લોકશાહી દેશમાં કોઈ પણ ચૂંટણી કરવી એટલી આસાન નથી હોતી
પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચા બાદ ચૂંટણી માટે જરૂરિયાત મુજબ ફોર્સ મળી જશે : સુનિલ અરોરા
ભારત દેશના મુખ્ય ચુંટણી કમિશનર અમિત અરોરાએ પોતાના પત્ની સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
WatchGujarat. ભારતના મુખ્ય ચુંટણી કમિશ્નર સુનિલ અરોરાએ પોતાની પત્ની સાથે બુધવારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ચુંટણી કમિશ્નર હવાઈ માર્ગે કેવડિયાના આરોગ્ય વન નજીકના હેલિપેડ પર ઉતર્યા હતા. દરમિયાન નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તા, નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વડોદરા કલેકટર શાલીની અગ્રવાલ સહિતના અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા.
મુખ્ય ચુંટણી કમિશ્નર સુનિલ અરોરાએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તો છે જ પણ સાથે સાથે દેશની એકતાનું પણ એક પ્રતીક છે. અને બાંધકામ ક્ષેત્રની એક અજાયબી સમાન છે. વર્ષ 2007 થી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના શરૂ થઈ હતી. મેં વિચાર્યું હતું તેના કરતા પણ વધુ અજયબીનો મને મુલાકાતમાં અનુભવ થયો છે. સરદાર પટેલે જ્યારે ઇન્ટરનેટ અને આઇટી ન હતું તેવા સમયમાં કઠોર પરિશ્રમ કરી સામાન્ય ટાઈપ રાઈટિંગના માધ્યમથી લખાણ કરી દેશના 562 રજવાડાઓને એક કર્યા અને ભારતને એક કરવાનું કામ કર્યું હતું.
https://twitter.com/SpokespersonECI/status/1356901669435543552?s=20
સુનિલ અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી આયોગની ટીમ અને પશ્ચિમ બંગાળના અધિકારી સુદીપ જૈને બે વખત પ્રવાસ કરી ત્યાંની સ્થિતિનું આકલન કર્યું છે. કોરોના હોવા છતાં અમે બિહારમાં સારી રીતે ચૂંટણી કરી એ રીતે પશ્ચિમ બંગાળમાં પણ મજબૂતીથી ચૂંટણી થશે. પશ્ચિમ બંગાળમાં સ્થિતિ મુજબ ફોર્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચાઓ કર્યા બાદ નિર્ણય કરાશે અને જરૂરિયાત મુજબ ફોર્સ પણ મળી જશે.લોકશાહીમાં કોઈ પણ ચૂંટણી કરવી એટલી સહેલી નથી. આટલા મોટા ભારત દેશમાં ઘણા બધા પ્રશ્નો છે, દરેક રાજ્યોના વિસ્તારો અને ભૌગોલીક પરિસ્થિતિ પણ અલગ અલગ હોય છે.
લોકશાહી દેશમાં કોઈ પણ ચૂંટણી કરવી એટલી આસાન નથી હોતી
પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચા બાદ ચૂંટણી માટે જરૂરિયાત મુજબ ફોર્સ મળી જશે : સુનિલ અરોરા
ભારત દેશના મુખ્ય ચુંટણી કમિશનર અમિત અરોરાએ પોતાના પત્ની સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
WatchGujarat. ભારતના મુખ્ય ચુંટણી કમિશ્નર સુનિલ અરોરાએ પોતાની પત્ની સાથે બુધવારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ચુંટણી કમિશ્નર હવાઈ માર્ગે કેવડિયાના આરોગ્ય વન નજીકના હેલિપેડ પર ઉતર્યા હતા. દરમિયાન નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તા, નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વડોદરા કલેકટર શાલીની અગ્રવાલ સહિતના અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા.
મુખ્ય ચુંટણી કમિશ્નર સુનિલ અરોરાએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તો છે જ પણ સાથે સાથે દેશની એકતાનું પણ એક પ્રતીક છે. અને બાંધકામ ક્ષેત્રની એક અજાયબી સમાન છે. વર્ષ 2007 થી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના શરૂ થઈ હતી. મેં વિચાર્યું હતું તેના કરતા પણ વધુ અજયબીનો મને મુલાકાતમાં અનુભવ થયો છે. સરદાર પટેલે જ્યારે ઇન્ટરનેટ અને આઇટી ન હતું તેવા સમયમાં કઠોર પરિશ્રમ કરી સામાન્ય ટાઈપ રાઈટિંગના માધ્યમથી લખાણ કરી દેશના 562 રજવાડાઓને એક કર્યા અને ભારતને એક કરવાનું કામ કર્યું હતું.
સુનિલ અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી આયોગની ટીમ અને પશ્ચિમ બંગાળના અધિકારી સુદીપ જૈને બે વખત પ્રવાસ કરી ત્યાંની સ્થિતિનું આકલન કર્યું છે. કોરોના હોવા છતાં અમે બિહારમાં સારી રીતે ચૂંટણી કરી એ રીતે પશ્ચિમ બંગાળમાં પણ મજબૂતીથી ચૂંટણી થશે. પશ્ચિમ બંગાળમાં સ્થિતિ મુજબ ફોર્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચાઓ કર્યા બાદ નિર્ણય કરાશે અને જરૂરિયાત મુજબ ફોર્સ પણ મળી જશે.લોકશાહીમાં કોઈ પણ ચૂંટણી કરવી એટલી સહેલી નથી. આટલા મોટા ભારત દેશમાં ઘણા બધા પ્રશ્નો છે, દરેક રાજ્યોના વિસ્તારો અને ભૌગોલીક પરિસ્થિતિ પણ અલગ અલગ હોય છે.