દાહોજમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચુંટાઇ આવતા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર વ્યાપી
કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ આખરી દિને ફોર્મ પરત ખેંચ્યા
ફોર્મ ખેંચ્યા બાદ આપના ઉમેદવાર આબુ ફરવા જતા અનેક અટકળોએ સ્થાન લીધું
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા આજ રોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. કેટલાક સીટો પર ઉમેદવારો અધૂરી માહિતી આપતા તેમના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. જેને લઈને ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો દ્વારા ચૂંટણીપંચ સામે આક્ષેપો કરી મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી રહી હતી. આ બધા સંજોગોમાં દાહોદ નગરપાલિકામાં ભાજપનો ખાતું ખુલ્યું છે. દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર - 4 માં બક્ષીપંચઉમેદવાર રીનાબેન પંચાલ બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપ સહીત કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર- 4 માંથી ભાજપના મેન્ડેટ પર રીનાબેન ધર્મેન્દ્ર ભાઈ પંચાલે ઉમેદવારી કરી હતી. જેમાં તેમની સામે કોંગ્રેસમાંથી લીલાબેન પ્રજાપતિ તેમજ આમ આદમી પાર્ટીમાંથી શીતલબેન પરમાર દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ઉપરોક્ત બન્ને ઉમેદવારોએ આજરોજ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા રીનાબેન ધર્મેન્દ્રભાઈ પંચાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
આમ આદમી પાર્ટીએ બીજેપીએ દાદાગીરી કરી ઉમેદવારોને ધાક ધમકી આપી ફોર્મ ખેંચવા મજબુર કર્યાના આક્ષેપ કર્યા હતા. જોકે બન્ને પાર્ટીઓ દ્વારા આક્ષેપોની વચ્ચે રીનાબેન બિનહરીફ વિજેતા જાહેર થતાં દાહોદ નગરપાલિકામાં બીજેપીનું ખાતું ખુલવા પામ્યું હતું. આમ આદમી પાર્ટીની ઉમેદવાર શીતલબેન ફોર્મ પરત ખેંચ્યા બાદ તરત જ કોઈને મળ્યા વગર આબુ જવા માટે રવાના થઈ જતા તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
દાહોજમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચુંટાઇ આવતા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર વ્યાપી
કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ આખરી દિને ફોર્મ પરત ખેંચ્યા
ફોર્મ ખેંચ્યા બાદ આપના ઉમેદવાર આબુ ફરવા જતા અનેક અટકળોએ સ્થાન લીધું
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા આજ રોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. કેટલાક સીટો પર ઉમેદવારો અધૂરી માહિતી આપતા તેમના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. જેને લઈને ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો દ્વારા ચૂંટણીપંચ સામે આક્ષેપો કરી મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી રહી હતી. આ બધા સંજોગોમાં દાહોદ નગરપાલિકામાં ભાજપનો ખાતું ખુલ્યું છે. દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર - 4 માં બક્ષીપંચઉમેદવાર રીનાબેન પંચાલ બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપ સહીત કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર- 4 માંથી ભાજપના મેન્ડેટ પર રીનાબેન ધર્મેન્દ્ર ભાઈ પંચાલે ઉમેદવારી કરી હતી. જેમાં તેમની સામે કોંગ્રેસમાંથી લીલાબેન પ્રજાપતિ તેમજ આમ આદમી પાર્ટીમાંથી શીતલબેન પરમાર દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ઉપરોક્ત બન્ને ઉમેદવારોએ આજરોજ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા રીનાબેન ધર્મેન્દ્રભાઈ પંચાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
આમ આદમી પાર્ટીએ બીજેપીએ દાદાગીરી કરી ઉમેદવારોને ધાક ધમકી આપી ફોર્મ ખેંચવા મજબુર કર્યાના આક્ષેપ કર્યા હતા. જોકે બન્ને પાર્ટીઓ દ્વારા આક્ષેપોની વચ્ચે રીનાબેન બિનહરીફ વિજેતા જાહેર થતાં દાહોદ નગરપાલિકામાં બીજેપીનું ખાતું ખુલવા પામ્યું હતું. આમ આદમી પાર્ટીની ઉમેદવાર શીતલબેન ફોર્મ પરત ખેંચ્યા બાદ તરત જ કોઈને મળ્યા વગર આબુ જવા માટે રવાના થઈ જતા તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.