એક સર્વે મુજબ ગુજરાતની 4.3 ટકા વસ્તી દારૂના વ્યસની બન્યા
ગુજરાતમાં 1.46 ટકા લોકો અફીણ અને 0.8 ટકા લોકો ગાંજાના વ્યસની બન્યા
ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોના સેવન માટે ઓપીડીમાં 2019-20ની સરખામણીમાં 2020-2021માં બે ગણો વધારો
મહામારી દરમિયાન વ્યસનીઓની હદને સમજવા માટે સંખ્યા મહત્વપૂર્ણ છેઃ નિષ્ણાતો
WatchGujarat. તાજેતરમાં રાજ્યસભામાં રજૂ કરાયેલા ડેટામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ડેટા મુજબ ગુજરાતની લગભગ 4.3 ટકા વસ્તી એટલે કે આશરે 19.પ3 લાખ લોકો દારૂના વ્યસની છે. આ ડ્રાય સ્ટેટ ગુજરાત માટે વ્યંગ્યાત્મક છે કે, પરંતુ સામાજિક ન્યાય અને સશક્તિકરણના મંત્રી નારાયણસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટામાં AIIMS દ્વારા નેશનલ ડ્રગ યૂઝ સર્વે 2019 દરમિયાન એકત્રિત કરેલા આંકડા ટાંકવામાં આવ્યા છે. જેમાં આ વિગતો સામે આવી છે.
રાજ્ય સભામાં રજૂ કરાયેલા ડેટા મુજબ, ગુજરાતમાં કુલ વસ્તીના 4.3 ટકા લોકો દારૂ પર નિર્ભર હતા. ઉલ્લેખનીય છે કે આ અન્ય રાજ્યો કરતા પણ ઘણો વધારે છે. તમને જણાવી દઈએ કે કુલ વસ્તીમાંથી રાજસ્થાનમાં 2.3 ટકા, બિહારમાં 1 ટકા અને જમ્મુ- કાશ્મીરમાં 4 ટકા લોકો દારૂ પર નિર્ભર છે. આ અંગે રાષ્ટ્રીય સરેરાશ 17.1 ટકા હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાતની 6.64 લાખ લોકો અફિણના, 6.28 લાખ લોકો સિડટિવના, જ્યારે 3.64 લાખ લોકો ગાંજાના આદી હતા. મહત્વનું છે કે આ સિવાય 36 હજાર લોકો ઈન્હેલન્ટના વ્યસની હતા. એઈમ્સના સર્વેમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોકેન, એમ્ફેટમીન અને હલૂસિનજનનું વ્યસન કરનાર લોકો નહોતા. જ્યારે દેશની કુલ વસ્તીના આશરે 8 ટકા લોકો (36.5 લાખ) દારૂ અથવા ડ્રગ્સના બંધાણી હતા.
ઉલ્લેખનીય છે કે અંગે નશામુક્તિ કેન્દ્રો અને મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે, ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોના સેવન માટે ઓપીડીમાં 2019-20ની સરખામણીમાં 2020-2021માં બે ગણો વધારો થયો છે. જે મહત્વની બાબત છે. શહેરના નિષ્ણાતોએ જણાવ્યા મુજબ, મહામારી દરમિયાન વ્યસનીઓની હદને સમજવા માટે સંખ્યા મહત્વપૂર્ણ છે.
આ અંગે વ્યસન મુક્તિમાં વિશેષતા ધરાવતી કનોરિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના હેડ ડો. રાજેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન અને બાદમાં ચિંતા તેમજ તણાવના કારણે વ્યસન કરનારાની સંખ્યા બમણી થઈ છે. જે લોકોએ પોતાની ટેવ છોડી દીધી હતી, તેમણે પણ તણાવને હળવો કરવા માટે દારૂ અને ડ્રગ્સનું સેવન શરૂ કરી દીધુ હતું. દારૂ પીતા નવા દર્દીઓમાં પણ મુખ્યત્વે વધારો થયો છે.
આ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના સાઈકિયાટ્રિસ્ટ ડો. રામાશંકર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર દસમાંથી છ દર્દીઓ ડ્રગ અથવા દારૂના વ્યસન માટે લડી રહ્યા છે. તેમાંથી મોટાભાગના પહેલાથી જ વ્યસ્ની હતા, પરંતુ મહામારીના કારણે તેમાં તીવ્ર વધારો થયો. એકલતા, હતાશા અને અજ્ઞાત ભય જેવા પરિબળો જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતુ.
