તહેવાર નિમિતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ હતો
શહેરના એક વેપારી દ્વારા ઘરે ચિકન, બિરયાની અને નોનવેજ બનાવીને ઝોમટોની મદદ વડે ગ્રાહકને મોકલવામાં આવ્યુ હતું
WatchGujarat મહાનગરપાલિકા દ્વારા ગત તારીખ 11 માર્ચે મહાશિવરાત્રી અંતર્ગત એક જાહેરનામું બહાર પડાયું હતું. જેમાં આ તહેવાર નિમિતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. આમ છતાં શહેરના એક વેપારી દ્વારા ઘરે ચિકન, બિરયાની અને નોનવેજ બનાવીને ઝોમટોની મદદ વડે ગ્રાહકને મોકલવામાં આવ્યુ હતું. આ અંગેની જાણ થતાં આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેપારીને ઝડપી લઈ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શહેરનાં બીલાજી બિરિયાની સેન્ટરનાં માલિક સાયલી સાકીર ગનીભાઈ દ્વારા જાહેરનામાની ઐસીતૈસી કરી મહાશિવરાત્રીનાં દિવસે પણ શહેરમાં નોનવેજ ચિકન બિરયાનીનો ઓર્ડર કરાતા ગ્રાહકને ઝોમટોની મદદ વડે ડીલીવરી આપવામાં આવી હતી. આ અંગેની જાણ મહાનગરપાલિકાને થતા જાહેરનામાંનો ભંગ કરવા બદલ GPSC એક્ટ 1949 મુજબ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની FIR નોંધાવવામાં આવી છે. જેને લઈને જાહેરનામાંનો ભંગ કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રતિવર્ષ મહાશિવરાત્રીએ માંસ, મટન અને મચ્છીના વેચાણ અને પ્રદર્શન પર પ્રતિબંધ હોવાનું જાહેરનામું મ્યુનિસિપલ કમિશ્નર બહાર પાડે છે. પરંતુ આ દિવસે કોર્પોરેશનમાં રજા હોવાથી તેની અમલવારી થતી નથી. ગત વર્ષે પણ મહાશિવરાત્રીએ ફૂડ ડિલિવરી કરતી કંપનીએ ચિકન તંદુરી વેચી હતી. ત્યારે આ વર્ષે ફરી ઝોમેટોમાંથી જ ચિકન વેચાઈ રહ્યું હોવાનું સામે આવતા મનપાના અધિકારીઓએ દોડધામ શરૂ કરી હતી. અને હાલ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તહેવાર નિમિતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ હતો
શહેરના એક વેપારી દ્વારા ઘરે ચિકન, બિરયાની અને નોનવેજ બનાવીને ઝોમટોની મદદ વડે ગ્રાહકને મોકલવામાં આવ્યુ હતું
WatchGujarat મહાનગરપાલિકા દ્વારા ગત તારીખ 11 માર્ચે મહાશિવરાત્રી અંતર્ગત એક જાહેરનામું બહાર પડાયું હતું. જેમાં આ તહેવાર નિમિતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. આમ છતાં શહેરના એક વેપારી દ્વારા ઘરે ચિકન, બિરયાની અને નોનવેજ બનાવીને ઝોમટોની મદદ વડે ગ્રાહકને મોકલવામાં આવ્યુ હતું. આ અંગેની જાણ થતાં આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેપારીને ઝડપી લઈ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શહેરનાં બીલાજી બિરિયાની સેન્ટરનાં માલિક સાયલી સાકીર ગનીભાઈ દ્વારા જાહેરનામાની ઐસીતૈસી કરી મહાશિવરાત્રીનાં દિવસે પણ શહેરમાં નોનવેજ ચિકન બિરયાનીનો ઓર્ડર કરાતા ગ્રાહકને ઝોમટોની મદદ વડે ડીલીવરી આપવામાં આવી હતી. આ અંગેની જાણ મહાનગરપાલિકાને થતા જાહેરનામાંનો ભંગ કરવા બદલ GPSC એક્ટ 1949 મુજબ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની FIR નોંધાવવામાં આવી છે. જેને લઈને જાહેરનામાંનો ભંગ કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રતિવર્ષ મહાશિવરાત્રીએ માંસ, મટન અને મચ્છીના વેચાણ અને પ્રદર્શન પર પ્રતિબંધ હોવાનું જાહેરનામું મ્યુનિસિપલ કમિશ્નર બહાર પાડે છે. પરંતુ આ દિવસે કોર્પોરેશનમાં રજા હોવાથી તેની અમલવારી થતી નથી. ગત વર્ષે પણ મહાશિવરાત્રીએ ફૂડ ડિલિવરી કરતી કંપનીએ ચિકન તંદુરી વેચી હતી. ત્યારે આ વર્ષે ફરી ઝોમેટોમાંથી જ ચિકન વેચાઈ રહ્યું હોવાનું સામે આવતા મનપાના અધિકારીઓએ દોડધામ શરૂ કરી હતી. અને હાલ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.