દેવદિવાળીએ શુકલતીર્થમાં સ્વયંમ ઉપસ્થિત રહેતા દેવો
શુકલેશ્વર મહાદેવનાં સ્વયંભૂ શિવલીંગનાં દર્શનથી મળે છે મોક્ષ પ્રાપ્તિ
ભૃગુઋષિ, અગ્નિહોત્રી વેદપાઠી બ્રાહ્મણો, ધર્મરાજ યુધિષ્ઠિરની
યાત્રાથી માંડી રાજા ચાણકયને અલૌકિક આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થયાની ઐતિહાસિક-પૌરાણિક કથાઓ
સ્કંઘ પુરાણ, નર્મદા પુરાણ, રેવાખંડ, શિવપુરાણ, માર્કડેય સહિતનાં
પુરાણો અને ગ્રંથોમાં શુકલર્તીથ નગરીનો ઉલ્લેખ
નર્મદા નદી કાંઠાના 333 શિવ ર્તીથો અને 28 વિષ્ણુર્તીથો પૈકી ભારતવર્ષમાં શુકલર્તીથનું મહાત્મ્ય સવિશેષ
રેવામાંથી હુંકાર કરી સ્વયંભૂ પ્રગટ થયા હતા હુંકારનાથ વિષ્ણુ ભગવાન
વિક્કી જોષી/ WatchGujarat. પુરાણોમાં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેરથી 15 કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ખાતે કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતાનાં આધારે સૈકાઓથી ભગવાન શંકર અને વિષ્ણુના માનમાં અહીં 5 દિવસની જાત્રા ભરાય છે. શુકલર્તીથની જાત્રામાં લાખો જાત્રાળુઓ ઉમટી ર્તીથાટન, સ્નાન, દર્શન, પિતૃતર્પણ કરી કૃતકૃત્ય થાય છે. જોકે આ વર્ષે ઇતિહાસમાં પહેલીવાર કોરોનાનાં કારણે જાત્રા-મેળો મોકૂફ રહેતા દેવો તો ઉમટશે પણ 4 લાખ મનુષ્યો આવી શકશે નહીં.
નર્મદા નદી કિનારે શુકલતીર્થ યાત્રા ધામે સૈકાઓથી કાર્તિકી અગિયારસથી દેવદિવાળી સુધી જાત્રા-મેળો ભરાય છે. પુરાણોક્ત મુજબ આ 5 દિવસમાં અહીં સૂક્ષ્મરૂપે દેવો ઉપસ્થિત રહે છે. જોકે કોરોનાને કારણે શુકલતીર્થ ગ્રામ પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરી આ વર્ષે મેળો જાત્રા નહિ યોજવા નિર્ણય કર્યો છે. શુક્લતીર્થની જાત્રા થકી 5 દિવસમાં જ પંચાયતને ₹18 થી 20 લાખની આવક થાય છે. જ્યારે રાજ્યભરમાંથી 4 લાખથી વધુ લોકો આ મેળો યાત્રા માણતા હોય છે.
જાત્રામાં નદી કિનારે 1000 થી વધુ પાથરણાવાળા, ખાણી પીણી, મનોરંજનના સ્ટોલ સહિતના અનેક લોકોને પણ 5 દિવસમાં મેળા થકી થતી સારી એવી આવક ગુમાવવાનો વારો આવ્યો છે. નર્મદા નદી કાંઠાના 333 શિવ ર્તીથો અને 28 વિષ્ણુર્તીથો પૈકી ભારતવર્ષમાં શુકલર્તીથનું મહાત્મ્ય સૌથી વિશેષ છે. શુકલર્તીથમાં શુકલેશ્વર મહાદેવ અને સ્વયંભૂ હુંકારર્તીથ, જે અપભંશ થઇને ઓમકારનાથ કહેવાયા એ શ્વેત વિષ્ણુ ભગવાનનાં પ્રિય ર્તીથ તરીકે પુરાણોમાં પંચર્તીથ અને તલપૂર ગણવામાં આવ્યું છે.
