જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતાં નિવૃત PSI નાથાભાઇ લક્ષમણભાઇ બાલાસરાએ બપોરના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક PSIએ VRS દ્વારા નિવૃતિ લીધી હોવાનું અને પત્નીના વિયોગમાં તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું
WatchGujarat. શહેરમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પત્નીનાં વિયોગમાં નિવૃત PSIએ ગળેફાંસો ખાઈ પોતાના જીવતરનો અંત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગેની જાણ થતાંની સાથે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આ મૃતક PSIની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ કરુણ બનાવ અંગે જાણવા મળી રહેલી વિગતો મુજબ, શહેરના જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટી શેરી નં-5 માં રહેતાં નિવૃત PSI નાથાભાઇ લક્ષમણભાઇ બાલાસરાએ બપોરના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક PSIએ VRS દ્વારા નિવૃતિ લીધી હોવાનું અને પત્નીના વિયોગમાં તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસનાં જણાવ્યા મુજબ, મૃતક PSI નાથાભાઇને સંતાનમાં બે પુત્રો છે. અને થોડા સમય પહેલા તેમના ધર્મપત્નિનું કેન્સરનાં કારણે અવસાન થયું હતું. તે પછી નાથાભાઇ સતત ડિપ્રેશનમાં રહેતાં હતા. ત્યારે પત્નિના વિયોગમાં આવી તેમણે આ પગલુ ભર્યાનું હાલ બહાર આવ્યું છે. જોકે ગાંધીગ્રામ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે ખસેડી પરિવાર અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે. અને તેમની આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં? તે મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતાં નિવૃત PSI નાથાભાઇ લક્ષમણભાઇ બાલાસરાએ બપોરના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક PSIએ VRS દ્વારા નિવૃતિ લીધી હોવાનું અને પત્નીના વિયોગમાં તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું
WatchGujarat. શહેરમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પત્નીનાં વિયોગમાં નિવૃત PSIએ ગળેફાંસો ખાઈ પોતાના જીવતરનો અંત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગેની જાણ થતાંની સાથે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આ મૃતક PSIની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ કરુણ બનાવ અંગે જાણવા મળી રહેલી વિગતો મુજબ, શહેરના જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટી શેરી નં-5 માં રહેતાં નિવૃત PSI નાથાભાઇ લક્ષમણભાઇ બાલાસરાએ બપોરના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક PSIએ VRS દ્વારા નિવૃતિ લીધી હોવાનું અને પત્નીના વિયોગમાં તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસનાં જણાવ્યા મુજબ, મૃતક PSI નાથાભાઇને સંતાનમાં બે પુત્રો છે. અને થોડા સમય પહેલા તેમના ધર્મપત્નિનું કેન્સરનાં કારણે અવસાન થયું હતું. તે પછી નાથાભાઇ સતત ડિપ્રેશનમાં રહેતાં હતા. ત્યારે પત્નિના વિયોગમાં આવી તેમણે આ પગલુ ભર્યાનું હાલ બહાર આવ્યું છે. જોકે ગાંધીગ્રામ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે ખસેડી પરિવાર અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે. અને તેમની આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં? તે મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે.