હાલ ઓટોપ્સીના સંશોધન અંગે અવલોકન અને નિરીક્ષણ ચાલી રહ્યું છે. – ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા
રાજકોટ. કોરોનાને કારણે ફેફસાં પથ્થર જેવા થવા કે લોહીની નળી જામી જવી, ફાઇબ્રસીસ થવું વગેરે જેવાં અહેવાલો આજે કેટલાક અખબારી માધ્યમમાં પ્રસિદ્ધ થયા હતા. પરંતુ ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા ડો. હેતલ કિયાડાએ આ વાનો સાફ ઈન્કાર કર્યો છે. તેમજ હજુસુધી કોઈપણ નિષ્કર્ષ પર નહીં પહોંચ્યા હોવાનું જણાવ્યું છે.
https://twitter.com/watchgujarat/status/1311325233010421760?s=21
ડોકટર કિયાડાએ Watch Gujarat સાથેની વાતચિતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, શહેરની મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓની ઓટોપ્સી અંગે ડોકટર્સ કોઇ તારણ પર પહોંચ્યા હોવાની વાતમાં કોઇ વજૂદ નથી. આ મામલે અમુક અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા છે, જે વજૂદ વગરનાં છે. કેમ કે હજુ તો કોરોના સંક્રમિત મૃતદેહોની ઓટોપ્સીની કામગીરી પ્રગતિ હેઠળ છે. એટલે હાલ ઓટોપ્સીના તારણો વિષે કંઇપણ કહેવું ખૂબ વહેલું ગણાાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ તો ઓટોપ્સીના સંશોધન અંગે અવલોકન અને નિરીક્ષણ ચાલી રહયું છે. આ સમયગાળા બાદ જ કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. સંપૂર્ણ સંશોધન પુરૂં થયા બાદ તજજ્ઞ ડોકટર્સ કોરોના અંગેની સારવારમાં ઓટોપ્સીના અવલોકનથી તારવેલા તથ્યો કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સૂચવી શકશે.
હાલ ઓટોપ્સીના સંશોધન અંગે અવલોકન અને નિરીક્ષણ ચાલી રહ્યું છે. – ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા
રાજકોટ. કોરોનાને કારણે ફેફસાં પથ્થર જેવા થવા કે લોહીની નળી જામી જવી, ફાઇબ્રસીસ થવું વગેરે જેવાં અહેવાલો આજે કેટલાક અખબારી માધ્યમમાં પ્રસિદ્ધ થયા હતા. પરંતુ ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા ડો. હેતલ કિયાડાએ આ વાનો સાફ ઈન્કાર કર્યો છે. તેમજ હજુસુધી કોઈપણ નિષ્કર્ષ પર નહીં પહોંચ્યા હોવાનું જણાવ્યું છે.
ડોકટર કિયાડાએ Watch Gujarat સાથેની વાતચિતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, શહેરની મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓની ઓટોપ્સી અંગે ડોકટર્સ કોઇ તારણ પર પહોંચ્યા હોવાની વાતમાં કોઇ વજૂદ નથી. આ મામલે અમુક અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા છે, જે વજૂદ વગરનાં છે. કેમ કે હજુ તો કોરોના સંક્રમિત મૃતદેહોની ઓટોપ્સીની કામગીરી પ્રગતિ હેઠળ છે. એટલે હાલ ઓટોપ્સીના તારણો વિષે કંઇપણ કહેવું ખૂબ વહેલું ગણાાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ તો ઓટોપ્સીના સંશોધન અંગે અવલોકન અને નિરીક્ષણ ચાલી રહયું છે. આ સમયગાળા બાદ જ કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. સંપૂર્ણ સંશોધન પુરૂં થયા બાદ તજજ્ઞ ડોકટર્સ કોરોના અંગેની સારવારમાં ઓટોપ્સીના અવલોકનથી તારવેલા તથ્યો કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સૂચવી શકશે.