આ આરોપીઓએ બે યુવતીને મોકલી જુદા-જુદા વીડિયો ઉતારી લીધા હતા. અને તેના આધારે બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવ્યા – મહંત
મહંતે ટ્રસ્ટમાંથી રાજીનામા માટે તથા હિટાચીના સામાન માટે કહેલ ત્યારે અતિશય માનસિક ટોર્ચર કરાયું
30 મે નાં રોજ બપોરે 11થી2 દરમિયાન વિક્રમ ભરવાડ દ્વારા જબરદસ્તી મારકૂટ કરવામાં આવી
દિકરીઓ પણ જીવી શકે તે માટે ખાસ આ વિડીયો ડીલીટ થાય તેવી ભગવાનને પ્રાર્થના
Watchgujarat. કાગદડી આશ્રમનાં મહંત જયરામદાસ બાપુ દ્વારા આપઘાત કરાયો હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે. સાથે જ તેમને યુવતીઓ સાથેના વિડીયો દ્વારા બ્લેકમેઇલ કરાતા વિડીયોને કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું સામે આવી ચૂક્યું છે. અને પોલીસ દ્વારા મહંતના કૌટુંબિક ભત્રીજા હિતેશ જાદવ અને જમાઈ અલ્પેશ સોલંકી સહિત સેવક વિક્રમ ભરવાડ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે મહંતે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટની વિગતો સામે આવી છે. જેમાં મહંતે સ્પષ્ટ જણાવ્યું છે કે, આ આશ્રમનો કબ્જો લેવા યુવતિઓની મદદથી મને ખોટી રીતે ફંસાવ્યો છે, હવે સહનશક્તિ પુરી થઈ ગઈ હોઈ આ પગલું ભરી રહ્યો છું.
મહંતે સ્યુસાઇડનોટમાં વલોપાત સાથે લખ્યું છે કે, આ આરોપીઓએ બે યુવતીને મોકલી જુદા-જુદા વીડિયો ઉતારી લીધા હતા. અને તેના આધારે બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવ્યા હતા. તેમને બ્લેક મેઇલ કરી રહેલા શખસો દ્વારા ‘અલ્પેશ અહીં રહેશે, ગૌશાળામાં તમારે જવાનું નહીં, જે પૈસા આવે એ સાંજે અલ્પેશને આપી દેવા, અલ્પેશ અને હું જે કાંઇ કરીએ તેમાં તમારે બોલવાનું નહીં. ધીરે ધીરે બધા ટ્રસ્ટીના રાજીનામા લઇ લેવાના, ગાયો કાઢી અલ્પેશને ફ્લેટ લઇ દેવાનો તેમજ અત્યારે જે રૂપિયા છે, તેમાથી અલ્પેશને ધંધો કરાવી દેવાનો.’ આ લખાણ પરથી આરોપીઓ દ્વારા જબરી આવક ધરાવતા આશ્રમનો કબજો લઇ લેવા યુવતીઓ મારફત મહંતને ફંસાવીને વિડીયો ઉતારાયા હોવાનું સ્પષ્ટ થાય છે. ત્યારે પોલીસ આ ચકચારી બનાવમાં અનેક તથ્યો બહાર લાવી શકે તેમ હોવા છતાં કોઇનાં ઈશારે વિગતો છુપાવી રહી હોવાની આશ્રમનાં અમુક અનુયાયીઓમાં ચર્ચા ચાલી રહી છે.
વધુમાં સ્યુસાઈડ નોટમાં મહંતે લખ્યું છે કે, જો મને કાંઇ પણ થાય તો તેના માટે જવાબદાર હિતેષભાઇ લખમણભાઈ જાદવ તેમજ અલ્પેશસિંહ સોલંકી છે. જેને મે મારા પુત્ર માની આશરો આપ્યો હતો. પણ હવે હું મારી ભુલ સ્વિકારું છેં કે, સાધુએ પોતાના પરિવારને આશરો આપવો ન જોઇએ. તે લોકો જે કહે છે એ સદંતર ખોટી વાત છે. જે કાઇ પણ બનાવ બનેલ તે દિવસે મને ફસાવવા અને પૈસા કઢાવવા મારી ઉપર ત્રાસ ગુજારેલ. સત્યતા મારો રામ જાણે. મે પરિવાર દ્વારા ઉકેલ માટે ઘણી કોશિશ કરી હતી. અને હરીભાઇ પરબતભાઇ જાદવ દ્વારા છેલ્લા દોઢેક વર્ષથી બાપૂ તમે ચિંતા ન કરો પતી જશે તેમ કહેવાતું હતું. મે જ્યારે પણ ટ્રસ્ટમાંથી રાજીનામા માટે તથા હિટાચીના સામાન માટે કહેલ ત્યારે અતિશય માનસિક ટોર્ચર કરાયું હતું. 30મેં નાં રોજ બપોરે 11થી2 દરમિયાન વિક્રમ ભરવાડ દ્વારા જબરદસ્તી મારકૂટ કરવામાં આવી હોવાનો પણ તેમાં ઉલ્લેખ કરાયો છે.
