બુધવારે સવારે 6 થી બપોરે 2 કલાક સુધીમાં આવ્યા 9 મૃતદેહ
અંતિમ સંસ્કાર માટે 3 મૃતદેહો વેઇટિંગમાં
બપોરે 2 કલાકે સાગમટે કોરોનાથી મૃત્યુ પામેલા 3 દર્દી આવતા તેમના શબને એમ્બ્યુલન્સમાં જ રાહ જોવાની ફરજ
WatchGujarat. વકરતા કોરોના અને વણસતી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં CM વિજય રૂપાણીએ હાઇકોર્ટની ટકોર બાદ બુધવારથી ભરૂચ શહેરમાં પણ 30 એપ્રિલ સુધી રાતે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદી દીધો છે.
ભરૂચમાં આજે રાતથી કરફ્યુનો અમલ પણ શરૂ થઈ જશે જોકે સવારે 6 વાગ્યા થી જ રાજ્યના પેહલા કોવિડ સ્મશાન ખાતે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આવવાના શરૂ થઈ ગયા હતા.
https://twitter.com/WatchGujarat/status/1379731047332503555?s=20
બપોરે 2 કલાક સુધીમાં જ 6 મૃતદેહોની અંતિમ સંસ્કાર વિધિ કોવિડ પ્રોટોકલ પ્રમાણે હાથ ધરાઈ હતી. જોકે કોવિડ સ્મશાનમાં અગાઉ આવેલા મૃતદેહો ની અંતિમ વિધિ ચાલી રહી હોય ત્યાં જ સાગમટે 3 એમ્બ્યુલન્સમાં 3 મૃતદેહ ભેગા થઈ જતા હાલત વનસ્યા હતા.
નદી કિનારે 3 એમ્બ્યુલન્સમાં 3 મૃતદેહોના અગ્નિદાહ માટે કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકી એ જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાથી જ કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ આવવાના શરૂ થયા હતા. બપોરે 2 વાગ્યા સુધી 6 મૃતદેહના અંતિમ સંસ્કાર હાથ ધરાયા હતા. જે કાર્યરત હોવા વચ્ચે અન્ય 3 મૃતદેહ આવતા તેઓ વેઇટિંગમાં મુકાઈ ગયા હતા.
બુધવારે સવારે 6 થી બપોરે 2 કલાક સુધીમાં આવ્યા 9 મૃતદેહ
અંતિમ સંસ્કાર માટે 3 મૃતદેહો વેઇટિંગમાં
બપોરે 2 કલાકે સાગમટે કોરોનાથી મૃત્યુ પામેલા 3 દર્દી આવતા તેમના શબને એમ્બ્યુલન્સમાં જ રાહ જોવાની ફરજ
WatchGujarat. વકરતા કોરોના અને વણસતી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં CM વિજય રૂપાણીએ હાઇકોર્ટની ટકોર બાદ બુધવારથી ભરૂચ શહેરમાં પણ 30 એપ્રિલ સુધી રાતે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદી દીધો છે.
ભરૂચમાં આજે રાતથી કરફ્યુનો અમલ પણ શરૂ થઈ જશે જોકે સવારે 6 વાગ્યા થી જ રાજ્યના પેહલા કોવિડ સ્મશાન ખાતે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આવવાના શરૂ થઈ ગયા હતા.
બપોરે 2 કલાક સુધીમાં જ 6 મૃતદેહોની અંતિમ સંસ્કાર વિધિ કોવિડ પ્રોટોકલ પ્રમાણે હાથ ધરાઈ હતી. જોકે કોવિડ સ્મશાનમાં અગાઉ આવેલા મૃતદેહો ની અંતિમ વિધિ ચાલી રહી હોય ત્યાં જ સાગમટે 3 એમ્બ્યુલન્સમાં 3 મૃતદેહ ભેગા થઈ જતા હાલત વનસ્યા હતા.
નદી કિનારે 3 એમ્બ્યુલન્સમાં 3 મૃતદેહોના અગ્નિદાહ માટે કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકી એ જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાથી જ કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ આવવાના શરૂ થયા હતા. બપોરે 2 વાગ્યા સુધી 6 મૃતદેહના અંતિમ સંસ્કાર હાથ ધરાયા હતા. જે કાર્યરત હોવા વચ્ચે અન્ય 3 મૃતદેહ આવતા તેઓ વેઇટિંગમાં મુકાઈ ગયા હતા.