18 થી 44 વર્ષ ના યુવાઓ માટે કોરોનાની વેકસીન માટે રજિસ્ટ્રેશન ફરજીયાત હોવાથી તેમજ લિમિટેડ સ્ટોકને પગલે અગાઉ સમસ્યા સર્જાઇ હતી
પહેલા જ દિવસે યુવાઓને રસીકરણ માટે રજીસ્ટ્રેશનમાંથી છુટકારો મળી જતા વેકસીન લેવા કેન્દ્રો ઉપર કતારો લાગી
આદિવાસી નર્મદા જિલ્લામાં પણ 40 કેન્દ્રો ઉપર 4000 વેકસીનનો ટાર્ગેટ રખાયો હતો
Watchgujarat. વેકસીન મહા અભિયાનના ભરૂચમાં પ્રથમ દિવસે જ 143 કેન્દ્રો ઉપર 18 થી 44 વર્ષના લોકોએ વેકસીન ઓન ધ સ્પોટનો લાભ લેવા કતારો લગાવી દેતા તંત્રના 11000 ના ટાર્ગેટ સામે 22000 થી વધુ લોકોને કોરોનાની રસી લીધી હતી.
18 થી 44 વર્ષ ના યુવાઓ માટે કોરોનાની વેકસીન માટે રજિસ્ટ્રેશન ફરજીયાત હોવાથી તેમજ લિમિટેડ સ્ટોક અને તેને લઈ ઓછા કેન્દ્રો વચ્ચે સ્લોટ નહિ મળવાની સમસ્યા સર્જાય રહી હતી.
ભરૂચ જિલ્લાને પણ વેકસીનનો પૂરતો જથ્થો ફાળવતા 21 જૂનથી વેકસીનેશનનું મહાઅભિયાન શરૂ કરી 18 થી 44 વર્ષ માટે વેકસીન ઓન ધ સ્પોટ કરી દેવાયું છે. પેહલા દિવસે જ ભરૂચ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રે 143 સેન્ટરો ઉપર 11000 ને રસીકરણનો ટાર્ગેટ રાખ્યો હતો. જેમાં 25 કેન્દ્રો ઉપર મહાનુભવોએ ઉપસ્થિત રહી અભિયાનને વેગ આપ્યો હતો.
પહેલા જ દિવસે યુવાઓને રસીકરણ માટે રજીસ્ટ્રેશનમાંથી છુટકારો મળી જતા વેકસીન લેવા કેન્દ્રો ઉપર કતારો લાગી ગઈ હતી. જેને લઈ તંત્રનો ટાર્ગેટ 200 ટકા હાંસલ થઈ ગયો હતો. જિલ્લામાં 22000 થી વધુ લોકોએ સોમવારે વેકસીન લીધી હતી.
આદિવાસી નર્મદા જિલ્લામાં પણ 40 કેન્દ્રો ઉપર 4000 વેકસીનનો ટાર્ગેટ રખાયો હતો. MP મનસુખ વસાવા સહિતના પદાધિકારીઓ 25 સેન્ટરો ઉપર હાજર રહ્યા હતા. નર્મદા જિલ્લામાં 40 જેટલા કેન્દ્રો ખાતે રસીકરણની હાથ ધરાયેલી કામગીરીમાં : પ્રથમ દિવસે બપોરનાં 2 કલાક સુધીમાં 1858 ના રસીકરણ સાથે 46% લક્ષ્યાંક મેળવાયો હતો.
18 થી 44 વર્ષ ના યુવાઓ માટે કોરોનાની વેકસીન માટે રજિસ્ટ્રેશન ફરજીયાત હોવાથી તેમજ લિમિટેડ સ્ટોકને પગલે અગાઉ સમસ્યા સર્જાઇ હતી
પહેલા જ દિવસે યુવાઓને રસીકરણ માટે રજીસ્ટ્રેશનમાંથી છુટકારો મળી જતા વેકસીન લેવા કેન્દ્રો ઉપર કતારો લાગી
આદિવાસી નર્મદા જિલ્લામાં પણ 40 કેન્દ્રો ઉપર 4000 વેકસીનનો ટાર્ગેટ રખાયો હતો
Watchgujarat. વેકસીન મહા અભિયાનના ભરૂચમાં પ્રથમ દિવસે જ 143 કેન્દ્રો ઉપર 18 થી 44 વર્ષના લોકોએ વેકસીન ઓન ધ સ્પોટનો લાભ લેવા કતારો લગાવી દેતા તંત્રના 11000 ના ટાર્ગેટ સામે 22000 થી વધુ લોકોને કોરોનાની રસી લીધી હતી.
18 થી 44 વર્ષ ના યુવાઓ માટે કોરોનાની વેકસીન માટે રજિસ્ટ્રેશન ફરજીયાત હોવાથી તેમજ લિમિટેડ સ્ટોક અને તેને લઈ ઓછા કેન્દ્રો વચ્ચે સ્લોટ નહિ મળવાની સમસ્યા સર્જાય રહી હતી.
ભરૂચ જિલ્લાને પણ વેકસીનનો પૂરતો જથ્થો ફાળવતા 21 જૂનથી વેકસીનેશનનું મહાઅભિયાન શરૂ કરી 18 થી 44 વર્ષ માટે વેકસીન ઓન ધ સ્પોટ કરી દેવાયું છે. પેહલા દિવસે જ ભરૂચ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રે 143 સેન્ટરો ઉપર 11000 ને રસીકરણનો ટાર્ગેટ રાખ્યો હતો. જેમાં 25 કેન્દ્રો ઉપર મહાનુભવોએ ઉપસ્થિત રહી અભિયાનને વેગ આપ્યો હતો.
પહેલા જ દિવસે યુવાઓને રસીકરણ માટે રજીસ્ટ્રેશનમાંથી છુટકારો મળી જતા વેકસીન લેવા કેન્દ્રો ઉપર કતારો લાગી ગઈ હતી. જેને લઈ તંત્રનો ટાર્ગેટ 200 ટકા હાંસલ થઈ ગયો હતો. જિલ્લામાં 22000 થી વધુ લોકોએ સોમવારે વેકસીન લીધી હતી.
આદિવાસી નર્મદા જિલ્લામાં પણ 40 કેન્દ્રો ઉપર 4000 વેકસીનનો ટાર્ગેટ રખાયો હતો. MP મનસુખ વસાવા સહિતના પદાધિકારીઓ 25 સેન્ટરો ઉપર હાજર રહ્યા હતા. નર્મદા જિલ્લામાં 40 જેટલા કેન્દ્રો ખાતે રસીકરણની હાથ ધરાયેલી કામગીરીમાં : પ્રથમ દિવસે બપોરનાં 2 કલાક સુધીમાં 1858 ના રસીકરણ સાથે 46% લક્ષ્યાંક મેળવાયો હતો.