કોર્પોરેશને શહેરમાં 100 ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય કર્યા બાદ વારંવાર તેની જાહેરાત પણ કરવામાં આવી
મ્યુ. કમિશ્નર સહિત આશરે 35 અધિકારી અને કર્મચારીઓએ ઇલેક્ટ્રિક બસમાં બેસી ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસેના સર્કલ સુધી મુસાફરી કરી
છેલ્લા એક વર્ષથી 80 ફુટ રોડ ઉપર અમૂલ ચોકડીએ ચાર્જીંગ સ્ટેશનનું કામ ચાલુ
ટૂંક સમયમાં સાતેય બસો કાર્યરત કરી દેવામાં આવશે
WatchGujarat. શહેરને પ્રદુષણ મુક્ત કરવા કોર્પોરેશને સીટી બસનાં સ્થાને ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં રાજકોટને સાત બસો મળી જતા જુદા-જુદા અધિકારી-પદાધિકારીઓ દ્વારા ફોટો સેશન પણ કરાવાઈ ચૂક્યું છે. જોકે ચાર્જીંગ સ્ટેશનના અભાવે હજુસુધી બસ ચાલુ થઈ શકી નથી. આજે બેટરીની કેપેસિટી વધારવા માટે 30 પેસેન્જરને બેસાડીને ફરીથી ટ્રાયલ લેવામાં આવી હતી. પણ નવા ચાર્જીંગ સ્ટેશન ન બને ત્યાં સુધી ઈલેકટ્રીક બસ શરૂ થઈ શકે તેવું લાગતું નથી.
આજરોજ મ્યુ. કમિશ્નર સહિત આશરે 35 અધિકારી અને કર્મચારીઓએ 80 ફૂટ રોડ પર અમુલ સર્કલની પાસેના સિટી બસ ડેપો ખાતેથી ઇલેક્ટ્રિક બસમાં બેસી ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસેના સર્કલ સુધી મુસાફરી કરી હતી. બાદમાં મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ કહ્યું હતું કે, હાલમાં 80 ફુટ રોડ અમૂલ સર્કલ ઉપર ચાર્જીંગ સ્ટેશન તૈયાર થઈ ચૂક્યું છે. પણ શોર્ટસર્કિટનાં બનાવો થતાં હજુ બસ ચાર્જ થઈ શકે તેમ નથી. રાજકોટમાં ઈલેકટ્રીક બસ દોડાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં ચાર્જીંગ સ્ટેશન બનાવવા પડે તેમ છે. અને આ માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ત્યારે ટૂંક સમયમાં સાતેય બસો કાર્યરત કરી દેવામાં આવશે. જો કે આ માટે કોઈ ચોક્કસ સમય આપવાનું તેમણે ટાળ્યું છે.
નોંધનીય છે કે, કોર્પોરેશને શહેરમાં 100 ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય કર્યા બાદ વારંવાર તેની જાહેરાત પણ કરવામાં આવી હતી. અને પ્રથમ બસ આવતાં જ અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ ફોટા પડાવીને પ્રસિધ્ધી મેળવી હતી. જોકે છેલ્લા એક વર્ષથી 80 ફુટ રોડ ઉપર અમૂલ ચોકડીએ ચાર્જીંગ સ્ટેશનનું કામ ચાલુ હતું. જે લગભગ પૂર્ણ થયું છે. ત્યાં સુધીમાં કંપનીએ કોર્પોરેશનને 7 ઈલેકટ્રીક બસ આજ સુધીમાં ફાળવી દીધી છે. પણ પેસેન્જરની કેપિસીટી ઉપરાંત બેટરી વોલ્ટેજ નિયમ મુજબ ન હોવાથી ગઈકાલે કમિશ્નરે 24 વોલ્ટ બેટરી તેમજ 30 પેસેન્જરને બેસાડી બસ 40ની સ્પીડમાં દોડી શકે તેવો આગ્રહ રાખતાં ટ્રાયલ લેવામાં આવી હતી. પરંતુ, બેટરી ચાર્જીંગ માટે ચાર્જીંગ સ્ટેશન ન હોવાથી બસ ચાલુ થઈ શકી નહોતી.