આ ઉપરાંત હિતેષભાઇ લખમણભાઇના મોબાઇલમાં જે 2 દિકરીના 6 વિડિયો છે, તેનો દુરુપયોગ કરી મને ખોટી રીતે મૃત્યુના મુખમાં ધકેલેલ છે. આ દિકરીઓની ઇજ્જતના કારણે તેમણે જેમ કીધું તેમ મે કર્યું છે. પણ હવે વધુ જીંદગી કોઇ ન ગુમાવે અને તે દિકરીઓ પણ જીવી શકે તે માટે ખાસ આ વિડીયો ડીલીટ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો એક પેઇજમાં મહંતે જ તેમના પૂર્વાશ્રમની ખેતીની પેઢાવાડા ગામની જમીન શ્રી ભગવતભાઇ ભાભાભાઇ સ્મારક ટ્રસ્ટ અથવા રામસિંહભાઇ નારણભાઇ વાળા હોસ્પિટલને અર્પણ કરવી લખી નીચે પોતાની સહી કરી છે. સહનશક્તિ હતી ત્યાં સુધી સહન કર્યું, હવે સહનશક્તિ પૂરી થઇ ગઇ છે. જેવી અનેક ચોંકાવનારી વિગતો મહંતે આ સ્યુસાઈડનોટમાં લખી છે.
જોકે પોલીસ સ્યુસાઈડનોટ અને ફરિયાદની વિગતો અકળ કારણોસર છુપાવી રહી છે. તો આપઘાતને કુદરતી મોતમાં ખપાવવામાં ડોક્ટર નિમાવત અને તેના સાથી ડોક્ટરની ગુનાહિત બેદરકારી છુપાવવવા માટે અંતિમવિધી - અસ્થિ વિસર્જન કરી દેનાર ટ્રસ્ટીઓ પણ એટલા જ ગુનેગાર હોવા છતાં નિવેદન સિવાય તેમની સામે હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે પોલીસનું કહેવું છે કે ત્રણેય આરોપીઓ ઝડપાયા બાદ તપાસમાં વેગ આવશે. ત્યારે ખરેખર પોલીસ આ બનાવના મૂળ સુધી પહોંચી જવાબદારોને સજા અપાવવામાં ક્યારે અને કેટલી સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે.
આ આરોપીઓએ બે યુવતીને મોકલી જુદા-જુદા વીડિયો ઉતારી લીધા હતા. અને તેના આધારે બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવ્યા – મહંત
મહંતે ટ્રસ્ટમાંથી રાજીનામા માટે તથા હિટાચીના સામાન માટે કહેલ ત્યારે અતિશય માનસિક ટોર્ચર કરાયું
30 મે નાં રોજ બપોરે 11થી2 દરમિયાન વિક્રમ ભરવાડ દ્વારા જબરદસ્તી મારકૂટ કરવામાં આવી
દિકરીઓ પણ જીવી શકે તે માટે ખાસ આ વિડીયો ડીલીટ થાય તેવી ભગવાનને પ્રાર્થના
Watchgujarat. કાગદડી આશ્રમનાં મહંત જયરામદાસ બાપુ દ્વારા આપઘાત કરાયો હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે. સાથે જ તેમને યુવતીઓ સાથેના વિડીયો દ્વારા બ્લેકમેઇલ કરાતા વિડીયોને કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું સામે આવી ચૂક્યું છે. અને પોલીસ દ્વારા મહંતના કૌટુંબિક ભત્રીજા હિતેશ જાદવ અને જમાઈ અલ્પેશ સોલંકી સહિત સેવક વિક્રમ ભરવાડ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે મહંતે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટની વિગતો સામે આવી છે. જેમાં મહંતે સ્પષ્ટ જણાવ્યું છે કે, આ આશ્રમનો કબ્જો લેવા યુવતિઓની મદદથી મને ખોટી રીતે ફંસાવ્યો છે, હવે સહનશક્તિ પુરી થઈ ગઈ હોઈ આ પગલું ભરી રહ્યો છું.