મહાભારત કાળમાં નૈમિષારણ્ય ગણાતું ક્ષેત્ર
રાજા ચાણકય, ભૃગુઋષિ, અગ્નિહોત્રી વેદપાઠી બ્રાહ્મણો, ધર્મરાજ યુધિષ્ઠિરની યાત્રાથી માંડી રાજા ચાણકયને અલૌકિક આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થયાની ઐતિહાસિક-પૌરાણિકતાના સ્કંઘ પુરાણ, નર્મદા પુરાણ, રેવાખંડ, શિવપુરાણ, માર્કડેય સહિતનાં પુરાણો અને ગ્રંથોમાં ઉલ્લેખ મળી આવે છે. સુદ-ઉપસુંદ, મધુ અને કૈટભ જેવા અસુરોને મહાત કર્યા હતા એ આ મહાભારત કાળના નૈમિષારણ્ય ગણાતા ક્ષેત્રમાં કારતક સુદ અગિયારસથી પુનમનાં દિવસોમાં દેવો સુક્ષ્મરૂપે ઉપસ્થિત રહેતા હોવાની લોકવાયકા છે.
યુધિષ્ઠિર ને શુ કહ્યું હતું મહર્ષિ માર્કંડેયે, પૃથ્વીના બીજા તીર્થો શુકલતીર્થની સોળમી કળા બરાબર પણ નહીં
શુકલર્તીથ ક્ષેત્રમાં દેવોનું સંરક્ષણ આજે પણ વિશેષ રૂપે મળતુ રહે છે. આ માહાત્મ્યના કારણે જ દેવોનાં માનમાં અહીં સૈકાઓથી ભરાતી જાત્રા-મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. મહર્ષિ માર્કંડેય પાસે મોક્ષ ર્તીથ તરીકે આગ્રહપૂર્વક નર્મદાના તટ પરના આવેલા ર્તીથો વિશે જાણવા ધર્મરાજ યુધિષ્ઠિરે ઉત્સુકતા જણાવી ત્યારે મહર્ષિએ બધા જ ર્તીથોમાં શ્રેષ્ઠ નર્મદાના ઉત્તર તટ ઉપર આવેલા શુકલર્તીથનું મહાત્મય સંભળાવ્યું હતું. શુકલર્તીથના શુભ દર્શનને કારણે પૃથ્વીના બીજા ર્તીથો તેની સોળમી કળા બરાબર પણ નથી.
શુકલર્તીથની ઉત્પતિ વિશે આદર અને શ્રદ્ધા ભાવથી ઋષિએ ધર્મરાજને જણાવ્યું હતું કે, શુકલર્તીથની ઉત્પતિ અને ચાણકય રાજાને મળેલી સિદ્ધી અને તેમના માનમાં ભરાતો ભાતીગળ યાત્રા-મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ર્તીથમાં સ્થાપિત દેવતા શુકલેશ્વર મહાદેવ, ઓમકારનાથ વિષ્ણુ ભગવાન, આદિત્યેશ્વર મહાદેવ અને ગોપેશ્વર મહાદેવના દર્શન કરી, નર્મદા સ્નાનનો લ્હાવો લે છે.
શુકલતીર્થમાં કાળા વસ્ત્ર, કાળી ગાય અને કાળા સઢ વાળી નાવ સફેદ થઈ
પ્રાચીનકાળમાં ઇશ્વાક વંશના ચાણકય નામે રાજા સાથે જોડાયેલી પુરાણોમાં વર્ણવાયેલી અન્ય કથાવાર્તા મુજબ, રાજા ચાણકયએ એવો નશ્ચિર્ય કર્યો હતો કે, હું કોઇનાથી છેતરાઇશ તો તુરત જ પ્રાણ ત્યાગી દઇશ. રાજનની પ્રતિજ્ઞાનો ભંગ કરવા અનેક યુકિત-પ્રયુકિતઓ થવા લાગી અંતે બ્રહમાંના શાપથી કાગ યોનિને પામેલા સુંદ અને ઉપસુંદ નામના દૈત્યોએ ચાણકય રાજાને છેતરતા કાગરૂપી અસુરો મારફતે યમરાજા પાસેથી રાજાએ શુકલર્તીથનો મહિમા જાણી લઇ તેમનું સર્વસ્વ દાનમાં આપી દીધુ હતું. અનેક શોક સંતાપથી ચિંતિત રાજાએ મહાદેવની પ્રાર્થના કરતા શિવજી પ્રસન્ન થતા આકાશવાણી થઇ હતી.