કોર્પોરેશને શહેરમાં 100 ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય કર્યા બાદ વારંવાર તેની જાહેરાત પણ કરવામાં આવી
મ્યુ. કમિશ્નર સહિત આશરે 35 અધિકારી અને કર્મચારીઓએ ઇલેક્ટ્રિક બસમાં બેસી ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસેના સર્કલ સુધી મુસાફરી કરી
છેલ્લા એક વર્ષથી 80 ફુટ રોડ ઉપર અમૂલ ચોકડીએ ચાર્જીંગ સ્ટેશનનું કામ ચાલુ
ટૂંક સમયમાં સાતેય બસો કાર્યરત કરી દેવામાં આવશે
WatchGujarat. શહેરને પ્રદુષણ મુક્ત કરવા કોર્પોરેશને સીટી બસનાં સ્થાને ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં રાજકોટને સાત બસો મળી જતા જુદા-જુદા અધિકારી-પદાધિકારીઓ દ્વારા ફોટો સેશન પણ કરાવાઈ ચૂક્યું છે. જોકે ચાર્જીંગ સ્ટેશનના અભાવે હજુસુધી બસ ચાલુ થઈ શકી નથી. આજે બેટરીની કેપેસિટી વધારવા માટે 30 પેસેન્જરને બેસાડીને ફરીથી ટ્રાયલ લેવામાં આવી હતી. પણ નવા ચાર્જીંગ સ્ટેશન ન બને ત્યાં સુધી ઈલેકટ્રીક બસ શરૂ થઈ શકે તેવું લાગતું નથી.
આજરોજ મ્યુ. કમિશ્નર સહિત આશરે 35 અધિકારી અને કર્મચારીઓએ 80 ફૂટ રોડ પર અમુલ સર્કલની પાસેના સિટી બસ ડેપો ખાતેથી ઇલેક્ટ્રિક બસમાં બેસી ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસેના સર્કલ સુધી મુસાફરી કરી હતી. બાદમાં મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ કહ્યું હતું કે, હાલમાં 80 ફુટ રોડ અમૂલ સર્કલ ઉપર ચાર્જીંગ સ્ટેશન તૈયાર થઈ ચૂક્યું છે. પણ શોર્ટસર્કિટનાં બનાવો થતાં હજુ બસ ચાર્જ થઈ શકે તેમ નથી. રાજકોટમાં ઈલેકટ્રીક બસ દોડાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં ચાર્જીંગ સ્ટેશન બનાવવા પડે તેમ છે. અને આ માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ત્યારે ટૂંક સમયમાં સાતેય બસો કાર્યરત કરી દેવામાં આવશે. જો કે આ માટે કોઈ ચોક્કસ સમય આપવાનું તેમણે ટાળ્યું છે.
નોંધનીય છે કે, કોર્પોરેશને શહેરમાં 100 ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય કર્યા બાદ વારંવાર તેની જાહેરાત પણ કરવામાં આવી હતી. અને પ્રથમ બસ આવતાં જ અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ ફોટા પડાવીને પ્રસિધ્ધી મેળવી હતી. જોકે છેલ્લા એક વર્ષથી 80 ફુટ રોડ ઉપર અમૂલ ચોકડીએ ચાર્જીંગ સ્ટેશનનું કામ ચાલુ હતું. જે લગભગ પૂર્ણ થયું છે. ત્યાં સુધીમાં કંપનીએ કોર્પોરેશનને 7 ઈલેકટ્રીક બસ આજ સુધીમાં ફાળવી દીધી છે. પણ પેસેન્જરની કેપિસીટી ઉપરાંત બેટરી વોલ્ટેજ નિયમ મુજબ ન હોવાથી ગઈકાલે કમિશ્નરે 24 વોલ્ટ બેટરી તેમજ 30 પેસેન્જરને બેસાડી બસ 40ની સ્પીડમાં દોડી શકે તેવો આગ્રહ રાખતાં ટ્રાયલ લેવામાં આવી હતી. પરંતુ, બેટરી ચાર્જીંગ માટે ચાર્જીંગ સ્ટેશન ન હોવાથી બસ ચાલુ થઈ શકી નહોતી.