મહંતે સ્યુસાઇડનોટમાં વલોપાત સાથે લખ્યું છે કે, આ આરોપીઓએ બે યુવતીને મોકલી જુદા-જુદા વીડિયો ઉતારી લીધા હતા. અને તેના આધારે બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવ્યા હતા. તેમને બ્લેક મેઇલ કરી રહેલા શખસો દ્વારા ‘અલ્પેશ અહીં રહેશે, ગૌશાળામાં તમારે જવાનું નહીં, જે પૈસા આવે એ સાંજે અલ્પેશને આપી દેવા, અલ્પેશ અને હું જે કાંઇ કરીએ તેમાં તમારે બોલવાનું નહીં. ધીરે ધીરે બધા ટ્રસ્ટીના રાજીનામા લઇ લેવાના, ગાયો કાઢી અલ્પેશને ફ્લેટ લઇ દેવાનો તેમજ અત્યારે જે રૂપિયા છે, તેમાથી અલ્પેશને ધંધો કરાવી દેવાનો.’ આ લખાણ પરથી આરોપીઓ દ્વારા જબરી આવક ધરાવતા આશ્રમનો કબજો લઇ લેવા યુવતીઓ મારફત મહંતને ફંસાવીને વિડીયો ઉતારાયા હોવાનું સ્પષ્ટ થાય છે. ત્યારે પોલીસ આ ચકચારી બનાવમાં અનેક તથ્યો બહાર લાવી શકે તેમ હોવા છતાં કોઇનાં ઈશારે વિગતો છુપાવી રહી હોવાની આશ્રમનાં અમુક અનુયાયીઓમાં ચર્ચા ચાલી રહી છે.
વધુમાં સ્યુસાઈડ નોટમાં મહંતે લખ્યું છે કે, જો મને કાંઇ પણ થાય તો તેના માટે જવાબદાર હિતેષભાઇ લખમણભાઈ જાદવ તેમજ અલ્પેશસિંહ સોલંકી છે. જેને મે મારા પુત્ર માની આશરો આપ્યો હતો. પણ હવે હું મારી ભુલ સ્વિકારું છેં કે, સાધુએ પોતાના પરિવારને આશરો આપવો ન જોઇએ. તે લોકો જે કહે છે એ સદંતર ખોટી વાત છે. જે કાઇ પણ બનાવ બનેલ તે દિવસે મને ફસાવવા અને પૈસા કઢાવવા મારી ઉપર ત્રાસ ગુજારેલ. સત્યતા મારો રામ જાણે. મે પરિવાર દ્વારા ઉકેલ માટે ઘણી કોશિશ કરી હતી. અને હરીભાઇ પરબતભાઇ જાદવ દ્વારા છેલ્લા દોઢેક વર્ષથી બાપૂ તમે ચિંતા ન કરો પતી જશે તેમ કહેવાતું હતું. મે જ્યારે પણ ટ્રસ્ટમાંથી રાજીનામા માટે તથા હિટાચીના સામાન માટે કહેલ ત્યારે અતિશય માનસિક ટોર્ચર કરાયું હતું. 30મેં નાં રોજ બપોરે 11થી2 દરમિયાન વિક્રમ ભરવાડ દ્વારા જબરદસ્તી મારકૂટ કરવામાં આવી હોવાનો પણ તેમાં ઉલ્લેખ કરાયો છે.
આ ઉપરાંત હિતેષભાઇ લખમણભાઇના મોબાઇલમાં જે 2 દિકરીના 6 વિડિયો છે, તેનો દુરુપયોગ કરી મને ખોટી રીતે મૃત્યુના મુખમાં ધકેલેલ છે. આ દિકરીઓની ઇજ્જતના કારણે તેમણે જેમ કીધું તેમ મે કર્યું છે. પણ હવે વધુ જીંદગી કોઇ ન ગુમાવે અને તે દિકરીઓ પણ જીવી શકે તે માટે ખાસ આ વિડીયો ડીલીટ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો એક પેઇજમાં મહંતે જ તેમના પૂર્વાશ્રમની ખેતીની પેઢાવાડા ગામની જમીન શ્રી ભગવતભાઇ ભાભાભાઇ સ્મારક ટ્રસ્ટ અથવા રામસિંહભાઇ નારણભાઇ વાળા હોસ્પિટલને અર્પણ કરવી લખી નીચે પોતાની સહી કરી છે. સહનશક્તિ હતી ત્યાં સુધી સહન કર્યું, હવે સહનશક્તિ પૂરી થઇ ગઇ છે. જેવી અનેક ચોંકાવનારી વિગતો મહંતે આ સ્યુસાઈડનોટમાં લખી છે.
જોકે પોલીસ સ્યુસાઈડનોટ અને ફરિયાદની વિગતો અકળ કારણોસર છુપાવી રહી છે. તો આપઘાતને કુદરતી મોતમાં ખપાવવામાં ડોક્ટર નિમાવત અને તેના સાથી ડોક્ટરની ગુનાહિત બેદરકારી છુપાવવવા માટે અંતિમવિધી - અસ્થિ વિસર્જન કરી દેનાર ટ્રસ્ટીઓ પણ એટલા જ ગુનેગાર હોવા છતાં નિવેદન સિવાય તેમની સામે હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે પોલીસનું કહેવું છે કે ત્રણેય આરોપીઓ ઝડપાયા બાદ તપાસમાં વેગ આવશે. ત્યારે ખરેખર પોલીસ આ બનાવના મૂળ સુધી પહોંચી જવાબદારોને સજા અપાવવામાં ક્યારે અને કેટલી સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે.