સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદી દ્વારા કલેકટરનું સ્વાગત કરવામાં આવ્યું
મેડીકલ કોલેજ ખાતે તમામ ડિપાર્ટમેન્ટના નોડલ ઓફિસર સહિત મહત્વની એજન્સીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કર્યા બાદ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું
ત્રીજી લહેરમાં દર્દીઓને બેડ, ઓક્સિજન કે દવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને વાહનોની કતારો ન લાગે તે માટે યોગ્ય મેનેજમેન્ટ ગોઠવવા સુચન
WatchGujarat. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની ભારે અછત સર્જાઈ હતી. જો કે હવે બીજી લહેર શાંત પડી ગઈ છે. શહેરમાં માંડ ગણ્યા ગાંઠ્યા દર્દીઓ સારવારમાં છે. પરંતુ, કોરોનાની થર્ડવેવની સંભાવનાને લઈ તંત્ર બીજી લહેર જેવી ભુલ ન થાય તે માટે ખાસ આગોતરી તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે આજે ત્રીજી લહેરને પહોંચી વળવા કેવી તૈયારી છે તેને લઇ નવનિયુકત કલેકટર અરૂણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને કોવિડ વોર્ડ સાથે ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ કરી મેડીકલ કોલેજ અને સિવિલના અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી.
સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદી દ્વારા કલેકટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેકટર દ્વારા કોવિડ બિલ્ડીંગ અને ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ કરાયું હતું. બાદમાં મેડીકલ કોલેજ ખાતે તમામ ડિપાર્ટમેન્ટના નોડલ ઓફિસર, તમામ ફ્લોર મેનેજર, એનેસ્થેસ્થીયા, પીડીયાટ્રીક, એમ.ડી. મેડીસીન, સાઈકાટ્રીક, મેટ્રન, ડીન, સુપ્રિન્ટેન્ડેન્ટ, જુનીયર અને સીનીયર ડોકટર સિક્યુરીટી એજન્સી અને ફુડ સર્વિસ એજન્સી સાથે બેઠક યોજી સમીક્ષા કર્યા બાદ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ અંગે કલેકટરે જણાવ્યું હતું કે, હાલમાં કોવિડની પરિસ્થિતી નિયંત્રણમાં છે. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. ત્યારે ત્રીજી લહેરમાં દર્દીઓને બેડ, ઓક્સિજન કે દવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને વાહનોની કતારો ન લાગે તે માટે યોગ્ય મેનેજમેન્ટ ગોઠવાશે. ત્રીજી લહેરમાં સૌથી વધુ ખતરો બાળકોને હોવાથી જિલ્લા અને શહેરમાં બાળકો કોરોનામુક્ત રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. અને બાળકો માટે 100 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. બેડની વ્યવસ્થા અને ખાનગી તેમજ સરકારી તબીબો માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદી દ્વારા કલેકટરનું સ્વાગત કરવામાં આવ્યું
મેડીકલ કોલેજ ખાતે તમામ ડિપાર્ટમેન્ટના નોડલ ઓફિસર સહિત મહત્વની એજન્સીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કર્યા બાદ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું
ત્રીજી લહેરમાં દર્દીઓને બેડ, ઓક્સિજન કે દવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને વાહનોની કતારો ન લાગે તે માટે યોગ્ય મેનેજમેન્ટ ગોઠવવા સુચન
WatchGujarat. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની ભારે અછત સર્જાઈ હતી. જો કે હવે બીજી લહેર શાંત પડી ગઈ છે. શહેરમાં માંડ ગણ્યા ગાંઠ્યા દર્દીઓ સારવારમાં છે. પરંતુ, કોરોનાની થર્ડવેવની સંભાવનાને લઈ તંત્ર બીજી લહેર જેવી ભુલ ન થાય તે માટે ખાસ આગોતરી તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે આજે ત્રીજી લહેરને પહોંચી વળવા કેવી તૈયારી છે તેને લઇ નવનિયુકત કલેકટર અરૂણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને કોવિડ વોર્ડ સાથે ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ કરી મેડીકલ કોલેજ અને સિવિલના અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી.
સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદી દ્વારા કલેકટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેકટર દ્વારા કોવિડ બિલ્ડીંગ અને ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ કરાયું હતું. બાદમાં મેડીકલ કોલેજ ખાતે તમામ ડિપાર્ટમેન્ટના નોડલ ઓફિસર, તમામ ફ્લોર મેનેજર, એનેસ્થેસ્થીયા, પીડીયાટ્રીક, એમ.ડી. મેડીસીન, સાઈકાટ્રીક, મેટ્રન, ડીન, સુપ્રિન્ટેન્ડેન્ટ, જુનીયર અને સીનીયર ડોકટર સિક્યુરીટી એજન્સી અને ફુડ સર્વિસ એજન્સી સાથે બેઠક યોજી સમીક્ષા કર્યા બાદ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ અંગે કલેકટરે જણાવ્યું હતું કે, હાલમાં કોવિડની પરિસ્થિતી નિયંત્રણમાં છે. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. ત્યારે ત્રીજી લહેરમાં દર્દીઓને બેડ, ઓક્સિજન કે દવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને વાહનોની કતારો ન લાગે તે માટે યોગ્ય મેનેજમેન્ટ ગોઠવાશે. ત્રીજી લહેરમાં સૌથી વધુ ખતરો બાળકોને હોવાથી જિલ્લા અને શહેરમાં બાળકો કોરોનામુક્ત રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. અને બાળકો માટે 100 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. બેડની વ્યવસ્થા અને ખાનગી તેમજ સરકારી તબીબો માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.