અંકલેશ્વર રેલવે ફ્લાયઓવરના ઇ-લોકાર્પણ પ્રસંગે ઉદબોધન કરતા ₹400 કરોડના નર્મદા મૈયા બ્રિજનો 3 વાર ગંગા મૈયા બ્રિજ તરીકે ઉલ્લેખ
WatchGujarat. અંકલેશ્વર રેલવે ફ્લાયઓવરના વર્ચ્યુલ લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં ભરૂચમાં ગંગા વહેવડાવી હતી. નર્મદા મૈયા બ્રિજના સ્થાને ડે. CM દ્વારા ઉદબોધનમાં ભરૂચનો ગંગા મૈયા બ્રિજ 3 વખત બોલી દેવાયું હતું.
ભરૂચમાં ગોલ્ડનબ્રિજને સમાંતર 400 કરોડના 4 લેન નર્મદા મૈયા બ્રિજનું ભૂમિપૂજન સાડા પાંચ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે નીતિન પટેલે ભરૂચમાં ઉપસ્થિત રહી કર્યું હતું.
https://youtu.be/T0h-vtOnRmc
આજે આ વાતનો ઉલ્લેખ કરવા સાથે ડે. CM ગુજરાત અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેર્તવુંત્વમાં આગળ વધી રહેલી ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવી રહ્યા હતા સાથે જ છેલ્લા 50 વર્ષમાં કોંગ્રેસ સરકારે કરેલી કામગીરી ઉપર ટિપ્પણીઓ કરી હતી.
ભરૂચ જિલ્લામાં વિશાળ નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજના નિર્માણ અને તેમાં થયેલા વિલંબ અંગે પણ તેમણે પ્રકાશ પાડ્યા બાદ નર્મદા મૈયા બ્રિજને ભરૂચનો ગંગા મૈયા બ્રિજ ગણાવી દીધો હતો. ડે. CM એકાદ વખત ગંગા મૈયા બ્રિજ નહિ પરંતુ 3-3 વખત નર્મદા મૈયા બ્રિજને ગંગા મૈયા બ્રિજ કહી ભાંગરો વાટી દીધો હતો.
- અંકલેશ્વર રેલવે ફ્લાયઓવરના ઇ-લોકાર્પણ પ્રસંગે ઉદબોધન કરતા ₹400 કરોડના નર્મદા મૈયા બ્રિજનો 3 વાર ગંગા મૈયા બ્રિજ તરીકે ઉલ્લેખ
WatchGujarat. અંકલેશ્વર રેલવે ફ્લાયઓવરના વર્ચ્યુલ લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં ભરૂચમાં ગંગા વહેવડાવી હતી. નર્મદા મૈયા બ્રિજના સ્થાને ડે. CM દ્વારા ઉદબોધનમાં ભરૂચનો ગંગા મૈયા બ્રિજ 3 વખત બોલી દેવાયું હતું.
ભરૂચમાં ગોલ્ડનબ્રિજને સમાંતર 400 કરોડના 4 લેન નર્મદા મૈયા બ્રિજનું ભૂમિપૂજન સાડા પાંચ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે નીતિન પટેલે ભરૂચમાં ઉપસ્થિત રહી કર્યું હતું.
આજે આ વાતનો ઉલ્લેખ કરવા સાથે ડે. CM ગુજરાત અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેર્તવુંત્વમાં આગળ વધી રહેલી ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવી રહ્યા હતા સાથે જ છેલ્લા 50 વર્ષમાં કોંગ્રેસ સરકારે કરેલી કામગીરી ઉપર ટિપ્પણીઓ કરી હતી.
ભરૂચ જિલ્લામાં વિશાળ નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજના નિર્માણ અને તેમાં થયેલા વિલંબ અંગે પણ તેમણે પ્રકાશ પાડ્યા બાદ નર્મદા મૈયા બ્રિજને ભરૂચનો ગંગા મૈયા બ્રિજ ગણાવી દીધો હતો. ડે. CM એકાદ વખત ગંગા મૈયા બ્રિજ નહિ પરંતુ 3-3 વખત નર્મદા મૈયા બ્રિજને ગંગા મૈયા બ્રિજ કહી ભાંગરો વાટી દીધો હતો.