કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિબિલો પરત ખેંચવાની માંગ સાથે દિલ્હી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.
11 તારીખે ગાંધીનગર ખાતે "ખેડૂત સંસદ" કરી ત્યાંથી સામુહિક રીતે દિલ્હી કુચ કરવાનું આયોજન કરવામાં આવ્યું
સરકારે ખેડૂત સંસદ કરવાની પરવાનગી તો ન આપી, પરંતુ 10 ડિસેમ્બરથી આ સમિતિના આગેવાનોને નજરકેદ કરવાનું શરૂ કરી દીધું
WatchGujarat કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિબિલો પરત ખેંચવાની માંગ સાથે દિલ્હી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા બે દિવસમાં જ ગુજરાતનાં પણ 200થી વધુ ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. જેમાં પાલ આંબલિયા, જયેશ પટેલ, ડાયાભાઇ ગજેરા, અરુણ મહેતા, યાકુબ ગુરજી, કાંતિભાઈ બાવરવા, ઉપરાંત હરિશ્ચંદ્ર સિંહ જાડેજા સામેલ છે. ગુજરાત સરકારના અથાગ પ્રયાસો છતાં આ ખેડૂતો દિલ્હી સુધી કઈ રીતે પહોંચ્યા તે અંગે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ રસપ્રદ જાણકારી આપી હતી.
આંબલિયાનાં જણાવ્યા મુજબ, ગત તા. 6 ડિસેમ્બરે ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો એક મંચ પર આવ્યા હતા. અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ બનાવી હતી જેમાં 11 તારીખે ગાંધીનગર ખાતે "ખેડૂત સંસદ" કરી ત્યાંથી સામુહિક રીતે દિલ્હી કુચ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રાજ્ય સરકારે ખેડૂત સંસદ કરવાની પરવાનગી તો ન આપી, પરંતુ 10 ડિસેમ્બરથી આ સમિતિના આગેવાનોને નજરકેદ કરવાનું શરૂ કરી દીધું હતું.
https://twitter.com/WatchGujarat/status/1339087826369974273?s=19
બાદમાં કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ zoom એપ્લિકેશન દ્વારા મિટિંગ કરી નક્કી કર્યું કે, તા. 13 ના રાતના 12 વાગ્યા સુધીમાં જેવી રીતે પહોંચાય એવી રીતે રાજસ્થાનમાં ઉદેપુર પહોંચવું, અને ત્યાં આગળની રણનીતિ તૈયાર કરી દિલ્હી તરફ કુચ કરવી અને તારીખ 14ના સાંજ સુધી દિલ્હી ખેડૂત આંદોલન છાવણીએ પહોંચવું. જે અંતર્ગત સોમવારે 150 અને મંગળવારે વધુ 50 ખેડૂત આગેવાનો રાજસ્થાન દિલ્હી બોર્ડર પર છાવણીએ પહોંચ્યા છે.
વધુમાં આંબલિયાએ ગુજરાતનાં ખેડૂતો વતી જણાવ્યું હતું કે, અમે ગાંધી અને સરદારની ભૂમિના ખેડૂતો છીએ અને અમે પણ તમારી સાથે ખભે ખભો મિલાવી લડવા માંગીએ છીએ. આ લડાઈ કોઈ એકલ દોકલ ખેડૂતની કે કોઈ એકલ દોકલ રાજ્યની નહીં પણ ભારતભરના ખેડૂતોના માન, સન્માન, સ્વાભિમાન અને ભવિષ્યની લડાઈ છે. ત્યારે આ લડાઈમાં ગુજરાતનો ખેડૂત પણ પાછળ નથી. સાથે જ ગુજરાતના વધુમાં વધુ ખેડૂતોને દિલ્હી પહોંચવાની અપીલ પણ તેમણે કરી હતી.
ખેડૂત આંદોલનમાં કેવું છે આયોજન
દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, આ આંદોલન ખૂબ આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું છે. જેમાં દરરોજ સાંજે 6 વાગ્યે ખેડૂત આગેવાનોની બેઠક થાય છે. આ બેઠકમાં જ રણનીતી નક્કી થાય છે. દર 500 મિટરે ભોજનની, તેમજ દરેક કિલોમીટરે મેડીકલ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મુસ્લિમ ભાઈઓ માટે ઈદગાહ ઉભું કરાયું છે. જેમાં નમાજ સમયે હથિયારધારી શીખભાઈઓ ચોકીપહેરો કરે છે. આ સિવાય રાત્રે 50 કિલોમીટરનાં વિસ્તારમાં પણ ચોકી પહેરો કરવામાં આવે છે. તો પોલીસે રાખેલા બેરીકેડ કેમ તોડવા એ માટે 5000 હજાર ટ્રેકટર સાથે ટેક્નિકલ ટિમ છે. સિંધુ બોર્ડર પર 35 કિલોમીટર સુધી ટ્રેકટરને જ ઘર બનાવી ખેડૂતોએ પડાવ નાખ્યો હોવાનું પણ તેમણે કહ્યું છે.
કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિબિલો પરત ખેંચવાની માંગ સાથે દિલ્હી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.
11 તારીખે ગાંધીનગર ખાતે "ખેડૂત સંસદ" કરી ત્યાંથી સામુહિક રીતે દિલ્હી કુચ કરવાનું આયોજન કરવામાં આવ્યું
સરકારે ખેડૂત સંસદ કરવાની પરવાનગી તો ન આપી, પરંતુ 10 ડિસેમ્બરથી આ સમિતિના આગેવાનોને નજરકેદ કરવાનું શરૂ કરી દીધું
WatchGujarat કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિબિલો પરત ખેંચવાની માંગ સાથે દિલ્હી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા બે દિવસમાં જ ગુજરાતનાં પણ 200થી વધુ ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. જેમાં પાલ આંબલિયા, જયેશ પટેલ, ડાયાભાઇ ગજેરા, અરુણ મહેતા, યાકુબ ગુરજી, કાંતિભાઈ બાવરવા, ઉપરાંત હરિશ્ચંદ્ર સિંહ જાડેજા સામેલ છે. ગુજરાત સરકારના અથાગ પ્રયાસો છતાં આ ખેડૂતો દિલ્હી સુધી કઈ રીતે પહોંચ્યા તે અંગે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ રસપ્રદ જાણકારી આપી હતી.
આંબલિયાનાં જણાવ્યા મુજબ, ગત તા. 6 ડિસેમ્બરે ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો એક મંચ પર આવ્યા હતા. અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ બનાવી હતી જેમાં 11 તારીખે ગાંધીનગર ખાતે "ખેડૂત સંસદ" કરી ત્યાંથી સામુહિક રીતે દિલ્હી કુચ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રાજ્ય સરકારે ખેડૂત સંસદ કરવાની પરવાનગી તો ન આપી, પરંતુ 10 ડિસેમ્બરથી આ સમિતિના આગેવાનોને નજરકેદ કરવાનું શરૂ કરી દીધું હતું.
બાદમાં કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ zoom એપ્લિકેશન દ્વારા મિટિંગ કરી નક્કી કર્યું કે, તા. 13 ના રાતના 12 વાગ્યા સુધીમાં જેવી રીતે પહોંચાય એવી રીતે રાજસ્થાનમાં ઉદેપુર પહોંચવું, અને ત્યાં આગળની રણનીતિ તૈયાર કરી દિલ્હી તરફ કુચ કરવી અને તારીખ 14ના સાંજ સુધી દિલ્હી ખેડૂત આંદોલન છાવણીએ પહોંચવું. જે અંતર્ગત સોમવારે 150 અને મંગળવારે વધુ 50 ખેડૂત આગેવાનો રાજસ્થાન દિલ્હી બોર્ડર પર છાવણીએ પહોંચ્યા છે.
વધુમાં આંબલિયાએ ગુજરાતનાં ખેડૂતો વતી જણાવ્યું હતું કે, અમે ગાંધી અને સરદારની ભૂમિના ખેડૂતો છીએ અને અમે પણ તમારી સાથે ખભે ખભો મિલાવી લડવા માંગીએ છીએ. આ લડાઈ કોઈ એકલ દોકલ ખેડૂતની કે કોઈ એકલ દોકલ રાજ્યની નહીં પણ ભારતભરના ખેડૂતોના માન, સન્માન, સ્વાભિમાન અને ભવિષ્યની લડાઈ છે. ત્યારે આ લડાઈમાં ગુજરાતનો ખેડૂત પણ પાછળ નથી. સાથે જ ગુજરાતના વધુમાં વધુ ખેડૂતોને દિલ્હી પહોંચવાની અપીલ પણ તેમણે કરી હતી.ખેડૂત આંદોલનમાં કેવું છે આયોજન
દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, આ આંદોલન ખૂબ આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું છે. જેમાં દરરોજ સાંજે 6 વાગ્યે ખેડૂત આગેવાનોની બેઠક થાય છે. આ બેઠકમાં જ રણનીતી નક્કી થાય છે. દર 500 મિટરે ભોજનની, તેમજ દરેક કિલોમીટરે મેડીકલ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મુસ્લિમ ભાઈઓ માટે ઈદગાહ ઉભું કરાયું છે. જેમાં નમાજ સમયે હથિયારધારી શીખભાઈઓ ચોકીપહેરો કરે છે. આ સિવાય રાત્રે 50 કિલોમીટરનાં વિસ્તારમાં પણ ચોકી પહેરો કરવામાં આવે છે. તો પોલીસે રાખેલા બેરીકેડ કેમ તોડવા એ માટે 5000 હજાર ટ્રેકટર સાથે ટેક્નિકલ ટિમ છે. સિંધુ બોર્ડર પર 35 કિલોમીટર સુધી ટ્રેકટરને જ ઘર બનાવી ખેડૂતોએ પડાવ નાખ્યો હોવાનું પણ તેમણે કહ્યું છે.