તૌકતે વાવાઝોડાને પગલે તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો
NDRFના 60 જવાનો આજે રાજકોટ આવી પહોંચ્યાં
મામલતદારને તથા પીજીવીસીએલની ટીમોને પોતાનું હેડકવાર્ટર નહિં છોડવા આદેશો
WatchGujarat. અરબી સમુદ્રમાં ઉભા થયેલા ચક્રવાતને લઈ તૌકતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. ત્યારે આ સંદર્ભે તંત્ર સતર્ક બન્યું છે. અને NDRF ની બે ટીમો જિલ્લામાં ઉતારવામાં આવી છે. સાથે જ
સંબંધિત તમામ કર્મચારી - અધિકારીઓની રજા રદ્દ કરીને હેડકવાર્ટર ન છોડવા આદેશો અપાયા છે. બધા તાલુકાઓમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે. ઉપરાંત કોરોના દર્દીઓને ઓકસીજન સહિત રેમડેસીવીરનો જથ્થો મળી રહે તે અંગે પગલા લેવાની કલેકટર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે.
રાજય સરકારે રાજકોટ શહેર-જિલ્લા માટે પણ ભારે વરસાદ, તોફાની વરસાદ, પુરના પાણી વગેરેની સામે એનડીઆરએફની બે ટીમ ફાળવી છે. જેને પગલે આ ટીમોનાં 60 જવાનો આજે રાજકોટ આવી પહોંચ્યા છે. હાલ કલેકટરે એક ટીમને ઘંટેશ્વર જ્યારે બીજી ટીમને ગોલ્ડન એસઆરપી કેમ્પ ખાતે મુકામ આપ્યો છે. 18 મેંનાં રોજ ત્રાકટનારા 'તૌકતે' વાવાઝોડા અંગે કલેકટરે તકેદારીના પગલા રૂપે દરેક અધિકારીઓ સાથે ખાસ વીસી યોજી હતી. જેમાં દરેક પ્રાંત અને મામલતદારને તથા પીજીવીસીએલની ટીમોને પોતાનું હેડકવાર્ટર નહિં છોડવા આદેશો કર્યા છે. તો નીચાણવાળા વિસ્તારો, ગામડાઓ, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી તથા અન્ય ચીજ વસ્તુઓ તરત લઈ લેવા સુચના આપી હતી.
તૌકતે વાવાઝોડાને પગલે તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો
NDRFના 60 જવાનો આજે રાજકોટ આવી પહોંચ્યાં
મામલતદારને તથા પીજીવીસીએલની ટીમોને પોતાનું હેડકવાર્ટર નહિં છોડવા આદેશો
WatchGujarat. અરબી સમુદ્રમાં ઉભા થયેલા ચક્રવાતને લઈ તૌકતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. ત્યારે આ સંદર્ભે તંત્ર સતર્ક બન્યું છે. અને NDRF ની બે ટીમો જિલ્લામાં ઉતારવામાં આવી છે. સાથે જ
સંબંધિત તમામ કર્મચારી - અધિકારીઓની રજા રદ્દ કરીને હેડકવાર્ટર ન છોડવા આદેશો અપાયા છે. બધા તાલુકાઓમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે. ઉપરાંત કોરોના દર્દીઓને ઓકસીજન સહિત રેમડેસીવીરનો જથ્થો મળી રહે તે અંગે પગલા લેવાની કલેકટર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે.
રાજય સરકારે રાજકોટ શહેર-જિલ્લા માટે પણ ભારે વરસાદ, તોફાની વરસાદ, પુરના પાણી વગેરેની સામે એનડીઆરએફની બે ટીમ ફાળવી છે. જેને પગલે આ ટીમોનાં 60 જવાનો આજે રાજકોટ આવી પહોંચ્યા છે. હાલ કલેકટરે એક ટીમને ઘંટેશ્વર જ્યારે બીજી ટીમને ગોલ્ડન એસઆરપી કેમ્પ ખાતે મુકામ આપ્યો છે. 18 મેંનાં રોજ ત્રાકટનારા 'તૌકતે' વાવાઝોડા અંગે કલેકટરે તકેદારીના પગલા રૂપે દરેક અધિકારીઓ સાથે ખાસ વીસી યોજી હતી. જેમાં દરેક પ્રાંત અને મામલતદારને તથા પીજીવીસીએલની ટીમોને પોતાનું હેડકવાર્ટર નહિં છોડવા આદેશો કર્યા છે. તો નીચાણવાળા વિસ્તારો, ગામડાઓ, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી તથા અન્ય ચીજ વસ્તુઓ તરત લઈ લેવા સુચના આપી હતી.