કસીનને લઈને ડર રહેલો હોઈ તેઓ રસીકરણ કરાવવા ઇચ્છતા નથી
આઉટસોર્સ એજન્સી દ્વારા વેકસીન લેવા માટે કર્મચારીઓને ફરજ પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું
વેકસીન લેશે તો જ પગાર મળશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરાતા અનેક સવાલો ઉઠ્યા
WatchGujarat. દેશભરમાં કોરોના મહામારીને હરાવવા સૌથી મોટું વેકસીનેશન ચાલી રહ્યું છે. જો કે હાલ આરોગ્યનાં કર્મચારીઓ અને પોલીસ સહિતના સરકારી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. જો કે ઘણા લોકોમાં વેકસીનને લઈને ડર રહેલો હોઈ તેઓ રસીકરણ કરાવવા ઇચ્છતા નથી. ત્યારે મનપાની મેન પાવર એજન્સી દ્વારા આઉટસોર્સ કર્મચારીઓ સાથે દાદાગીરી કરવામાં આવતી હોવાના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. જેમાં વેકસીન લેશે તો જ પગાર મળશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ કોર્પોરેશનમાં કાર્યરત આઉટસોર્સ એજન્સીની દાદાગીરી સામે આવી છે. જેમાં કંપની દ્વારા વેકસીન લેવા માટે કર્મચારીઓને ફરજ પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જી.ડી. અજમેરા મેનપાવર એજન્સી દ્વારા વેક્સીન લીધા બાદ જ પગાર અપાશે તેવું જણાવાયું હોવાનો મેસેજ સામે આવ્યો છે. જો કે હજુ સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એજન્સીની દાદાગીરી સામે ત્વરિત પગલાં લેવાની માંગ કર્મચારીઓમાં ઉઠી રહી છે.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયામાં જી. ડી. અજમેરા મેનપાવર એજન્સીનાં વોટ્સએપ ગ્રુપનો સ્ક્રીનશોટ ફરતો થયો છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે,
રાજકોટ મહાનગર પાલિકા ખાતે દરેક આઉટસોર્સ ના કર્મચારીઓ એ કોરોના રસી લેવાની છે. જે લોકો એ રસી લીધી છે લોકો એ confirmation આપવાનું છે.
જેને રસી લેવાની બાકી હોય તે નજીક ના કેન્દ્ર એટલે કે East Zone, West Zone ane Central Zone મા આજે જ રસી લે અને ત્યારબાદ confirmation આપવાનું છે.
જાન્યુઆરી માસનો પગાર પછી જ થશે જેની ખાસ નોંધ adl.
આભાર સહ
કોઈ પ્રકાર ના બહાના નહીં ચાલે. Confirmation મને વોટસએપ નંબર પર મોકલી આપવાનું છે.
કસીનને લઈને ડર રહેલો હોઈ તેઓ રસીકરણ કરાવવા ઇચ્છતા નથી
આઉટસોર્સ એજન્સી દ્વારા વેકસીન લેવા માટે કર્મચારીઓને ફરજ પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું
વેકસીન લેશે તો જ પગાર મળશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરાતા અનેક સવાલો ઉઠ્યા
WatchGujarat. દેશભરમાં કોરોના મહામારીને હરાવવા સૌથી મોટું વેકસીનેશન ચાલી રહ્યું છે. જો કે હાલ આરોગ્યનાં કર્મચારીઓ અને પોલીસ સહિતના સરકારી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. જો કે ઘણા લોકોમાં વેકસીનને લઈને ડર રહેલો હોઈ તેઓ રસીકરણ કરાવવા ઇચ્છતા નથી. ત્યારે મનપાની મેન પાવર એજન્સી દ્વારા આઉટસોર્સ કર્મચારીઓ સાથે દાદાગીરી કરવામાં આવતી હોવાના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. જેમાં વેકસીન લેશે તો જ પગાર મળશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ કોર્પોરેશનમાં કાર્યરત આઉટસોર્સ એજન્સીની દાદાગીરી સામે આવી છે. જેમાં કંપની દ્વારા વેકસીન લેવા માટે કર્મચારીઓને ફરજ પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જી.ડી. અજમેરા મેનપાવર એજન્સી દ્વારા વેક્સીન લીધા બાદ જ પગાર અપાશે તેવું જણાવાયું હોવાનો મેસેજ સામે આવ્યો છે. જો કે હજુ સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એજન્સીની દાદાગીરી સામે ત્વરિત પગલાં લેવાની માંગ કર્મચારીઓમાં ઉઠી રહી છે.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયામાં જી. ડી. અજમેરા મેનપાવર એજન્સીનાં વોટ્સએપ ગ્રુપનો સ્ક્રીનશોટ ફરતો થયો છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે,
રાજકોટ મહાનગર પાલિકા ખાતે દરેક આઉટસોર્સ ના કર્મચારીઓ એ કોરોના રસી લેવાની છે. જે લોકો એ રસી લીધી છે લોકો એ confirmation આપવાનું છે.
જેને રસી લેવાની બાકી હોય તે નજીક ના કેન્દ્ર એટલે કે East Zone, West Zone ane Central Zone મા આજે જ રસી લે અને ત્યારબાદ confirmation આપવાનું છે.
જાન્યુઆરી માસનો પગાર પછી જ થશે જેની ખાસ નોંધ adl.
આભાર સહ
કોઈ પ્રકાર ના બહાના નહીં ચાલે. Confirmation મને વોટસએપ નંબર પર મોકલી આપવાનું છે.