આવશે.