નર્મદા કાંઠે ફિલ્મના શૂટિંગ વેળા તેઓ એ જણાવ્યું હતું કે મને નર્મદા સાથે ખૂબ જ લગાવ છે, તેમની રસોઈયનનું નામ પણ નર્મદા હોવાનું દિલીપ સાહબ એ કહ્યું હતું.
રવિ કિશન, નગમા અને મોના થીબા અભિનીત આ ફિલ્મનું શૂટિંગ રાજવંત પેલેસ, ગોરા બ્રિજ અને કેવડીયાની મનમોહક વનરાજીમાં ફિલ્મવાયું હતું
ફિલ્મ જાતે સાયરાબાનું એ પ્રોડ્યુસ કરી હતી અને તેમને કહ્યું હતું કે દિલીપસાબની પડછાઈ બની રહેવાનો તેમને કોઈ રંજ નથી
કુદરતી સૌંદર્ય નગરી રાજપીપળામાં અત્યાર સુધી ઢોલીવુડ, બોલીવુડ, ભોજપુરી, હોલીવુડની 700 થી વઘુ ફિલ્મો બની છે
[caption id="attachment_1277772" align="aligncenter" width="1280"] Dilip kumar with saira banu, Gujarat - Rajpipla[/caption]
Watchgujarat. 98 વર્ષની વયે આજે ટ્રેજેડી કિંગ ગણાતા દિલીપ કુમારનું નિધન થયું છે, તેઓ સાયરાબાનું સાથે વર્ષ 2005 માં 20 ડિસેમ્બરે રાજપીપળા તેઓની ભોજપુરી ફિલ્મ અબ તો બનજા સજનવા હમાર ના શૂટિંગ માટે આવ્યા હતા અને એક સપ્તાહ સુધી રજવાડી નગરીમાં મુકામ નાખ્યો હતો.
કેવડિયા SOU આજે વિશ્વકક્ષાનું પર્યટન સ્થળ બની ગયું છે પણ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ન હતું ત્યારે વર્ષો પેહલા રજવાડી નગરી રાજપીપળા હિન્દી, ગુજરાતી, ભોજપુરી ફિલ્મો અને ટીવી સિરિયલોના શૂટિંગનું હોટસ્પોટ હતું.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે 2005 ના ડિસેમ્બર મહિનામાં દિલીપકુમાર પોતાની ભોજપુરી ફિલ્મના શૂટિંગ માટે રાજપીપળા, કેવડિયા અને તેના આજુબાજુના મનભાવન, પ્રાકૃતિક સૌંદર્યથી ઊભરાતા લોકેશનને ધ્યાનમાં રાખીને સાયરાબાનુ સાથે આવ્યા હતા.
લગભગ એક અઠવાડીયાના શૂટિંગના શિડયુલ સાથેનું રોકાણ સાયરાબાનું પ્રસ્તુત અબ તો બનજા સજનવા હમાર ભોજપુરી ફિલ્મ માટે કર્યું હતું. જેના કલાકારો હાલના ભાજપ BJP ના MP રવિ કિશન , નગમા, મોના થીબા સહિતના હતા. બોલીવુડના ટ્રેજડી કિંગ દિલીપકુમાર રાજપીપળા આવવાના હોવાના સમાચાર વહેતા થતા જ સ્થાનિક, પ્રાદેશિક સહિત રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો અને અખબારોના પત્રકારોએ પણ રાજપીપળામાં પડાવ નાખ્યા હતા. કેટલાક તો દિલીપ સાબને મળવા પહેરેલે કપડે મુલાકાત કરવા આવી ગયા હતા.
https://youtu.be/37d27bNXKns
દિલીપ કુમારની પ્રથમ ફિલ્મથી માંડી જે તે સમય સુધીનું જે કંઈ પણ લખાયું હોય કે છપાયું હોય તે વિશેનું કલેક્શન તસવીરો સાથેની એક દળદાર ફાઇલ એચ.બી. ઠક્કરે બનાવી હતી. તે કલેક્શન લઈને આવી ગયા. દિલીપકુમાર વિશેનું કલેક્શન જોઈને સાયરાબાનુ ખુશ થઈ ગયા અને કહ્યું કે આ કલેક્શન મને આપો તો તમારી દિલીપકુમાર સાથે વ્યવસ્થિત મુલાકાત કરાવું.