આકાશવાણી મુજબ રાજા ચાણકયને નર્મદા નદી જયાંથી નીકળે છે ત્યાંથી કાળા વસ્ત્ર, કાળી ગાય અને કાળા સઢની નાવ લઇ પ્રસ્થાન કરવા જણાવાયું હતું. જયાં આ તમામ વસ્તુઓ શ્વેત થશે ત્યાં રાજન તારો મોક્ષ થશે. આ સાંભળી નર્મદા નદી જયાંથી નીકળે છે એવા અમરકંટકથી ર્તીથાટન કરતા રાજા ર્તીથક્ષેત્ર શુકલેશ્વર મહાદેવ આવતા તેના દર્શન થકી ત્રણે વસ્તુ સફેદ થતા પાતાળમાંથી મહાકાલ અલૌકિક લીંગ પ્રગટ થયું હતું. જેના ભાવથી ત્રૈલોકય અંજાય ઉમાપતિ સહિત આ સ્થાનને કદી નહી છોડશો. શુકલેશ્વર મહાદેવનાં દર્શન માત્રથી માનવ માત્રની ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અનેક પાપોમાંથી મુકત થઇ મોક્ષ પ્રાપ્ત કરે છે. સ્વપ્નમાં પણ નરક જોઇ શકતો નથી. કારતક અને વૈશાખ મહિનામાં દેવો આ ર્તીથનું સેવન કરી સૂક્ષ્મરૂપે અહીં વિચરણ કરે છે.
શુકલર્તીથ વિશે શુ કહેવાયું છે
શુકલર્તીથને બે કોશ જેટલા ક્ષેત્રને ભકિત-મુકિત આપનાર સ્થાન ગણાવાયું છે. અહીં સ્નાન કરનાર બધા પાપોથી મુકત થાય છે. ગંગા કનખલમાં, સરસ્વતી કુરૂક્ષેત્રમાં પવિત્ર છે પરંતુ નર્મદા ગામમાં અને અરણ્યમાં બધે જ પવિત્ર છે. નર્મદા તટ પરનું શુકલતર્થી મહાપુણ્ય છે. રેવા જલની એક અંજલિ આપનારના બધા પિતૃઓ તૃપ્ત થાય છે.
શુકલર્તીથમાં રેવાએ ધારણ કર્યું હતું રોદ્ર સ્વરૂપ
દર્ભ, અક્ષત, પુષ્પો, સમિધા વિગેરે સતકર્મમાં વપરાતી પૂજન-હવન સામગ્રી રેવાના તટ પર મોટા પ્રમાણમાં થતી હતી. કહેવાય છે કે, શુકલર્તીથમાં અર્ધ ચંદ્રાકારે વહેતી રેવા એટલે કે નર્મદાએ પોતાના તરંગો વડે તે નષ્ટ કરીને ઋષિઓને ક્રોધ ઉત્પન્ન કરાવવાના આશયથી રોદ્ર રૂપ ધારણ કર્યું હતું. ભયને ઉત્પન્ન કરનારા આ ર્તીથના કાંઠા વિસ્તારમાં રહેવા માટે કયાંય અવકાશવાળો ખુલ્લો પ્રદેશ નહી રહેતા તમામ ઋષિ ગણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું હતું. ઋષિઓની ચિંતા જાણી તેમના દુખ દૂર કરવા રેવામાંથી ભગવાન વિષ્ણુએ સ્વયંભૂ પ્રગટ થઇ, હુંકાર કરીને રેવાને બે કોશ દૂર જવા કહ્યું હતું. સ્વયંમ્ રેવામાંથી હુંકાર કરી પ્રગટ થયેલા હુંકારનાથ વિષ્ણુ ભગવાનનું પૌરાણિક મંદિર અને માટીની સ્વયંભૂ શ્વેત મૂર્તિ આજે પણ અહીં છે.
પૌરાણિક કાળમાં સ્વયંભૂ પ્રગટ થયેલા શુકલેશ્વર
ઋષિ મુનિઓ અને દેવોના સત્સંગ દરમિયાન દેવાધિદેવ શંકરે કૈલાસ પર્વત ઉપર સંભળાવ્યું હતું કે, પૂર્વે કૃતયુગમાં ગિરજાપતિને સંતુષ્ટ કરવા વિષ્ણુએ હજાર વર્ષ સુધી અન્નને ત્યજી દઇને ફકત વાયુનું ભક્ષણ કરીને શુકલર્તીથ રહ્યાં હતા. જયાં શિવજીએ પ્રત્યક્ષ થઇ દર્શન દીધા હતા. જયાં સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલીંગ શુકલેશ્વર મહાદેવ આજે પણ મોજુદ છે.
