લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા મુજબ પ્રથમ ફરિયાદ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતા વાળી કમિટીની સુચના બાદ ફરિયાદ દાખલ કરાઇ
એક સાથે ત્રણ ફરિયાદ દાખલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો
WatchGujarat. જમીન પચાવી પાડવાના કિસ્સાઓને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દાહોદ જિલ્લામાં એક જ સાથે ત્રણ ફરિયાદો નોંધાતા ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતા વાળી લેન્ડ ગ્રેબિંગ કમિટિ દ્વારા જારી કરાયેલી સૂચના બાદ આ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
પ્રથમ ફરિયાદ દાહોદના ટાઉન પોલીસ સ્ટેશનમાં તા. ૨૨ના રોજ અનવરખાન મહમ્મદખાન પઠાણ દ્વારા નોંધાવવામાં આવી છે. તેની ફરિયાદ એવી છે કે, અહીંના કસ્બા વિસ્તારમાં ઊર્દૂ શાળા પાસે રહેતા પાંચ શખ્સો દ્વારા કસરતના સાધનો મૂકી તથા દરવાજા મૂકી દબાવી પાડી છે.
બીજી ફરિયાદ ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ઝાલોદ તાલુકાના શારદા ગામના નિશાળ ફળિયામાં રહેતા ૬૨ વર્ષીય મતાભાઇ ધનાભાઇ મેડાએ નોંધાવી છે. આ એફઆરઆઇ મુજબ ફરિયાદીના પિતા ધનાભાઇ નિશાળ ફળિયામાં તેમના સસરાને ત્યાં ઘરજમાઇ તરીકે રહેતા હતા. માતા જીથુડીબેનને તેમના પિતાના વારસાઇમાંથી એક હેક્ટર જમીન મળી હતી. આ જમીનમાં જીથુડીબેનના સીધી લીટીના વારસદાર તરીકે ફરિયાદીને આ જમીન પ્રાપ્ત થઇ હતી. પરંતુ, આ જમીનમાં ફરિયાદીના કૌટુંબિક મામાના ચાર દીકરાઓને મકાન બનાવી પચાવી પાડવા બદલ ફરિયાદ નોંધાઇ છે.
ત્રીજા રાવ સુરતના ઓલપાડ ખાતે રહેતા અનિલકુમાર નટવટલાલ દેવડાએ નોંધાવી છે. તેમણે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમનું મકાન તેમના કાકા અને તેના પુત્રો મળી કુલ નવ આરોપીઓને પચાવી પાડ્યાનું જણાવ્યું છે. દાહોદ પોલીસે આ ફરિયાદો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ એક સાથે ત્રણ ફરિયાદ નોંધાતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીને પગલે હવે ગુનેનારો આ પ્રકારનો ગુનો આચરતા પહેલા વિચાર કરશે.
લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા મુજબ પ્રથમ ફરિયાદ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ
એક સાથે ત્રણ ફરિયાદ દાખલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો
WatchGujarat. જમીન પચાવી પાડવાના કિસ્સાઓને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દાહોદ જિલ્લામાં એક જ સાથે ત્રણ ફરિયાદો નોંધાતા ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતા વાળી લેન્ડ ગ્રેબિંગ કમિટિ દ્વારા જારી કરાયેલી સૂચના બાદ આ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
પ્રથમ ફરિયાદ દાહોદના ટાઉન પોલીસ સ્ટેશનમાં તા. ૨૨ના રોજ અનવરખાન મહમ્મદખાન પઠાણ દ્વારા નોંધાવવામાં આવી છે. તેની ફરિયાદ એવી છે કે, અહીંના કસ્બા વિસ્તારમાં ઊર્દૂ શાળા પાસે રહેતા પાંચ શખ્સો દ્વારા કસરતના સાધનો મૂકી તથા દરવાજા મૂકી દબાવી પાડી છે.
બીજી ફરિયાદ ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ઝાલોદ તાલુકાના શારદા ગામના નિશાળ ફળિયામાં રહેતા ૬૨ વર્ષીય મતાભાઇ ધનાભાઇ મેડાએ નોંધાવી છે. આ એફઆરઆઇ મુજબ ફરિયાદીના પિતા ધનાભાઇ નિશાળ ફળિયામાં તેમના સસરાને ત્યાં ઘરજમાઇ તરીકે રહેતા હતા. માતા જીથુડીબેનને તેમના પિતાના વારસાઇમાંથી એક હેક્ટર જમીન મળી હતી. આ જમીનમાં જીથુડીબેનના સીધી લીટીના વારસદાર તરીકે ફરિયાદીને આ જમીન પ્રાપ્ત થઇ હતી. પરંતુ, આ જમીનમાં ફરિયાદીના કૌટુંબિક મામાના ચાર દીકરાઓને મકાન બનાવી પચાવી પાડવા બદલ ફરિયાદ નોંધાઇ છે.
ત્રીજા રાવ સુરતના ઓલપાડ ખાતે રહેતા અનિલકુમાર નટવટલાલ દેવડાએ નોંધાવી છે. તેમણે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમનું મકાન તેમના કાકા અને તેના પુત્રો મળી કુલ નવ આરોપીઓને પચાવી પાડ્યાનું જણાવ્યું છે. દાહોદ પોલીસે આ ફરિયાદો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ એક સાથે ત્રણ ફરિયાદ નોંધાતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીને પગલે હવે ગુનેનારો આ પ્રકારનો ગુનો આચરતા પહેલા વિચાર કરશે.