તે પછી ગોઠવાયો દિલીપકુમાર સાથેની મુલાકાતનો તખ્તો. આ માટે તેમણે દૂરદર્શનના પ્રશાંત જાદવનો સંપર્ક સાધ્યો અને પ્રશાંતભાઈ પણ મોકાની નજાકત સમજીને કેવડિયા ખાતે પોતાની ટીમની સાથે તાત્કાલિક પહોંચી ગયા. પછી શરૂ થયો દિલીપકુમાર સાથેનો મેરેથોન વાર્તાલાપ.
જે દૂરદર્શનમાં બે હપ્તા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો. દિલીપકુમારનો અત્યાર સુધી પડછાયો બની રહેલા સાયરાબાનુની માવજતને કારણે જ દિલીપકુમાર પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ લાંબુ જીવી શક્યા. સાયરાબાનુની મહેનત અને જહેમતને કારણે દિલીપકુમારનું સ્વાસ્થ્ય સારું રહ્યું હતું.
આ બાબતે જ્યારે રૂબરૂ મુલાકાત વખતે સાયરાબાનુંને પૂછવામાં આવ્યું તો તે વખતે તેમણે પોતાના ખુશી જાહેર કરી હતી. તેમની સાથે રહેવાનો મોકો મળ્યા બાબતે અહોભાવ પણ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત દિલીપ સાબનો મા નર્મદા સાથેનો એક સંબંધ સાયરાબાનું એ કેવડિયામાં શૂટિંગ વેળા શેર કર્યો હતો કે, આજે તેઓ જે માં નર્મદાના કાંઠે પોતાની ભોજપુરી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, ત્યારે તેઓના વર્ષો જૂના રસોઈયાનું નામ પણ નર્મદા જ છે. આ યાદગીરી તેમણે જણાવી હતી. આ શૂટિંગ દરમિયાન પણ તેમના એ રસોયણ નર્મદાબેન તેમની સાથે જ હતા.
સપ્તાહ દરમિયાન દિલીપકુમાર સાયરાબાનુ સતત સાથે રહ્યા હતા. તેઓની ભોજપુરી ફિલ્મનું શૂટિંગ રાજપીપળાના રાજવંત પેલેસ તેમજ કેવડિયાના ગોરા બ્રિજ ખાતે તથા અન્ય સ્થળોએ કર્યું હતું. ગોરાબ્રીજની બાજુના ખુલ્લા ભાગમાં એ ભોજપુરી ફિલ્મનું ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું.
દિલીપકુમારનો પડછાયો બનવાનો સાયરાબાનુને ક્યારેય રંજ નથી થયો. પરંતુ દિલીપકુમાર વિશે એમ જણાવ્યું હતું કે, અભિનયમાં જાન રેડવાની તેમની પુરાની આદત હતી. એટલે જ આજે પણ લાખો ચાહકોના દિલમાં દિલીપકુમાર રાજ કરી રહ્યા છે. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેઓની યાદો અને તેમનો અભીનય સદા યાદ રહેશે.
150થી વધુ ગુજરાતી અને 300થી વધુ ભોજપુરી ફિલ્મો બની
રાજપીપળા એક ઐતિહાસિક ધરોહર અને સુંદર જંગલોથી ભરેલુ નગર છે. અહીં ઘણા રાજકીય પેલેસ અને મંદિરો આવેલા છે. નગરનું લોકેશન પ્રવાસીઓને તેની તરફ ખેંચી લાવે છે. કહેવાય છેકે, મોટાભાગની ગુજરાતી ફિલ્મો અહીં જ શૂટ થયેલી છે. અંદાજિત 150થી વધુ ગુજરાતી ફિલ્મ નગરના પેલેસ તેમજ તેની આસપાસના લોકેશન પર બની છે. ત્યારે ભોજપુરીની પણ 350થી વધારે ફિલ્મો રાજપીપળામાં શૂટ થઇ છે.
