ભોજબાજોએ બંધ થઇ ગયેલી પોલિસીના રૂ, 27.87 લાખ લેવાની લાલચ આપી હતી
ભેજાબાજ ટોળકીએ સિનિયર સિટીઝન પાસે GST અને CGSTના નામે રૂપિયા પડાવ્યા
સિનિયર સિટીઝનને શંકા જતા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વડોદરા. GSFCના રીયાયર્ડ સિનિયર સિટીઝને બંધ થઇ ગયેલી પોલિસીના રૂ, 27.87 લાખ લેવાની લાલચ આપી ભોજબાજ ટોળકીએ રૂ. 14.91 લાખ ખંખેરી લીધા છે. ભેજાબાજ ટોળકીએ સિનિયર સિટીઝન પાસે GSTના નામે રૂપિયા 14.91 લાખ પડાવ્યા હતા. વડોદરા તાલુકા પોલીસે ભેજાબાજ ટોળકી સામે ગુનોને નોંધી તપાસ શરૂ કરી છે.
સમા-સાવલી રોડ પર રહેતા સિનિયર સિટીઝન જગદીશચંદ્ર ચુનીલાલ ત્રિવેદી વર્ષ 2010માં GSFCમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે 1990માં બિરલા સન લાઈફ માંથી વીમા પોલિસી લીધી હતી. જગદીશચંદ્રના મોબાઇલ ઉપર ગત તા. 19 જૂન 2020ના રોજ રાજીવ શર્માનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, તમારે બિરલા સનલાઇફ પોલિસીમાં રૂપિયા લેવાના નીકળે છે અને તમારે આશરે 91,000 રૂપિયા જેટલી રકમ મળવા પાત્ર છે. હું તમને NOC ફોર્મ મોકલી આપું છું. જેમાં વિગતો ભરીને મારા વોટ્સએપ ઉપર મોકલી આપજો. જગદીશચંદ્ર ત્રિવેદીએ ભેજાબાજે મોકલેલું ફોર્મ ભરીને મોકલી આપ્યું હતું.
દરમિયાન રાજીવ શર્મા, આર.કે. ખંડેલવાલ, વસીમ અને અરોરાએ અલગ-અલગ નંબરથી જગદીશચંદ્રને ફોન કર્યો હતો. અને જણાવ્યું હતું કે, તમારી પોલિસી બંધ થઇ ગઇ છે, પરંતુ, તમારે GST અને CGSTના ચાર્જ ભરવા પડશે અને જો તમે ચાર્જ ભરશો તો તમારા ફંડમાં વધારો થઇને રૂ, 27,87,000 મળવા પાત્ર છે. ભેજાબાજોની માયાજાળમાં ફસાયેલા જગદીશચંદ્રએ 19 જૂન-2020થી 24 ઓગસ્ટ-2020 દરમિયાન જુદા-જુદા એકાઉન્ટ નંબરોમાં અલગ-અલગ તારીખોએ ટુકડે ટુકડે મળીને કુલ રૂ, 14.91 લાખ જમા કરાવ્યા હતા.
ભોજબાજોએ જણાવેલ રૂ, 27.87 લાખ જેટલી રકમ લેવાની લાલચમાં આવી ગયેલા જગદીશચંદ્રએ રૂ, 14.91 લાખ જેટલી રકમ ભર્યા પછી પણ ભોજબાજ ટોળકી વધુ નાણાં પડાવવા માટે ફોન કરતા હતા. અવાર-નવાર ફોન કરીને નાણાંની માંગણી કરી રહેલી ટોળકી અંગે જગદીશચંદ્રને શંકા જતા આખરે તેઓએ વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ રાજીવ શર્મા, આર.કે. ખંડેલવાલ, વસીમ તથા અરોર સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવની વધુ તપાસ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળા કરી રહ્યા છે.
ભોજબાજોએ બંધ થઇ ગયેલી પોલિસીના રૂ, 27.87 લાખ લેવાની લાલચ આપી હતી
ભેજાબાજ ટોળકીએ સિનિયર સિટીઝન પાસે GST અને CGSTના નામે રૂપિયા પડાવ્યા
સિનિયર સિટીઝનને શંકા જતા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વડોદરા. GSFCના રીયાયર્ડ સિનિયર સિટીઝને બંધ થઇ ગયેલી પોલિસીના રૂ, 27.87 લાખ લેવાની લાલચ આપી ભોજબાજ ટોળકીએ રૂ. 14.91 લાખ ખંખેરી લીધા છે. ભેજાબાજ ટોળકીએ સિનિયર સિટીઝન પાસે GSTના નામે રૂપિયા 14.91 લાખ પડાવ્યા હતા. વડોદરા તાલુકા પોલીસે ભેજાબાજ ટોળકી સામે ગુનોને નોંધી તપાસ શરૂ કરી છે.
સમા-સાવલી રોડ પર રહેતા સિનિયર સિટીઝન જગદીશચંદ્ર ચુનીલાલ ત્રિવેદી વર્ષ 2010માં GSFCમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે 1990માં બિરલા સન લાઈફ માંથી વીમા પોલિસી લીધી હતી. જગદીશચંદ્રના મોબાઇલ ઉપર ગત તા. 19 જૂન 2020ના રોજ રાજીવ શર્માનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, તમારે બિરલા સનલાઇફ પોલિસીમાં રૂપિયા લેવાના નીકળે છે અને તમારે આશરે 91,000 રૂપિયા જેટલી રકમ મળવા પાત્ર છે. હું તમને NOC ફોર્મ મોકલી આપું છું. જેમાં વિગતો ભરીને મારા વોટ્સએપ ઉપર મોકલી આપજો. જગદીશચંદ્ર ત્રિવેદીએ ભેજાબાજે મોકલેલું ફોર્મ ભરીને મોકલી આપ્યું હતું.
દરમિયાન રાજીવ શર્મા, આર.કે. ખંડેલવાલ, વસીમ અને અરોરાએ અલગ-અલગ નંબરથી જગદીશચંદ્રને ફોન કર્યો હતો. અને જણાવ્યું હતું કે, તમારી પોલિસી બંધ થઇ ગઇ છે, પરંતુ, તમારે GST અને CGSTના ચાર્જ ભરવા પડશે અને જો તમે ચાર્જ ભરશો તો તમારા ફંડમાં વધારો થઇને રૂ, 27,87,000 મળવા પાત્ર છે. ભેજાબાજોની માયાજાળમાં ફસાયેલા જગદીશચંદ્રએ 19 જૂન-2020થી 24 ઓગસ્ટ-2020 દરમિયાન જુદા-જુદા એકાઉન્ટ નંબરોમાં અલગ-અલગ તારીખોએ ટુકડે ટુકડે મળીને કુલ રૂ, 14.91 લાખ જમા કરાવ્યા હતા.
ભોજબાજોએ જણાવેલ રૂ, 27.87 લાખ જેટલી રકમ લેવાની લાલચમાં આવી ગયેલા જગદીશચંદ્રએ રૂ, 14.91 લાખ જેટલી રકમ ભર્યા પછી પણ ભોજબાજ ટોળકી વધુ નાણાં પડાવવા માટે ફોન કરતા હતા. અવાર-નવાર ફોન કરીને નાણાંની માંગણી કરી રહેલી ટોળકી અંગે જગદીશચંદ્રને શંકા જતા આખરે તેઓએ વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ રાજીવ શર્મા, આર.કે. ખંડેલવાલ, વસીમ તથા અરોર સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવની વધુ તપાસ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળા કરી રહ્યા છે.