સરદાર વલ્લ્ભભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પતા ભારત સરકારનાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન
પ્રકૃતિ, આદિવાસી કળા, સંસ્કૃતિ, રોજગારી સાથે પ્રવાસનના વેગમાં SOU આગવું યોગદાન આપી રહ્યું છે
WatchGujarat. કેવડીયા ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની બેઠકમાં ભાગ લેવા આવેલા ભારત સરકારનાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનયકુમાર સકસેનાએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી.
[caption id="attachment_1290898" align="aligncenter" width="2048"] Vinaykumar saxena[/caption]
સ્ટેચ્યુ ઓફ યુનિટીના 45 મા માળે આવેલી વ્યઇંગ ગેલરી દ્રશ્ય દિર્ઘામાંથી નર્મદા ડેમ, વિંધ્યાચલ અને સાતપૂડા પર્વતમાળાની પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી ભાવવિભોર થયા હતા. ત્યારબાદ તએમને કેકટસ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન, જંગલ સફારી અને એકતા મોલની મુલાકાત લીધી હતી. એકતામોલમાં તેઓએ ખાદી ઇન્ડીયા તેમજ ગરવી ગુર્જરી સહીતના શો રૂમની મુલાકાત લઇને તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.
ખાદી અને ગ્રામોદ્યોગના ચેરમેને પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, ખુબ જ ઓછા સમયમા પ્રધાનમંત્રીની પરીકલ્પના પ્રમાણે ગુજરાત સરકારે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બનાવ્યુ છે. કેવડીયાનું મહત્વ જાણવા માટે મુલાકાત લેવી અનિવાર્ય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનાં અન્ય સ્મારકોથી સહેજ પણ ઓછુ નથી. આધુનિક કેવડિયાની પરીકલ્પના બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હું નમન કરુ છુ. જે અમારી જિંદગીનો ખાસ દિવસ છે, જે ક્યારેય પણ ભુલાય એમ નથી. પ્રતિમા સ્થળે અમે જે જોયુ છે અને અનુભવ કર્યો છે એને વર્લ્ડ ક્લાસ કહી શકાય તેવુ છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વના નકશામાં ઉંચુ સ્થાન અપાવ્યુ છે.
સસ્થાનિક આદિવાસીઓને રોજગારી સાથે તેમની રહેણીકરણી, હસ્તકલા, ખાનપાનથી સૌ કોઈ વાકેફ થઈ રહ્યાં છે, અહીં પ્રકૃતિના જતન, સંવર્ધન સાથે આદિવાસી કલા, સંસ્કૃતિ અને પ્રવાસન ફૂલીફાલી રહ્યું છે.
સરદાર વલ્લ્ભભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પતા ભારત સરકારનાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન
પ્રકૃતિ, આદિવાસી કળા, સંસ્કૃતિ, રોજગારી સાથે પ્રવાસનના વેગમાં SOU આગવું યોગદાન આપી રહ્યું છે
WatchGujarat. કેવડીયા ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની બેઠકમાં ભાગ લેવા આવેલા ભારત સરકારનાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનયકુમાર સકસેનાએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના 45 મા માળે આવેલી વ્યઇંગ ગેલરી દ્રશ્ય દિર્ઘામાંથી નર્મદા ડેમ, વિંધ્યાચલ અને સાતપૂડા પર્વતમાળાની પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી ભાવવિભોર થયા હતા. ત્યારબાદ તએમને કેકટસ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન, જંગલ સફારી અને એકતા મોલની મુલાકાત લીધી હતી. એકતામોલમાં તેઓએ ખાદી ઇન્ડીયા તેમજ ગરવી ગુર્જરી સહીતના શો રૂમની મુલાકાત લઇને તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.
ખાદી અને ગ્રામોદ્યોગના ચેરમેને પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, ખુબ જ ઓછા સમયમા પ્રધાનમંત્રીની પરીકલ્પના પ્રમાણે ગુજરાત સરકારે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બનાવ્યુ છે. કેવડીયાનું મહત્વ જાણવા માટે મુલાકાત લેવી અનિવાર્ય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનાં અન્ય સ્મારકોથી સહેજ પણ ઓછુ નથી. આધુનિક કેવડિયાની પરીકલ્પના બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હું નમન કરુ છુ. જે અમારી જિંદગીનો ખાસ દિવસ છે, જે ક્યારેય પણ ભુલાય એમ નથી. પ્રતિમા સ્થળે અમે જે જોયુ છે અને અનુભવ કર્યો છે એને વર્લ્ડ ક્લાસ કહી શકાય તેવુ છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વના નકશામાં ઉંચુ સ્થાન અપાવ્યુ છે.
સસ્થાનિક આદિવાસીઓને રોજગારી સાથે તેમની રહેણીકરણી, હસ્તકલા, ખાનપાનથી સૌ કોઈ વાકેફ થઈ રહ્યાં છે, અહીં પ્રકૃતિના જતન, સંવર્ધન સાથે આદિવાસી કલા, સંસ્કૃતિ અને પ્રવાસન ફૂલીફાલી રહ્યું છે.