અંદર પતરાશેડ પાછળ જ 20 થી 22 જેટલા મૃતદેહ મુકવામાં આવ્યા
મૃતકોના પરિવારજનો અંતિમવિધિ માટે વેઈટીંગમાં ઉભા હતા
માત્ર સરકારની જ નહી જનતાએ હવે ખુદ જાગૃત થવાની અને સાવચેત રહેવાની અપીલ કરી હતી
WatchGujarat. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં અશ્વિની કુમાર સ્મશાન ભૂમિનો એક વિડીયો વાયરલ થયો છે. અને વિડીયોમાં મૃતદેહના અંતિમવિધિ માટે લાંબી કતારો જોવા મળી રહી છે.
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાનું સંક્ર્મણ વધ્યું છે.અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલોના બેડ પણ હાઉસફૂલ થઇ રહ્યા છે. આ બધા વચ્ચે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ભૂમિનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં અશ્વિની કુમાર સ્મશાન ભૂમિની અંદર પતરાશેડ પાછળ જ 20 થી 22 જેટલા મૃતદેહ મુકવામાં આવ્યા હતા. ઉપરાંત મૃતકોના પરિવારજનો અંતિમવિધિ માટે વેઈટીંગમાં ઉભા હતા. આ વિડીયો જોઇને રુહ પણ કંપી જાય તેમ છે. વિડીયો ઉતારનાર વ્યક્તિએ વિડીયોમાં જણાવ્યું હતું કે, અહી મૃતદેહો વેઇટિંગમાં રાહ જોઈ રહ્યા છે. લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી હતી. માત્ર સરકારની જ નહી જનતાએ હવે ખુદ જાગૃત થવાની અને સાવચેત રહેવાની અપીલ કરી હતી.
https://twitter.com/WatchGujarat/status/1379714750104313857?s=20
લોકો ટોકન લઈને લાઈનમાં ઉભા છે.
વિડીયો ઉતારનાર હરીશ ગુર્જરે જણાવ્યું હતું કે, તેઓના મિત્ર રોહિતભાઈ સાવલિયા કોરોનામાં સપડાયા બાદ તેઓનુ નિધન થયું હતું. જેથી તેઓ અશ્વિની કુમાર સ્મશાન ખાતે ગયા હતા. જ્યાં તેઓ આ દ્રશ્ય જોઇને હચમચી ઉઠ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિડીયો ફેક નથી તેઓએ આ વિડીયો 6 એપ્રિલના રોજ ઉતાર્યો હતો. અહી અંતિમ વિધિ માટે લોકો ટોકન લઈને લાઈનમાં ઉભા છે. આ ઉપરાંત તેઓએ સરકારને અપીલ પણ કરી હતી કે મૃતદેહના અંતિમ સંસ્કાર થઇ શકે તે માટે સ્મશાન ભૂમિની યોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવી જોઈએ.
તંત્ર આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ
અત્રે ઉલ્લેખીય છે કે, સુરત મનપા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 7 દર્દીઓના મોત થયા હતા. જયારે સ્મશાન ભૂમિમાં વેઈટીગ ચાલી રહ્યું છે. તંત્ર મૃત્યુઆંક છુપાવતા હોવાનો આક્ષેપ પણ થયો છે. સુરતમાં કોરોનાને કારણે મોતના આંકમાં વધારો થયો છે. આ સાથે સ્મશાનોમાં બેથી વધુ કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જોકે તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. એક દિવસમાં 60થી વધુ કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમસંસ્કાર થાય છે, જોકે સાંજે પાલિકા દ્વારા માત્ર સાતથી આઠ દર્દીનાં જ કોરોનાથી મોત થયાં હોવાનું જાહેર કરવામાં આવે છે.
શહેરમાં કોરોનાના 883 દર્દીઓની હાલત ગંભીર
શહેરમાં હાલ 883 દર્દીઓની હાલત ગંભીર છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર 486 દર્દીઓ છે. જયારે બાયપેપ પર 110 અને વેન્ટિલેટર પર 13 દર્દી છે. આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન પર 207 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 50 દર્દીઓ બાયપેપ પર અને 17 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.
