ચાર લોકોને જીવતા બહાર કઢાયા હતા
ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો
WatchGujarat. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન એકાએક ધડાકા સાથે ધરાશાયી થયું હતું. આ મકાનમાં એલપીજી ગેસના સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આ દુર્ઘટના ઘટી છે. મકાન તૂટી પડતા અંદર રહેલા પરિવારના છ સભ્યો કાટમાળમાં ફસાઈ ગયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરવામાં આવેલ 4 પૈકી 2ની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે એક વ્યક્તિની હાલત સ્થિર જણાતા તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીના એક મકાનમાં છ સભ્યો રહેતા હતા. જ્યાં અચાનક એલપીજી સિલિન્ડર ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એક જ પરિવારના 6 સભ્યો કાટમાળમાં ફસાયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરાતા જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ મકાનના કાટમાળમાં ફસાયેલાઓને બચાવવા માટેની રાહત કામગીરીમાં કુલ ચાર વ્યક્તિઓને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. બચી ગયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બચનાર વ્યક્તિઓમાંથી બેની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ઘરમાં એલપીજી સિલેન્ડર લીકેજ થતો હતો જેના કારણે એકાએક બ્લાસ્ટ થયો છે. હાલ ફાયર બ્રિગેડે બચાવ કામગીરી પૂર્ણ કરી દીધી છે. આ અંગે રાણીપ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ વધુ તપાસ કરશે કે, નેમિનાથ સોસાયટીમાં બે માળનુ મકાન અચાનક કઇ રીતે ધરાશાયી થયું.
આ મકાનમાં માલિક અને ભાડુઆત રહેતા હતા
આ બે માળના મકાનમાં મકાન માલિક અને ભાડુઆત રહેતા હતા. એટલે કે, આ ઘરમાં બે પરિવાર રહેતા હતા. અચાનક ઘરમાં બ્લાસ્ટ થતાં આસપાસનાં રહીશો પણ ચિંતામાં મુકાયા હતા અને પોતાના ઘરની બહાર આવી ગયા હતા.
મૃતકના નામ
નુતનબેન રસિકભાઈ પંચાલ (ઉ.વ 55)
ભાવનાબેન પટેલ ( ઉ.વ. આશરે 55)
ઇજાગ્રસ્તના નામ
મયુર પંચાલ
આશિષ પટેલ
વિષ્ણુ પટે
ઈચ્છાબેન પટેલ
ચાર લોકોને જીવતા બહાર કઢાયા હતા
ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો
WatchGujarat. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન એકાએક ધડાકા સાથે ધરાશાયી થયું હતું. આ મકાનમાં એલપીજી ગેસના સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આ દુર્ઘટના ઘટી છે. મકાન તૂટી પડતા અંદર રહેલા પરિવારના છ સભ્યો કાટમાળમાં ફસાઈ ગયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરવામાં આવેલ 4 પૈકી 2ની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે એક વ્યક્તિની હાલત સ્થિર જણાતા તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીના એક મકાનમાં છ સભ્યો રહેતા હતા. જ્યાં અચાનક એલપીજી સિલિન્ડર ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એક જ પરિવારના 6 સભ્યો કાટમાળમાં ફસાયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરાતા જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ મકાનના કાટમાળમાં ફસાયેલાઓને બચાવવા માટેની રાહત કામગીરીમાં કુલ ચાર વ્યક્તિઓને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. બચી ગયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બચનાર વ્યક્તિઓમાંથી બેની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ઘરમાં એલપીજી સિલેન્ડર લીકેજ થતો હતો જેના કારણે એકાએક બ્લાસ્ટ થયો છે. હાલ ફાયર બ્રિગેડે બચાવ કામગીરી પૂર્ણ કરી દીધી છે. આ અંગે રાણીપ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ વધુ તપાસ કરશે કે, નેમિનાથ સોસાયટીમાં બે માળનુ મકાન અચાનક કઇ રીતે ધરાશાયી થયું.
આ મકાનમાં માલિક અને ભાડુઆત રહેતા હતા
આ બે માળના મકાનમાં મકાન માલિક અને ભાડુઆત રહેતા હતા. એટલે કે, આ ઘરમાં બે પરિવાર રહેતા હતા. અચાનક ઘરમાં બ્લાસ્ટ થતાં આસપાસનાં રહીશો પણ ચિંતામાં મુકાયા હતા અને પોતાના ઘરની બહાર આવી ગયા હતા.