બોલીવુડની ઘયલ જિદ્દી જેવી ઘણી મૂવી અને સિરિયલોમાં રાજપીપળાનું છલકતું સૌંદર્ય
ફિલ્મ સિવાય અહીં ટીવી સિરિયલ, ડોક્યુમેન્ટ્રી તેમજ શોર્ટ ફિલ્મો પણ બની ચુકી છે. વર્લ્ડ સેલિબ્રિટી યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ પર દેશ વિદેશમાંથી હોલીવુડ સ્ટાર, ડિરેક્ટરે રાજવંત પેલેસમાં આવીને યુવરાજનું ફિલ્માંકન કર્યું છે. બોલિવુડની વાત કરીએ તો ઘાયલ, જીદ્દી જેવી ઘણી બધી હિન્દી ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે. ઉપરાંત ચંન્દ્રકાન્તા, ચંદ્રમુખી, ઘર એક સપના, ગણેશા-1 જેવી સિરિયલોનું શૂટિંગ પણ રાજપીપળામાં કરવામાં આવ્યું છે.
રાજપીપળામાં કામ કરી ચુકેલા બોલીવુડ સ્ટાર
રાજપીપળામાં ઘણા મોટા દિગ્ગજ સ્ટાર્સે કામ કર્યું છે જેમાં, દિલીપ કુમાર, પ્રાણ, શત્રુધ્ન સિંહા, કાદરખાન, અમરીશપુરી, હેમા માલીની, સ્મિતા પાટીલ, નગમા સહિતના સ્ટાર સામેલ છે. ત્યારે ગુજરાતી કલાકારમાં નરેશ કનોડિયા, રીટા ભાદુરી, હિતુ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ મહેતા સહિતના સ્ટાર્સે અહીં કામ કર્યું છે.
નર્મદા કાંઠે ફિલ્મના શૂટિંગ વેળા તેઓ એ જણાવ્યું હતું કે મને નર્મદા સાથે ખૂબ જ લગાવ છે, તેમની રસોઈયનનું નામ પણ નર્મદા હોવાનું દિલીપ સાહબ એ કહ્યું હતું.
રવિ કિશન, નગમા અને મોના થીબા અભિનીત આ ફિલ્મનું શૂટિંગ રાજવંત પેલેસ, ગોરા બ્રિજ અને કેવડીયાની મનમોહક વનરાજીમાં ફિલ્મવાયું હતું
ફિલ્મ જાતે સાયરાબાનું એ પ્રોડ્યુસ કરી હતી અને તેમને કહ્યું હતું કે દિલીપસાબની પડછાઈ બની રહેવાનો તેમને કોઈ રંજ નથી
કુદરતી સૌંદર્ય નગરી રાજપીપળામાં અત્યાર સુધી ઢોલીવુડ, બોલીવુડ, ભોજપુરી, હોલીવુડની 700 થી વઘુ ફિલ્મો બની છે
Watchgujarat. 98 વર્ષની વયે આજે ટ્રેજેડી કિંગ ગણાતા દિલીપ કુમારનું નિધન થયું છે, તેઓ સાયરાબાનું સાથે વર્ષ 2005 માં 20 ડિસેમ્બરે રાજપીપળા તેઓની ભોજપુરી ફિલ્મ અબ તો બનજા સજનવા હમાર ના શૂટિંગ માટે આવ્યા હતા અને એક સપ્તાહ સુધી રજવાડી નગરીમાં મુકામ નાખ્યો હતો.