દેવદિવાળીએ શુકલતીર્થમાં સ્વયંમ ઉપસ્થિત રહેતા દેવો
શુકલેશ્વર મહાદેવનાં સ્વયંભૂ શિવલીંગનાં દર્શનથી મળે છે મોક્ષ પ્રાપ્તિ
નર્મદા નદી કાંઠાના 333 શિવ ર્તીથો અને 28 વિષ્ણુર્તીથો પૈકી ભારતવર્ષમાં શુકલર્તીથનું મહાત્મ્ય સવિશેષ
રેવામાંથી હુંકાર કરી સ્વયંભૂ પ્રગટ થયા હતા હુંકારનાથ વિષ્ણુ ભગવાન
વિક્કી જોષી/ WatchGujarat. પુરાણોમાં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેરથી 15 કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ખાતે કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતાનાં આધારે સૈકાઓથી ભગવાન શંકર અને વિષ્ણુના માનમાં અહીં 5 દિવસની જાત્રા ભરાય છે. શુકલર્તીથની જાત્રામાં લાખો જાત્રાળુઓ ઉમટી ર્તીથાટન, સ્નાન, દર્શન, પિતૃતર્પણ કરી કૃતકૃત્ય થાય છે. જોકે આ વર્ષે ઇતિહાસમાં પહેલીવાર કોરોનાનાં કારણે જાત્રા-મેળો મોકૂફ રહેતા દેવો તો ઉમટશે પણ 4 લાખ મનુષ્યો આવી શકશે નહીં.
નર્મદા નદી કિનારે શુકલતીર્થ યાત્રા ધામે સૈકાઓથી કાર્તિકી અગિયારસથી દેવદિવાળી સુધી જાત્રા-મેળો ભરાય છે. પુરાણોક્ત મુજબ આ 5 દિવસમાં અહીં સૂક્ષ્મરૂપે દેવો ઉપસ્થિત રહે છે. જોકે કોરોનાને કારણે શુકલતીર્થ ગ્રામ પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરી આ વર્ષે મેળો જાત્રા નહિ યોજવા નિર્ણય કર્યો છે. શુક્લતીર્થની જાત્રા થકી 5 દિવસમાં જ પંચાયતને ₹18 થી 20 લાખની આવક થાય છે. જ્યારે રાજ્યભરમાંથી 4 લાખથી વધુ લોકો આ મેળો યાત્રા માણતા હોય છે.
જાત્રામાં નદી કિનારે 1000 થી વધુ પાથરણાવાળા, ખાણી પીણી, મનોરંજનના સ્ટોલ સહિતના અનેક લોકોને પણ 5 દિવસમાં મેળા થકી થતી સારી એવી આવક ગુમાવવાનો વારો આવ્યો છે. નર્મદા નદી કાંઠાના 333 શિવ ર્તીથો અને 28 વિષ્ણુર્તીથો પૈકી ભારતવર્ષમાં શુકલર્તીથનું મહાત્મ્ય સૌથી વિશેષ છે. શુકલર્તીથમાં શુકલેશ્વર મહાદેવ અને સ્વયંભૂ હુંકારર્તીથ, જે અપભંશ થઇને ઓમકારનાથ કહેવાયા એ શ્વેત વિષ્ણુ ભગવાનનાં પ્રિય ર્તીથ તરીકે પુરાણોમાં પંચર્તીથ અને તલપૂર ગણવામાં આવ્યું છે.
મહાભારત કાળમાં નૈમિષારણ્ય ગણાતું ક્ષેત્ર
રાજા ચાણકય, ભૃગુઋષિ, અગ્નિહોત્રી વેદપાઠી બ્રાહ્મણો, ધર્મરાજ યુધિષ્ઠિરની યાત્રાથી માંડી રાજા ચાણકયને અલૌકિક આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થયાની ઐતિહાસિક-પૌરાણિકતાના સ્કંઘ પુરાણ, નર્મદા પુરાણ, રેવાખંડ, શિવપુરાણ, માર્કડેય સહિતનાં પુરાણો અને ગ્રંથોમાં ઉલ્લેખ મળી આવે છે. સુદ-ઉપસુંદ, મધુ અને કૈટભ જેવા અસુરોને મહાત કર્યા હતા એ આ મહાભારત કાળના નૈમિષારણ્ય ગણાતા ક્ષેત્રમાં કારતક સુદ અગિયારસથી પુનમનાં દિવસોમાં દેવો સુક્ષ્મરૂપે ઉપસ્થિત રહેતા હોવાની લોકવાયકા છે.
