ભાવનગરનો પરિવાર મહારાષ્ટ્રથી ઇકો કારમાં પોતાના વતન પરત જઇ રહ્યો હતો.
આણંદ-તારાપુરા હાઇવે પરના ઇન્દ્રણજ ગામે ગત રોજ વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત મામલે પોલીસે આઇપીસી 304 હેઠળ ગુનો નોંધી ટ્રક ડ્રાઇવર રાજેશ સિતારામ બકેલની ધરપકડ કરી
[caption id="attachment_1223331" align="aligncenter" width="1280"] Truck Driver Rajesh[/caption]
WatchGujarat. ગત રોજ વહેલી સવારે આણંદ-તારાપુર હાઇવે પર આવેલા ઇન્દ્રણજ ગામે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવનગરના એક જ પરિવારના 9 સભ્યોના મોત નિપજ્યા હતા. ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ અને ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જેમાં ટ્રક ચાલક વિરૂદ્ધ પોલીસે આઇપીસી 304 હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો. જોકે આ અકસ્માત કંઇ રીતે સર્જાયો એ અંગે ડ્રાઇવરે ચોંકવનારૂ નિવેદન આપ્યું હતુ.
આણંદ-તારાપુર હાઇવે પર ગત રોજ વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે, ભાવનગરનો પરિવાર મહારાષ્ટ્ર ખાતે છોકરી જોવા માટે ગયો હતો. જ્યાંથી તેઓ ઇકો કારમાં પરત વતન આવવા નિકળ્યા હતા. તેવામાં બુધવારે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ઇકો કાર આણંદ-તારાપુરા હાઇવે પરના ઇન્દ્રણજ ગામે પહોંચી હતી. જ્યાં સામે તરફથી પુરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે ઇકો કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 2 બાળકો સહિત કુલ 9 લોકોના મોત નિપજ્યાં હતા.
બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં ટ્રકમાં ફસેયાલી ઇકો કારને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. દરમિયાન મૃતકોની ઓળખ છતી કરવા પોલીસે ઘટના અંગે તેમના પરિવારજનોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતા. જ્યાં તમામની ઓળખ કરવામાં આવી હતી, અને પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ મૃતદેહો એમ્બ્યૂલન્સ મારફતે તેમના વતન મોકલવમાં આવ્યાં હતા.
આ મામલે ખંભાત DYSP ભારતીબેન પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું કે, ગત રોજ સર્જાયેલા અકસ્માત અંગે સ્થાનિક પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે ટ્રક ડ્રાઇવર રાજેશ સિતારામ બકેલને ઝડપી પાડ્યો હતો. અકસ્માત કંઇ રીતે સર્જાયો તે અંગે પોલીસે ટ્રક ડ્રાઇવર રાજેશની પુછપરછ કરતા, વહેલી સવારે જોકુ આવી જતાં સ્ટીયરીંગ પરનુ કાબુ ગુમાવી દીધો હતો. જેથી ટ્રક ઢસડાઇ હતી અને સામે તરફથી આવતી ઇકો કારમાં અથડાતા અકસ્માત સર્જાયો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી છે.
ભાવનગરનો પરિવાર મહારાષ્ટ્રથી ઇકો કારમાં પોતાના વતન પરત જઇ રહ્યો હતો.
આણંદ-તારાપુરા હાઇવે પરના ઇન્દ્રણજ ગામે ગત રોજ વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત મામલે પોલીસે આઇપીસી 304 હેઠળ ગુનો નોંધી ટ્રક ડ્રાઇવર રાજેશ સિતારામ બકેલની ધરપકડ કરી
WatchGujarat. ગત રોજ વહેલી સવારે આણંદ-તારાપુર હાઇવે પર આવેલા ઇન્દ્રણજ ગામે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવનગરના એક જ પરિવારના 9 સભ્યોના મોત નિપજ્યા હતા. ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ અને ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જેમાં ટ્રક ચાલક વિરૂદ્ધ પોલીસે આઇપીસી 304 હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો. જોકે આ અકસ્માત કંઇ રીતે સર્જાયો એ અંગે ડ્રાઇવરે ચોંકવનારૂ નિવેદન આપ્યું હતુ.
આણંદ-તારાપુર હાઇવે પર ગત રોજ વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે, ભાવનગરનો પરિવાર મહારાષ્ટ્ર ખાતે છોકરી જોવા માટે ગયો હતો. જ્યાંથી તેઓ ઇકો કારમાં પરત વતન આવવા નિકળ્યા હતા. તેવામાં બુધવારે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ઇકો કાર આણંદ-તારાપુરા હાઇવે પરના ઇન્દ્રણજ ગામે પહોંચી હતી. જ્યાં સામે તરફથી પુરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે ઇકો કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 2 બાળકો સહિત કુલ 9 લોકોના મોત નિપજ્યાં હતા.
બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં ટ્રકમાં ફસેયાલી ઇકો કારને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. દરમિયાન મૃતકોની ઓળખ છતી કરવા પોલીસે ઘટના અંગે તેમના પરિવારજનોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતા. જ્યાં તમામની ઓળખ કરવામાં આવી હતી, અને પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ મૃતદેહો એમ્બ્યૂલન્સ મારફતે તેમના વતન મોકલવમાં આવ્યાં હતા.
આ મામલે ખંભાત DYSP ભારતીબેન પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું કે, ગત રોજ સર્જાયેલા અકસ્માત અંગે સ્થાનિક પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે ટ્રક ડ્રાઇવર રાજેશ સિતારામ બકેલને ઝડપી પાડ્યો હતો. અકસ્માત કંઇ રીતે સર્જાયો તે અંગે પોલીસે ટ્રક ડ્રાઇવર રાજેશની પુછપરછ કરતા, વહેલી સવારે જોકુ આવી જતાં સ્ટીયરીંગ પરનુ કાબુ ગુમાવી દીધો હતો. જેથી ટ્રક ઢસડાઇ હતી અને સામે તરફથી આવતી ઇકો કારમાં અથડાતા અકસ્માત સર્જાયો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી છે.