મેડિકલ સ્ટોર પર નશીલી સીરપ અને ટેબ્લેટનું ડોકટરના પ્રિક્રિપશન વગર વેચાણ થતું હતું
ગુનેગારોની પૂછપરછ દરમિયાન ભાંડો ફૂટ્યો
એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે ડમી ગ્રાહક મોકલી તપાસ કરી
WatchGujarat મેડિકલ સ્ટોર પર નશીલી સીરપ અને ટેબ્લેટનું ડોકટરના પ્રિક્રિપશન વગર વેચાણ થતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેથી સુરતમાં એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે ડમી ગ્રાહક મોકલી તપાસ કરી હતી. તપાસ દરમિયાન નશાયુક્ત સીરપ અને ટેબ્લેટ આપતા મેડિકલ સ્ટોરના માલિકની ધરપકડ કરી રૂ 51 હજારની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
સુરત પોલીસે ગુનેગારોની પૂછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન ધ્યાને આવ્યું હતું કે આવા ગુનેગારો નશાની હાલતમાં ગુનાને અંજામ આપી રહ્યા હતા. જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં આવા ગુનેગારો મેડિકલ સ્ટોર પરથી નશાયુક્ત દવા અને સીરપના આધારે નશો કરતા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આ મામલે એસ.ઓ.જી. પોલીસે શહેરમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે આ મામલે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અને ડોકટરના પ્રિક્રિપશન વગર દવા આપતા મેડિકલ પર તપાસ શરૂ કરી હતી.
દરમિયાન સલાબતપુરા વિસ્તારમાં આવેલા દારૂવાલા મેડિકલમાં આવી રીતે નશાયુક્ત ટેબ્લેટ અને સીરપ આપતા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી આ કારોબાર ઝડપી પાડ્યો હતો. પોલીસે મેડિકલ સ્ટોરમાંથી 4634 ટેબ્લેટ અને 296 સીરપની બોટલ મળી કુલ 51 હજારની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મેડિકલ સ્ટોર સંચાલક યશ અતુલ દારૂવાલાની ધરપકડ કરાઈ હતી. પોલીસે હાલ મેડિકલ સ્ટોર સિલ કર્યું છે. અને ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બેદરકારી બદલ લાયસન્સ સ્પસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આગામી દિવસોમાં તમામ મેડિકલ સ્ટોરમાં તપાસ કરાશે
સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાણવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગ, નારકોટિક્સ બ્યુરોને સાથે રાખી આ મામલે સંપૂર્ણ તપાસ કરાશે. યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. તેમજ આ દવા ડિસ્ટ્રીબ્યુટરથી લઈને રિટેલર સુધી કેવી રીતે પહોંચે છે તેની પણ તપાસ કરવામાં આવશે.
મેડિકલ સ્ટોર પર નશીલી સીરપ અને ટેબ્લેટનું ડોકટરના પ્રિક્રિપશન વગર વેચાણ થતું હતું
ગુનેગારોની પૂછપરછ દરમિયાન ભાંડો ફૂટ્યો
એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે ડમી ગ્રાહક મોકલી તપાસ કરી
WatchGujarat મેડિકલ સ્ટોર પર નશીલી સીરપ અને ટેબ્લેટનું ડોકટરના પ્રિક્રિપશન વગર વેચાણ થતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેથી સુરતમાં એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે ડમી ગ્રાહક મોકલી તપાસ કરી હતી. તપાસ દરમિયાન નશાયુક્ત સીરપ અને ટેબ્લેટ આપતા મેડિકલ સ્ટોરના માલિકની ધરપકડ કરી રૂ 51 હજારની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
સુરત પોલીસે ગુનેગારોની પૂછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન ધ્યાને આવ્યું હતું કે આવા ગુનેગારો નશાની હાલતમાં ગુનાને અંજામ આપી રહ્યા હતા. જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં આવા ગુનેગારો મેડિકલ સ્ટોર પરથી નશાયુક્ત દવા અને સીરપના આધારે નશો કરતા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આ મામલે એસ.ઓ.જી. પોલીસે શહેરમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે આ મામલે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અને ડોકટરના પ્રિક્રિપશન વગર દવા આપતા મેડિકલ પર તપાસ શરૂ કરી હતી.
દરમિયાન સલાબતપુરા વિસ્તારમાં આવેલા દારૂવાલા મેડિકલમાં આવી રીતે નશાયુક્ત ટેબ્લેટ અને સીરપ આપતા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી આ કારોબાર ઝડપી પાડ્યો હતો. પોલીસે મેડિકલ સ્ટોરમાંથી 4634 ટેબ્લેટ અને 296 સીરપની બોટલ મળી કુલ 51 હજારની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મેડિકલ સ્ટોર સંચાલક યશ અતુલ દારૂવાલાની ધરપકડ કરાઈ હતી. પોલીસે હાલ મેડિકલ સ્ટોર સિલ કર્યું છે. અને ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બેદરકારી બદલ લાયસન્સ સ્પસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આગામી દિવસોમાં તમામ મેડિકલ સ્ટોરમાં તપાસ કરાશે
સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાણવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગ, નારકોટિક્સ બ્યુરોને સાથે રાખી આ મામલે સંપૂર્ણ તપાસ કરાશે. યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. તેમજ આ દવા ડિસ્ટ્રીબ્યુટરથી લઈને રિટેલર સુધી કેવી રીતે પહોંચે છે તેની પણ તપાસ કરવામાં આવશે.