યુધિષ્ઠિર ને શુ કહ્યું હતું મહર્ષિ માર્કંડેયે, પૃથ્વીના બીજા તીર્થો શુકલતીર્થની સોળમી કળા બરાબર પણ નહીં
શુકલર્તીથ ક્ષેત્રમાં દેવોનું સંરક્ષણ આજે પણ વિશેષ રૂપે મળતુ રહે છે. આ માહાત્મ્યના કારણે જ દેવોનાં માનમાં અહીં સૈકાઓથી ભરાતી જાત્રા-મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. મહર્ષિ માર્કંડેય પાસે મોક્ષ ર્તીથ તરીકે આગ્રહપૂર્વક નર્મદાના તટ પરના આવેલા ર્તીથો વિશે જાણવા ધર્મરાજ યુધિષ્ઠિરે ઉત્સુકતા જણાવી ત્યારે મહર્ષિએ બધા જ ર્તીથોમાં શ્રેષ્ઠ નર્મદાના ઉત્તર તટ ઉપર આવેલા શુકલર્તીથનું મહાત્મય સંભળાવ્યું હતું. શુકલર્તીથના શુભ દર્શનને કારણે પૃથ્વીના બીજા ર્તીથો તેની સોળમી કળા બરાબર પણ નથી.
શુકલર્તીથની ઉત્પતિ વિશે આદર અને શ્રદ્ધા ભાવથી ઋષિએ ધર્મરાજને જણાવ્યું હતું કે, શુકલર્તીથની ઉત્પતિ અને ચાણકય રાજાને મળેલી સિદ્ધી અને તેમના માનમાં ભરાતો ભાતીગળ યાત્રા-મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ર્તીથમાં સ્થાપિત દેવતા શુકલેશ્વર મહાદેવ, ઓમકારનાથ વિષ્ણુ ભગવાન, આદિત્યેશ્વર મહાદેવ અને ગોપેશ્વર મહાદેવના દર્શન કરી, નર્મદા સ્નાનનો લ્હાવો લે છે.
શુકલતીર્થમાં કાળા વસ્ત્ર, કાળી ગાય અને કાળા સઢ વાળી નાવ સફેદ થઈ
પ્રાચીનકાળમાં ઇશ્વાક વંશના ચાણકય નામે રાજા સાથે જોડાયેલી પુરાણોમાં વર્ણવાયેલી અન્ય કથાવાર્તા મુજબ, રાજા ચાણકયએ એવો નશ્ચિર્ય કર્યો હતો કે, હું કોઇનાથી છેતરાઇશ તો તુરત જ પ્રાણ ત્યાગી દઇશ. રાજનની પ્રતિજ્ઞાનો ભંગ કરવા અનેક યુકિત-પ્રયુકિતઓ થવા લાગી અંતે બ્રહમાંના શાપથી કાગ યોનિને પામેલા સુંદ અને ઉપસુંદ નામના દૈત્યોએ ચાણકય રાજાને છેતરતા કાગરૂપી અસુરો મારફતે યમરાજા પાસેથી રાજાએ શુકલર્તીથનો મહિમા જાણી લઇ તેમનું સર્વસ્વ દાનમાં આપી દીધુ હતું. અનેક શોક સંતાપથી ચિંતિત રાજાએ મહાદેવની પ્રાર્થના કરતા શિવજી પ્રસન્ન થતા આકાશવાણી થઇ હતી.