અંદર પતરાશેડ પાછળ જ 20 થી 22 જેટલા મૃતદેહ મુકવામાં આવ્યા
મૃતકોના પરિવારજનો અંતિમવિધિ માટે વેઈટીંગમાં ઉભા હતા
માત્ર સરકારની જ નહી જનતાએ હવે ખુદ જાગૃત થવાની અને સાવચેત રહેવાની અપીલ કરી હતી
WatchGujarat. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં અશ્વિની કુમાર સ્મશાન ભૂમિનો એક વિડીયો વાયરલ થયો છે. અને વિડીયોમાં મૃતદેહના અંતિમવિધિ માટે લાંબી કતારો જોવા મળી રહી છે.
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાનું સંક્ર્મણ વધ્યું છે.અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલોના બેડ પણ હાઉસફૂલ થઇ રહ્યા છે. આ બધા વચ્ચે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ભૂમિનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં અશ્વિની કુમાર સ્મશાન ભૂમિની અંદર પતરાશેડ પાછળ જ 20 થી 22 જેટલા મૃતદેહ મુકવામાં આવ્યા હતા. ઉપરાંત મૃતકોના પરિવારજનો અંતિમવિધિ માટે વેઈટીંગમાં ઉભા હતા. આ વિડીયો જોઇને રુહ પણ કંપી જાય તેમ છે. વિડીયો ઉતારનાર વ્યક્તિએ વિડીયોમાં જણાવ્યું હતું કે, અહી મૃતદેહો વેઇટિંગમાં રાહ જોઈ રહ્યા છે. લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી હતી. માત્ર સરકારની જ નહી જનતાએ હવે ખુદ જાગૃત થવાની અને સાવચેત રહેવાની અપીલ કરી હતી.
વિડીયો ઉતારનાર હરીશ ગુર્જરે જણાવ્યું હતું કે, તેઓના મિત્ર રોહિતભાઈ સાવલિયા કોરોનામાં સપડાયા બાદ તેઓનુ નિધન થયું હતું. જેથી તેઓ અશ્વિની કુમાર સ્મશાન ખાતે ગયા હતા. જ્યાં તેઓ આ દ્રશ્ય જોઇને હચમચી ઉઠ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિડીયો ફેક નથી તેઓએ આ વિડીયો 6 એપ્રિલના રોજ ઉતાર્યો હતો. અહી અંતિમ વિધિ માટે લોકો ટોકન લઈને લાઈનમાં ઉભા છે. આ ઉપરાંત તેઓએ સરકારને અપીલ પણ કરી હતી કે મૃતદેહના અંતિમ સંસ્કાર થઇ શકે તે માટે સ્મશાન ભૂમિની યોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવી જોઈએ.
તંત્ર આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ
અત્રે ઉલ્લેખીય છે કે, સુરત મનપા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 7 દર્દીઓના મોત થયા હતા. જયારે સ્મશાન ભૂમિમાં વેઈટીગ ચાલી રહ્યું છે. તંત્ર મૃત્યુઆંક છુપાવતા હોવાનો આક્ષેપ પણ થયો છે. સુરતમાં કોરોનાને કારણે મોતના આંકમાં વધારો થયો છે. આ સાથે સ્મશાનોમાં બેથી વધુ કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જોકે તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. એક દિવસમાં 60થી વધુ કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમસંસ્કાર થાય છે, જોકે સાંજે પાલિકા દ્વારા માત્ર સાતથી આઠ દર્દીનાં જ કોરોનાથી મોત થયાં હોવાનું જાહેર કરવામાં આવે છે.
શહેરમાં કોરોનાના 883 દર્દીઓની હાલત ગંભીર
શહેરમાં હાલ 883 દર્દીઓની હાલત ગંભીર છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર 486 દર્દીઓ છે. જયારે બાયપેપ પર 110 અને વેન્ટિલેટર પર 13 દર્દી છે. આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન પર 207 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 50 દર્દીઓ બાયપેપ પર અને 17 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.