કેવડિયા SOU આજે વિશ્વકક્ષાનું પર્યટન સ્થળ બની ગયું છે પણ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ન હતું ત્યારે વર્ષો પેહલા રજવાડી નગરી રાજપીપળા હિન્દી, ગુજરાતી, ભોજપુરી ફિલ્મો અને ટીવી સિરિયલોના શૂટિંગનું હોટસ્પોટ હતું.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે 2005 ના ડિસેમ્બર મહિનામાં દિલીપકુમાર પોતાની ભોજપુરી ફિલ્મના શૂટિંગ માટે રાજપીપળા, કેવડિયા અને તેના આજુબાજુના મનભાવન, પ્રાકૃતિક સૌંદર્યથી ઊભરાતા લોકેશનને ધ્યાનમાં રાખીને સાયરાબાનુ સાથે આવ્યા હતા.
લગભગ એક અઠવાડીયાના શૂટિંગના શિડયુલ સાથેનું રોકાણ સાયરાબાનું પ્રસ્તુત અબ તો બનજા સજનવા હમાર ભોજપુરી ફિલ્મ માટે કર્યું હતું. જેના કલાકારો હાલના ભાજપ BJP ના MP રવિ કિશન , નગમા, મોના થીબા સહિતના હતા. બોલીવુડના ટ્રેજડી કિંગ દિલીપકુમાર રાજપીપળા આવવાના હોવાના સમાચાર વહેતા થતા જ સ્થાનિક, પ્રાદેશિક સહિત રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો અને અખબારોના પત્રકારોએ પણ રાજપીપળામાં પડાવ નાખ્યા હતા. કેટલાક તો દિલીપ સાબને મળવા પહેરેલે કપડે મુલાકાત કરવા આવી ગયા હતા.
દિલીપ કુમારની પ્રથમ ફિલ્મથી માંડી જે તે સમય સુધીનું જે કંઈ પણ લખાયું હોય કે છપાયું હોય તે વિશેનું કલેક્શન તસવીરો સાથેની એક દળદાર ફાઇલ એચ.બી. ઠક્કરે બનાવી હતી. તે કલેક્શન લઈને આવી ગયા. દિલીપકુમાર વિશેનું કલેક્શન જોઈને સાયરાબાનુ ખુશ થઈ ગયા અને કહ્યું કે આ કલેક્શન મને આપો તો તમારી દિલીપકુમાર સાથે વ્યવસ્થિત મુલાકાત કરાવું.
તે પછી ગોઠવાયો દિલીપકુમાર સાથેની મુલાકાતનો તખ્તો. આ માટે તેમણે દૂરદર્શનના પ્રશાંત જાદવનો સંપર્ક સાધ્યો અને પ્રશાંતભાઈ પણ મોકાની નજાકત સમજીને કેવડિયા ખાતે પોતાની ટીમની સાથે તાત્કાલિક પહોંચી ગયા. પછી શરૂ થયો દિલીપકુમાર સાથેનો મેરેથોન વાર્તાલાપ.
જે દૂરદર્શનમાં બે હપ્તા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો. દિલીપકુમારનો અત્યાર સુધી પડછાયો બની રહેલા સાયરાબાનુની માવજતને કારણે જ દિલીપકુમાર પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ લાંબુ જીવી શક્યા. સાયરાબાનુની મહેનત અને જહેમતને કારણે દિલીપકુમારનું સ્વાસ્થ્ય સારું રહ્યું હતું.
આ બાબતે જ્યારે રૂબરૂ મુલાકાત વખતે સાયરાબાનુંને પૂછવામાં આવ્યું તો તે વખતે તેમણે પોતાના ખુશી જાહેર કરી હતી. તેમની સાથે રહેવાનો મોકો મળ્યા બાબતે અહોભાવ પણ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત દિલીપ સાબનો મા નર્મદા સાથેનો એક સંબંધ સાયરાબાનું એ કેવડિયામાં શૂટિંગ વેળા શેર કર્યો હતો કે, આજે તેઓ જે માં નર્મદાના કાંઠે પોતાની ભોજપુરી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, ત્યારે તેઓના વર્ષો જૂના રસોઈયાનું નામ પણ નર્મદા જ છે. આ યાદગીરી તેમણે જણાવી હતી. આ શૂટિંગ દરમિયાન પણ તેમના એ રસોયણ નર્મદાબેન તેમની સાથે જ હતા.