આકાશવાણી મુજબ રાજા ચાણકયને નર્મદા નદી જયાંથી નીકળે છે ત્યાંથી કાળા વસ્ત્ર, કાળી ગાય અને કાળા સઢની નાવ લઇ પ્રસ્થાન કરવા જણાવાયું હતું. જયાં આ તમામ વસ્તુઓ શ્વેત થશે ત્યાં રાજન તારો મોક્ષ થશે. આ સાંભળી નર્મદા નદી જયાંથી નીકળે છે એવા અમરકંટકથી ર્તીથાટન કરતા રાજા ર્તીથક્ષેત્ર શુકલેશ્વર મહાદેવ આવતા તેના દર્શન થકી ત્રણે વસ્તુ સફેદ થતા પાતાળમાંથી મહાકાલ અલૌકિક લીંગ પ્રગટ થયું હતું. જેના ભાવથી ત્રૈલોકય અંજાય ઉમાપતિ સહિત આ સ્થાનને કદી નહી છોડશો. શુકલેશ્વર મહાદેવનાં દર્શન માત્રથી માનવ માત્રની ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અનેક પાપોમાંથી મુકત થઇ મોક્ષ પ્રાપ્ત કરે છે. સ્વપ્નમાં પણ નરક જોઇ શકતો નથી. કારતક અને વૈશાખ મહિનામાં દેવો આ ર્તીથનું સેવન કરી સૂક્ષ્મરૂપે અહીં વિચરણ કરે છે.
શુકલર્તીથ વિશે શુ કહેવાયું છે
શુકલર્તીથને બે કોશ જેટલા ક્ષેત્રને ભકિત-મુકિત આપનાર સ્થાન ગણાવાયું છે. અહીં સ્નાન કરનાર બધા પાપોથી મુકત થાય છે. ગંગા કનખલમાં, સરસ્વતી કુરૂક્ષેત્રમાં પવિત્ર છે પરંતુ નર્મદા ગામમાં અને અરણ્યમાં બધે જ પવિત્ર છે. નર્મદા તટ પરનું શુકલતર્થી મહાપુણ્ય છે. રેવા જલની એક અંજલિ આપનારના બધા પિતૃઓ તૃપ્ત થાય છે.
શુકલર્તીથમાં રેવાએ ધારણ કર્યું હતું રોદ્ર સ્વરૂપ
દર્ભ, અક્ષત, પુષ્પો, સમિધા વિગેરે સતકર્મમાં વપરાતી પૂજન-હવન સામગ્રી રેવાના તટ પર મોટા પ્રમાણમાં થતી હતી. કહેવાય છે કે, શુકલર્તીથમાં અર્ધ ચંદ્રાકારે વહેતી રેવા એટલે કે નર્મદાએ પોતાના તરંગો વડે તે નષ્ટ કરીને ઋષિઓને ક્રોધ ઉત્પન્ન કરાવવાના આશયથી રોદ્ર રૂપ ધારણ કર્યું હતું. ભયને ઉત્પન્ન કરનારા આ ર્તીથના કાંઠા વિસ્તારમાં રહેવા માટે કયાંય અવકાશવાળો ખુલ્લો પ્રદેશ નહી રહેતા તમામ ઋષિ ગણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું હતું. ઋષિઓની ચિંતા જાણી તેમના દુખ દૂર કરવા રેવામાંથી ભગવાન વિષ્ણુએ સ્વયંભૂ પ્રગટ થઇ, હુંકાર કરીને રેવાને બે કોશ દૂર જવા કહ્યું હતું. સ્વયંમ્ રેવામાંથી હુંકાર કરી પ્રગટ થયેલા હુંકારનાથ વિષ્ણુ ભગવાનનું પૌરાણિક મંદિર અને માટીની સ્વયંભૂ શ્વેત મૂર્તિ આજે પણ અહીં છે.
પૌરાણિક કાળમાં સ્વયંભૂ પ્રગટ થયેલા શુકલેશ્વર
ઋષિ મુનિઓ અને દેવોના સત્સંગ દરમિયાન દેવાધિદેવ શંકરે કૈલાસ પર્વત ઉપર સંભળાવ્યું હતું કે, પૂર્વે કૃતયુગમાં ગિરજાપતિને સંતુષ્ટ કરવા વિષ્ણુએ હજાર વર્ષ સુધી અન્નને ત્યજી દઇને ફકત વાયુનું ભક્ષણ કરીને શુકલર્તીથ રહ્યાં હતા. જયાં શિવજીએ પ્રત્યક્ષ થઇ દર્શન દીધા હતા. જયાં સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલીંગ શુકલેશ્વર મહાદેવ આજે પણ મોજુદ છે.