હરિપ્રસાદ સ્વામીજીની અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવાશે
અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે
સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે
અંત્યેષ્ટી માટે ચંદન,કેર,ઉમરો,પીપળો,સેવન,તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થશે
WatchGujarat. હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા છે. આજે 1 ઓગષ્ટના રોજ મંદિર પરીસરમાં જ લીમડા વન ખાતે સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં જણાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધી કરાવામાં આવશે. પ્રસંગે માત્ર સંતો અને અગ્રણીઓ હાજર રહેશે. હરિભકતોને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હરિભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે. અંતિમ સંસ્કાર વિધીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.
સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે
સમગ્ર મામલે ગુરૂપ્રસાદ સ્વામીજીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 1 ઓગષ્ટના રોજ સવાર થી જ અંત્યેષ્ટી માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરી દેવાશે. અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવાશે. જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશીકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે. ગુરૂપ્રસાદ સ્વામીજીએ વધુમાં જણાવ્યું કે, અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિ રૂપ શાલિગ્રામજીની પુજા કરાશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે.
મંદિરની પ્રદક્ષિણા બાદ અંત્યેષ્ટિ સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોચશે
વધુમાં ગુરૂપ્રસાદ સ્વામીએ જણાવ્યું કે, શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક પૂર્ણ થયા બાદ હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવવામાં આવશે. મંદિરની પ્રદક્ષિણા બાદ અંત્યેષ્ટિ સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોંચશે. ત્યાં પણ પુરૂષસૂક્તના શ્લોકોના ગાન વચ્ચે વિધી કરવામાં આવશે. અંત્યેષ્ટી માટે ચંદન,કેર,ઉમરો,પીપળો,સેવન,તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થશે. અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરાશે.
પંચ મહાભૂત પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ ઉપરાંત હૃદયસ્થ આત્માના પ્રતિનિધિ રૂપ ષટપિંડ પૂજન કરાશે
ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું છે તે તમામ નદી ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા, તાપીના જળથી સ્વામી હરિપ્રસાદના દિવ્ય વિગ્રહને અભિષેક કરાવાશે. જેની સાથે વડીલ સંતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોના ગાન કરાશે. આ સાથે પંચ મહાભૂત પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ ઉપરાંત હૃદયસ્થ આત્માના પ્રતિનિધિ રૂપ ષટપિંડ પૂજન થશે.
હરિપ્રસાદ સ્વામીજીની અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવાશે
અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે
સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે
અંત્યેષ્ટી માટે ચંદન,કેર,ઉમરો,પીપળો,સેવન,તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થશે
WatchGujarat. હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા છે. આજે 1 ઓગષ્ટના રોજ મંદિર પરીસરમાં જ લીમડા વન ખાતે સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં જણાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધી કરાવામાં આવશે. પ્રસંગે માત્ર સંતો અને અગ્રણીઓ હાજર રહેશે. હરિભકતોને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હરિભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે. અંતિમ સંસ્કાર વિધીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.
સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે
સમગ્ર મામલે ગુરૂપ્રસાદ સ્વામીજીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 1 ઓગષ્ટના રોજ સવાર થી જ અંત્યેષ્ટી માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરી દેવાશે. અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવાશે. જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશીકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે. ગુરૂપ્રસાદ સ્વામીજીએ વધુમાં જણાવ્યું કે, અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિ રૂપ શાલિગ્રામજીની પુજા કરાશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે.
મંદિરની પ્રદક્ષિણા બાદ અંત્યેષ્ટિ સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોચશે
વધુમાં ગુરૂપ્રસાદ સ્વામીએ જણાવ્યું કે, શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક પૂર્ણ થયા બાદ હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવવામાં આવશે. મંદિરની પ્રદક્ષિણા બાદ અંત્યેષ્ટિ સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોંચશે. ત્યાં પણ પુરૂષસૂક્તના શ્લોકોના ગાન વચ્ચે વિધી કરવામાં આવશે. અંત્યેષ્ટી માટે ચંદન,કેર,ઉમરો,પીપળો,સેવન,તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થશે. અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરાશે.
પંચ મહાભૂત પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ ઉપરાંત હૃદયસ્થ આત્માના પ્રતિનિધિ રૂપ ષટપિંડ પૂજન કરાશે
ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું છે તે તમામ નદી ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા, તાપીના જળથી સ્વામી હરિપ્રસાદના દિવ્ય વિગ્રહને અભિષેક કરાવાશે. જેની સાથે વડીલ સંતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોના ગાન કરાશે. આ સાથે પંચ મહાભૂત પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ ઉપરાંત હૃદયસ્થ આત્માના પ્રતિનિધિ રૂપ ષટપિંડ પૂજન થશે.