સપ્તાહ દરમિયાન દિલીપકુમાર સાયરાબાનુ સતત સાથે રહ્યા હતા. તેઓની ભોજપુરી ફિલ્મનું શૂટિંગ રાજપીપળાના રાજવંત પેલેસ તેમજ કેવડિયાના ગોરા બ્રિજ ખાતે તથા અન્ય સ્થળોએ કર્યું હતું. ગોરાબ્રીજની બાજુના ખુલ્લા ભાગમાં એ ભોજપુરી ફિલ્મનું ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું.
દિલીપકુમારનો પડછાયો બનવાનો સાયરાબાનુને ક્યારેય રંજ નથી થયો. પરંતુ દિલીપકુમાર વિશે એમ જણાવ્યું હતું કે, અભિનયમાં જાન રેડવાની તેમની પુરાની આદત હતી. એટલે જ આજે પણ લાખો ચાહકોના દિલમાં દિલીપકુમાર રાજ કરી રહ્યા છે. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેઓની યાદો અને તેમનો અભીનય સદા યાદ રહેશે.
150થી વધુ ગુજરાતી અને 300થી વધુ ભોજપુરી ફિલ્મો બની
રાજપીપળા એક ઐતિહાસિક ધરોહર અને સુંદર જંગલોથી ભરેલુ નગર છે. અહીં ઘણા રાજકીય પેલેસ અને મંદિરો આવેલા છે. નગરનું લોકેશન પ્રવાસીઓને તેની તરફ ખેંચી લાવે છે. કહેવાય છેકે, મોટાભાગની ગુજરાતી ફિલ્મો અહીં જ શૂટ થયેલી છે. અંદાજિત 150થી વધુ ગુજરાતી ફિલ્મ નગરના પેલેસ તેમજ તેની આસપાસના લોકેશન પર બની છે. ત્યારે ભોજપુરીની પણ 350થી વધારે ફિલ્મો રાજપીપળામાં શૂટ થઇ છે.
બોલીવુડની ઘયલ જિદ્દી જેવી ઘણી મૂવી અને સિરિયલોમાં રાજપીપળાનું છલકતું સૌંદર્ય
ફિલ્મ સિવાય અહીં ટીવી સિરિયલ, ડોક્યુમેન્ટ્રી તેમજ શોર્ટ ફિલ્મો પણ બની ચુકી છે. વર્લ્ડ સેલિબ્રિટી યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ પર દેશ વિદેશમાંથી હોલીવુડ સ્ટાર, ડિરેક્ટરે રાજવંત પેલેસમાં આવીને યુવરાજનું ફિલ્માંકન કર્યું છે. બોલિવુડની વાત કરીએ તો ઘાયલ, જીદ્દી જેવી ઘણી બધી હિન્દી ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે. ઉપરાંત ચંન્દ્રકાન્તા, ચંદ્રમુખી, ઘર એક સપના, ગણેશા-1 જેવી સિરિયલોનું શૂટિંગ પણ રાજપીપળામાં કરવામાં આવ્યું છે.
રાજપીપળામાં કામ કરી ચુકેલા બોલીવુડ સ્ટાર
રાજપીપળામાં ઘણા મોટા દિગ્ગજ સ્ટાર્સે કામ કર્યું છે જેમાં, દિલીપ કુમાર, પ્રાણ, શત્રુધ્ન સિંહા, કાદરખાન, અમરીશપુરી, હેમા માલીની, સ્મિતા પાટીલ, નગમા સહિતના સ્ટાર સામેલ છે. ત્યારે ગુજરાતી કલાકારમાં નરેશ કનોડિયા, રીટા ભાદુરી, હિતુ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ મહેતા સહિતના સ્ટાર્સે અહીં કામ કર્યું છે.