એક સર્વે મુજબ ગુજરાતની 4.3 ટકા વસ્તી દારૂના વ્યસની બન્યા
ગુજરાતમાં 1.46 ટકા લોકો અફીણ અને 0.8 ટકા લોકો ગાંજાના વ્યસની બન્યા
ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોના સેવન માટે ઓપીડીમાં 2019-20ની સરખામણીમાં 2020-2021માં બે ગણો વધારો
મહામારી દરમિયાન વ્યસનીઓની હદને સમજવા માટે સંખ્યા મહત્વપૂર્ણ છેઃ નિષ્ણાતો
WatchGujarat. તાજેતરમાં રાજ્યસભામાં રજૂ કરાયેલા ડેટામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ડેટા મુજબ ગુજરાતની લગભગ 4.3 ટકા વસ્તી એટલે કે આશરે 19.પ3 લાખ લોકો દારૂના વ્યસની છે. આ ડ્રાય સ્ટેટ ગુજરાત માટે વ્યંગ્યાત્મક છે કે, પરંતુ સામાજિક ન્યાય અને સશક્તિકરણના મંત્રી નારાયણસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટામાં AIIMS દ્વારા નેશનલ ડ્રગ યૂઝ સર્વે 2019 દરમિયાન એકત્રિત કરેલા આંકડા ટાંકવામાં આવ્યા છે. જેમાં આ વિગતો સામે આવી છે.
રાજ્ય સભામાં રજૂ કરાયેલા ડેટા મુજબ, ગુજરાતમાં કુલ વસ્તીના 4.3 ટકા લોકો દારૂ પર નિર્ભર હતા. ઉલ્લેખનીય છે કે આ અન્ય રાજ્યો કરતા પણ ઘણો વધારે છે. તમને જણાવી દઈએ કે કુલ વસ્તીમાંથી રાજસ્થાનમાં 2.3 ટકા, બિહારમાં 1 ટકા અને જમ્મુ- કાશ્મીરમાં 4 ટકા લોકો દારૂ પર નિર્ભર છે. આ અંગે રાષ્ટ્રીય સરેરાશ 17.1 ટકા હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાતની 6.64 લાખ લોકો અફિણના, 6.28 લાખ લોકો સિડટિવના, જ્યારે 3.64 લાખ લોકો ગાંજાના આદી હતા. મહત્વનું છે કે આ સિવાય 36 હજાર લોકો ઈન્હેલન્ટના વ્યસની હતા. એઈમ્સના સર્વેમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોકેન, એમ્ફેટમીન અને હલૂસિનજનનું વ્યસન કરનાર લોકો નહોતા. જ્યારે દેશની કુલ વસ્તીના આશરે 8 ટકા લોકો (36.5 લાખ) દારૂ અથવા ડ્રગ્સના બંધાણી હતા.
ઉલ્લેખનીય છે કે અંગે નશામુક્તિ કેન્દ્રો અને મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે, ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોના સેવન માટે ઓપીડીમાં 2019-20ની સરખામણીમાં 2020-2021માં બે ગણો વધારો થયો છે. જે મહત્વની બાબત છે. શહેરના નિષ્ણાતોએ જણાવ્યા મુજબ, મહામારી દરમિયાન વ્યસનીઓની હદને સમજવા માટે સંખ્યા મહત્વપૂર્ણ છે.
આ અંગે વ્યસન મુક્તિમાં વિશેષતા ધરાવતી કનોરિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના હેડ ડો. રાજેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન અને બાદમાં ચિંતા તેમજ તણાવના કારણે વ્યસન કરનારાની સંખ્યા બમણી થઈ છે. જે લોકોએ પોતાની ટેવ છોડી દીધી હતી, તેમણે પણ તણાવને હળવો કરવા માટે દારૂ અને ડ્રગ્સનું સેવન શરૂ કરી દીધુ હતું. દારૂ પીતા નવા દર્દીઓમાં પણ મુખ્યત્વે વધારો થયો છે.
આ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના સાઈકિયાટ્રિસ્ટ ડો. રામાશંકર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર દસમાંથી છ દર્દીઓ ડ્રગ અથવા દારૂના વ્યસન માટે લડી રહ્યા છે. તેમાંથી મોટાભાગના પહેલાથી જ વ્યસ્ની હતા, પરંતુ મહામારીના કારણે તેમાં તીવ્ર વધારો થયો. એકલતા, હતાશા અને અજ્ઞાત ભય જેવા પરિબળો જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતુ.